Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

વગર દવાએ ગળામાં જામી ગયેલા કફને બહાર કાઢવાનો 100% અસરકારક ઉપાય, તો અપનાવો આ ઘરેલુ ઉપાય તરત મળશે આરામ

Team GurjarBhumi by Team GurjarBhumi
October 13, 2021
0
વગર દવાએ ગળામાં જામી ગયેલા કફને બહાર કાઢવાનો 100% અસરકારક ઉપાય,  તો અપનાવો આ ઘરેલુ ઉપાય તરત મળશે આરામ
0
SHARES
2k
VIEWS
Share on FacebookShare on Twitter

શરીદ ખાંસી સામાન્ય રીતે કોઈપણ ઋતુમાં થાય છે, ત્યારે આનાથી બચવા માટે આપણે હંમેશા પોતાની ખાણી-પીણીને ઋતુ અનુકૂળ લેવી પડે છે. તેમજ શરદી-ખાંસીમાં ઘણીવાર કફ થવાની સમસ્યા થાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ અથવા છાતીમાં કઈક જામેલો અહેસાસ થાય છે. જો આ કફ થોડા દિવસ રહે તો કોઈ ગંભીર સમસ્યા નથી, પરંતુ જયારે લાંબા સમય સુધી રહે તો શ્વાસ સંબધિત રોગો થવાની સંભાવના વધી જાય છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

શરૂઆતમાં જો તેને ધ્યાન ન આપવામાં આવે તો આગળ જતાં લોકો માટે ખતરનાક સાબિત થાય છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે કફમાં લોહીના કોઈ અંશ દેખાય તો ડોક્ટર પાસે અવશ્ય જવું જેથી તમે કોઈ ગંભીર સમસ્યાથી બચી શકો. અમે તમને આ આર્ટીકલના માધ્યમથી ગળામાં જામેલા કફને દુર કરવાના ઘરેલું ઉપચાર વિષે જણાવવાના છીએ, જેને તમે કફના શરૂઆતી લક્ષણમાં અપનાવશો તો સરળતાથી ગળાના કફમાં છુટકારો મળી શકે છે. ચાલો જાણીએ ગળામાં જામી ગયેલા કફને બહાર કાઢવાના ઘરેલું ઉપાય વિષે.

આદુ અને મધ : આદુ અને મધના સેવનથી ખાંસી સાથે કફની સમસ્યાથી પણ છુટકારો મળી શકે છે. 100 ગ્રામ આદુને પીસી લો, તેમાં 2 ચમચી મધ મિક્ષ કરો. આ પેસ્ટને દિવસભરમાં બેથી ત્રણ વાર સેવન કરવાથી થોડા દિવસમાં ગળામાં જામેલો કફ છુટો પડી જશે અને આ સમસ્યા દૂર થઈ જશે. રાત્રે સુતા પહેલા એક ચમચી મધને પાણીમાં ભેળવી પીવાથી કફ દુર થાય છે. મધમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો હોય છે સાથે કફનાશક ગુણ હોય છે જે કફ દુર કરે છે. 2 ચમચી મધ સવારે ખાલી પેટ પીવાથી કફ બહાર નીકળી જાય છે.

કાળી મરી : ભોજનમાં સ્વાદ વધારવાની સાથે કાળા મરીમાં અનેક ઔષધીય ગુણ પણ છે. તેના ઉપયોગથી તમે કફની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. સૌથી પહેલા કાળા મરીના થોડા દાણાંને સરખી રીતે પીસી લો, ત્યારબાદ 2 કપ પાણી ઉકાળી તેમાં કાળા મરી પાઉડરને ઉમેરો. જ્યાં સુધી પાણી અડધું થઇ જાય ત્યાં સુધી ઉકાળો અને ત્યારબાદ તેને ગાળી અને તેમાં એક ચમચી મધ મિક્સ કરો. આનું સેવન સવાર સાંજ કરવાથી કફ અને ઉધરસ બંનેમાં રાહત થાય છે.

ડુંગળી અને લીંબુ : ડુંગળી અને લીંબુના ઉપયોગથી કફની સમસ્યા દૂર થાય છે. આ માટે સૌ પ્રથમ ડુંગળીને યોગ્ય રીતે ફોલીને પીસી લો, ત્યારબાદ તેમાં એક લીંબુનો રસ મિક્સ કરી લો, ત્યારબાદ તેને એક વાટકીમાં ઉકાળી લો. યોગ્ય રીતે ઉકળ્યા પછી તેમાં એક ચમચી મધ ઉમેરો. આ મિશ્રણને દિવસમાં 2-3 વાર નિયમિત સેવન કરવાથી જામેલો કફ ગળફા રૂપે બહાર નીકળી જાય છે અને કફની સમ્સ્યમાં રાહત થાય છે.

ADVERTISEMENT

સ્ટીમ અથવા નાસ : શરીરમાં જામેલા કફથી છુટકારો મેળવવા માટે સ્ટીમ ઉત્તમ ઘરેલું ઉપાય છે. સ્ટીમ લેવાથી શરીરમાં રહેલો કફ છુટો પડે છે. સ્ટીમ લેવા માટે એક વાસણમાં ગરમ પાણી ભરો તેમાં નીલગીરીનું તેલ અથવા વિક્સ ઉમેરીને તેના પર મો રાખીને ઉપર ટુવાલ ઢાકી દો, આવું થોડી વાર કરવાથી શરીરમાં જામેલા કફ છુટો પડી જાય છે, અને ગળફા વાટે બહાર નીકળી જાય છે.

લેમન ટી : લીંબુના ગુણો આયુર્વેદમાં ખૂબ લાભદાયી છે, લીંબુમાં ભરપુર પ્રમાણમાં સિટ્રિક એસિડ હોય છે. લીંબુ અને મધમાં રહેલું એન્ટીસેપ્ટિક ગુણ જામેલા કફને બહાર નીકાળવામાં ખુબ જ મદદ છે. સૌપ્રથમ બ્લેક ટી બનાવો, ત્યારબાદ તેમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરીને સેવન કરવું. આ મિશ્રણનું થોડા દિવસ સેવન કરવાથી કફની સમસ્યા માંથી છુટકારો મળશે.

હળદર : કફ હોય કે શરદી-ખાંસી આ તમામ સમસ્યાથી છુટકારો મેળવવા માટે હળદરનો ઉપયોગ બેસ્ટ માનવામાં છે. હળદરમાં મળતા એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ગળાનો ચેપ પણ મટાડે છે. એક ગ્લાસ દુધમાં અડધી ચમચી હળદર નાખી તેમાં થોડા પ્રમાણમાં કાળા મરીનો પાઉડર મિક્સ કરો, ત્યારબાદ તેને ગરમ કરો અને અનુકુળ હોય તો થોડું મધ ઉમેરો. આ હળદર વાળા દૂધનું નિયમિત સેવન કરવાથી ગાળામાં જામી ગયેલો કફ દુર થાય છે.

ઉકાળો : શરીરમાં જામેલા કફને દુર કરવા આ હર્બલ ઉકાળો પણ ફાયદાકારક છે. 2 કપ પાણીમાં લવિંગ, ફુદીનો, તુલસી, મરી, આદુ અને થોડો ગોળ નાખીને ઉકાળો, ત્યારબાદ ઠંડુ પડવા દો. આ ઉકાળાનું સેવન કરવાથી કફ દુર થાય છે.

લસણ : લસણનો ઉપયોગ આપણે ભોજનમાં કરીએ જ છીએ. લસણને વાટીને તેને તુલસીના પાનના રસમાં નાખીને પાણીમાં ગરમ કરી પીવાથી શરદી અને કફમાં રાહત થાય છે. લસણમાં રહેલા તેના ગુણો શરદી, ઉધરસ અને કફનો નાશ કરે છે.

આમ, આ ઘરેલું ઉપચાર દ્વારા તમે શરદી અને ગળામાં જામેલા કફને હંમેશા માટે દુર કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા વિનંતી.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
જીવલેણ છે કોરોનાની બીજી લહેર, બચવું છે તો આ જગ્યાએથી બનાવી રાખો અંતર નહિંતર

જીવલેણ છે કોરોનાની બીજી લહેર, બચવું છે તો આ જગ્યાએથી બનાવી રાખો અંતર નહિંતર

નાસ અથવા સ્ટીમ લેવાથી શરદી અને કફથી મેળવી શકાય છે છુટકારો, જાણો નાસ લેવાથી શરીરમાં થતા ફાયદા વિષે

નાસ અથવા સ્ટીમ લેવાથી શરદી અને કફથી મેળવી શકાય છે છુટકારો, જાણો નાસ લેવાથી શરીરમાં થતા ફાયદા વિષે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શું તમારામાં તો નથી ને આ 8 ખરાબ આદતો, નહિતર થશો અનેક બીમારીનો ભોગ, જાણો કઈ છે આ આદતો

શું તમારામાં તો નથી ને આ 8 ખરાબ આદતો, નહિતર થશો અનેક બીમારીનો ભોગ, જાણો કઈ છે આ આદતો

July 2, 2021
દરરોજ આહારમાં સલાડ તરીકે કરો આનું સેવન, પેટની સમસ્યા ક્યારેય નહી થાય

દરરોજ આહારમાં સલાડ તરીકે કરો આનું સેવન, પેટની સમસ્યા ક્યારેય નહી થાય

July 8, 2021
શરદી, કફ અને ઉધરસની સમસ્યામાં રામબાણ ઈલાજ છે હળદર, જાણો હળદરના સેવનથી થતા ફાયદા વિષે

શરદી, કફ અને ઉધરસની સમસ્યામાં રામબાણ ઈલાજ છે હળદર, જાણો હળદરના સેવનથી થતા ફાયદા વિષે

April 30, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In