શરીદ ખાંસી સામાન્ય રીતે કોઈપણ ઋતુમાં થાય છે, ત્યારે આનાથી બચવા માટે આપણે હંમેશા પોતાની ખાણી-પીણીને ઋતુ અનુકૂળ લેવી પડે છે. તેમજ શરદી-ખાંસીમાં ઘણીવાર કફ થવાની સમસ્યા થાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ અથવા છાતીમાં કઈક જામેલો અહેસાસ થાય છે. જો આ કફ થોડા દિવસ રહે તો કોઈ ગંભીર સમસ્યા નથી, પરંતુ જયારે લાંબા સમય સુધી રહે તો શ્વાસ સંબધિત રોગો થવાની સંભાવના વધી જાય છે.
શરૂઆતમાં જો તેને ધ્યાન ન આપવામાં આવે તો આગળ જતાં લોકો માટે ખતરનાક સાબિત થાય છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે કફમાં લોહીના કોઈ અંશ દેખાય તો ડોક્ટર પાસે અવશ્ય જવું જેથી તમે કોઈ ગંભીર સમસ્યાથી બચી શકો. અમે તમને આ આર્ટીકલના માધ્યમથી ગળામાં જામેલા કફને દુર કરવાના ઘરેલું ઉપચાર વિષે જણાવવાના છીએ, જેને તમે કફના શરૂઆતી લક્ષણમાં અપનાવશો તો સરળતાથી ગળાના કફમાં છુટકારો મળી શકે છે. ચાલો જાણીએ ગળામાં જામી ગયેલા કફને બહાર કાઢવાના ઘરેલું ઉપાય વિષે.
આદુ અને મધ : આદુ અને મધના સેવનથી ખાંસી સાથે કફની સમસ્યાથી પણ છુટકારો મળી શકે છે. 100 ગ્રામ આદુને પીસી લો, તેમાં 2 ચમચી મધ મિક્ષ કરો. આ પેસ્ટને દિવસભરમાં બેથી ત્રણ વાર સેવન કરવાથી થોડા દિવસમાં ગળામાં જામેલો કફ છુટો પડી જશે અને આ સમસ્યા દૂર થઈ જશે. રાત્રે સુતા પહેલા એક ચમચી મધને પાણીમાં ભેળવી પીવાથી કફ દુર થાય છે. મધમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો હોય છે સાથે કફનાશક ગુણ હોય છે જે કફ દુર કરે છે. 2 ચમચી મધ સવારે ખાલી પેટ પીવાથી કફ બહાર નીકળી જાય છે.
કાળી મરી : ભોજનમાં સ્વાદ વધારવાની સાથે કાળા મરીમાં અનેક ઔષધીય ગુણ પણ છે. તેના ઉપયોગથી તમે કફની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. સૌથી પહેલા કાળા મરીના થોડા દાણાંને સરખી રીતે પીસી લો, ત્યારબાદ 2 કપ પાણી ઉકાળી તેમાં કાળા મરી પાઉડરને ઉમેરો. જ્યાં સુધી પાણી અડધું થઇ જાય ત્યાં સુધી ઉકાળો અને ત્યારબાદ તેને ગાળી અને તેમાં એક ચમચી મધ મિક્સ કરો. આનું સેવન સવાર સાંજ કરવાથી કફ અને ઉધરસ બંનેમાં રાહત થાય છે.
ડુંગળી અને લીંબુ : ડુંગળી અને લીંબુના ઉપયોગથી કફની સમસ્યા દૂર થાય છે. આ માટે સૌ પ્રથમ ડુંગળીને યોગ્ય રીતે ફોલીને પીસી લો, ત્યારબાદ તેમાં એક લીંબુનો રસ મિક્સ કરી લો, ત્યારબાદ તેને એક વાટકીમાં ઉકાળી લો. યોગ્ય રીતે ઉકળ્યા પછી તેમાં એક ચમચી મધ ઉમેરો. આ મિશ્રણને દિવસમાં 2-3 વાર નિયમિત સેવન કરવાથી જામેલો કફ ગળફા રૂપે બહાર નીકળી જાય છે અને કફની સમ્સ્યમાં રાહત થાય છે.
સ્ટીમ અથવા નાસ : શરીરમાં જામેલા કફથી છુટકારો મેળવવા માટે સ્ટીમ ઉત્તમ ઘરેલું ઉપાય છે. સ્ટીમ લેવાથી શરીરમાં રહેલો કફ છુટો પડે છે. સ્ટીમ લેવા માટે એક વાસણમાં ગરમ પાણી ભરો તેમાં નીલગીરીનું તેલ અથવા વિક્સ ઉમેરીને તેના પર મો રાખીને ઉપર ટુવાલ ઢાકી દો, આવું થોડી વાર કરવાથી શરીરમાં જામેલા કફ છુટો પડી જાય છે, અને ગળફા વાટે બહાર નીકળી જાય છે.
લેમન ટી : લીંબુના ગુણો આયુર્વેદમાં ખૂબ લાભદાયી છે, લીંબુમાં ભરપુર પ્રમાણમાં સિટ્રિક એસિડ હોય છે. લીંબુ અને મધમાં રહેલું એન્ટીસેપ્ટિક ગુણ જામેલા કફને બહાર નીકાળવામાં ખુબ જ મદદ છે. સૌપ્રથમ બ્લેક ટી બનાવો, ત્યારબાદ તેમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરીને સેવન કરવું. આ મિશ્રણનું થોડા દિવસ સેવન કરવાથી કફની સમસ્યા માંથી છુટકારો મળશે.
હળદર : કફ હોય કે શરદી-ખાંસી આ તમામ સમસ્યાથી છુટકારો મેળવવા માટે હળદરનો ઉપયોગ બેસ્ટ માનવામાં છે. હળદરમાં મળતા એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ગળાનો ચેપ પણ મટાડે છે. એક ગ્લાસ દુધમાં અડધી ચમચી હળદર નાખી તેમાં થોડા પ્રમાણમાં કાળા મરીનો પાઉડર મિક્સ કરો, ત્યારબાદ તેને ગરમ કરો અને અનુકુળ હોય તો થોડું મધ ઉમેરો. આ હળદર વાળા દૂધનું નિયમિત સેવન કરવાથી ગાળામાં જામી ગયેલો કફ દુર થાય છે.
ઉકાળો : શરીરમાં જામેલા કફને દુર કરવા આ હર્બલ ઉકાળો પણ ફાયદાકારક છે. 2 કપ પાણીમાં લવિંગ, ફુદીનો, તુલસી, મરી, આદુ અને થોડો ગોળ નાખીને ઉકાળો, ત્યારબાદ ઠંડુ પડવા દો. આ ઉકાળાનું સેવન કરવાથી કફ દુર થાય છે.
લસણ : લસણનો ઉપયોગ આપણે ભોજનમાં કરીએ જ છીએ. લસણને વાટીને તેને તુલસીના પાનના રસમાં નાખીને પાણીમાં ગરમ કરી પીવાથી શરદી અને કફમાં રાહત થાય છે. લસણમાં રહેલા તેના ગુણો શરદી, ઉધરસ અને કફનો નાશ કરે છે.
આમ, આ ઘરેલું ઉપચાર દ્વારા તમે શરદી અને ગળામાં જામેલા કફને હંમેશા માટે દુર કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા વિનંતી.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.