Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

અનેક રોગોનો અકસીર ઈલાજ છે આ ઔષધી, જાણો તેના અમૃત સમાન ગુણો વિષે

Team GurjarBhumi by Team GurjarBhumi
July 9, 2021
0
અનેક રોગોનો અકસીર ઈલાજ છે આ ઔષધી, જાણો તેના અમૃત સમાન ગુણો વિષે
0
SHARES
727
VIEWS
Share on FacebookShare on Twitter

આમળાં તેના અમૃત સમાન ગુણોના કારણે ઔષધિઓમાં શ્રેષ્ઠ ઔષધી ગણાય છે. આમળા આંખો, વાળ અને ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે, તેના બીજા ઘણા ફાયદા પણ છે, જે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આમળાનો ઉપયોગ સામાન્ય રીતે અથાણાં, મુરબ્બો, મુખવાસ અથવા ચટણીના રૂપમાં કરવામાં આવે છે. આમળાનું વાનસ્પતિક નામ Phyllanthus emblica છે. જેને હિન્દીમાં આવલા અને સંસ્કૃતમાં અમૃતા, અમૃતફળ, આમલકી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જેનું અંગ્રેજી નામ Indian gooseberry છે. આજે અમે આ આર્ટીકલમાં આમળાંના અદ્ભુત ફાયદા વિષે જણાવવાના છીએ.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

આમળાંમાં ભરપૂર માત્રામાં વિટામિન-C, વિટામિન-B, કેલ્શિયમ, આર્યન, પોટેશિયમ, ફાયબર, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જેવા અનેક પોષક તત્ત્વો હોય છે. આમળામાં વિટામિન-C વધુ પ્રમાણમાં હોવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ખુબ જ કારગત સાબિત થાય છે. આમળા હૃદયના રોગ, લોહી, પિત્ત, ત્રિદોષ, દમ, ખાંસી, શ્વાસના રોગ, કબજિયાત, છાતીના રોગ, મુત્ર વિકાર જેવી અનેક બિમારીના ઇલાજમાં ખુબ જ લાભદાયી થાય છે. ચાલો જાણીએ આમળાના સેવનથી થતા ફાયદા વિષે. (Health Benefits Indian Gooseberry)

એસિડિટી : એસિડિટીના કિસ્સામાં આમળા ખૂબ જ ફાયદાકારક છે. આમળાનો પાવડર ખાંડ સાથે ખાવાથી અથવા પાણી સાથે પીવાથી એસિડિટીથીમાં રાહત મળે છે. આમળાનો રસ સાકર સાથે પીવાથી પણ એસિડિટીથી છુટકારો મળે છે. આ ઉપરાંત આમળાનો રસ પીવાથી પેટની બધી સમસ્યાઓથી છુટકારો મળે છે. આમળા ખાટા હોવા છતા એસીડીટી માં લાભ કરે છે કારણ કે આમળા પચી જતા તેનો રસ મધુર થ​ઈ જાય છે માટે આમળા એસિડિટીમાં ઉપયોગી છે.

ડાયાબિટીઝ : આમળાં ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. ડાયાબિટીઝની સમસ્યામાં દરરોજ આમળાના રસનું  સેવન કરવાથી ડાયાબિટીઝથી રાહત મળે છે, આમળા બ્લડ શુંગરને નિયંત્રણમાં રાખવામાં અસરકારક છે. જો આમળાનું ચૂર્ણ અને હળદરનું સેવન નિયમિતપણે કરવામાં આવે તો તમારા શરીરની અંદર શુગરનું લેવલ જળવાઈ રહે છે.

પથરી (Stone) : આમળાં પથરીની સમસ્યામાં અસરકારક ઉપાય સાબિત કરે છે. આમળાને સૂકવી લો અને અને તેનો પાવડર બનાવો, અને દરરોજ મૂળાના રસમાં આ પાવડર મિક્સ કર્યા પછી ખાઓ. આ પ્રયોગથી થોડા દિવસોમાં જ પથરી ઓગળી જશે અને પેશાબ વાટે નિકળી જશે. દરરોજ એક એક ચમચી સવારમાં આમળાનો પાવડર ખાવાથી પથરી દુર થાય છે. આમળા પથરી કાઢવા માટે ખુબ જ ઉપયોગી છે.

ADVERTISEMENT

વજન ઓછુ કરવા : આમળાં, હરડે અને બહેડા ત્રણેય ભેળવીને બનાવવામાં આવેલુ ચૂર્ણ ત્રિફળા ચૂર્ણ કહેવામાં આવે છે, તેનું સેવન શરીરથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. રાત્રે ખાવાના 2 કલાક પહેલા અને નાસ્તાથી અડધા કલાક પહેલા ગરમ પાણી સાથે એક અડધી ચમચી ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી પેટની વધારાની ચરબીથી છુટકારો મળી શકે છે.

લોહીમાં હિમોગ્લોબિન : લોહીમાં હિમોગ્લોબિનની ગેરહાજરી દુર કરવા રોજ આમળાંનો રસ પીવો ખૂબ ફાયદાકારક છે. તે શરીરમાં રક્તકણોને ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, અને શરીરમાં  લોહીના પ્રમાણમાં ઘટાડો થવા દેતું નથી.

આંખોના રોગો : આમળાંમાં વિટામિન-C ની માત્રા વધારે હોય છે. આમળા આંખોનો પ્રકાશ વધારવામાં માટે અમૃત સમાન છે. આ માટે રોજ એક ચમચી આમળાનો પાવડર મધ સાથે લેવાથી ખુબ જ ફાયદો થાય છે. આમળાના પાવડરના નિયમિત સેવનથી મોતિયાની અને રતાંધળાપણાં સમસ્યા પણ દૂર થાય છે.

ચહેરાના ડાઘ : ચહેરાના પરના ડાઘોને દૂર કરવા અને તેને સુંદર બનાવવા માટે પણ અમળા ખુબ જ ઉપયોગી છે. અમળાને પીસીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવાથી ચહેરાના પરના ડાઘો દુર થાય છે અને ત્વચા સાફ રહે છે, આ ઉપાયથી ચેહરો ચમકે તથા કરચલીઓ પણ ઓછી થાય છે.

વાળને કાળા અને ચમકદાર બનાવે : આમળાંના સેવનથી વાળ કાળા અને ચમકદાર થાય છે. આમળાને વાળ માટે વરદાન સમાન માનવામાં આવે છે. આમળા વાળનો વિકાસ અને વાળનો ચમકદાર કાળો રંગ બનાવી રાખવામાં મદદ કરે છે. તાજા આમળા ખાવાથી અથવા વાળના મૂળમાં તેનો લેપ લગાવવાથી વાળનો વિકાસ થાય છે અને પ્રાકૃતિક રંગ વાળને મળી રહે છે અને વાળ કાળા અને ચમકદાર બનાવે છે.

કબજિયાત : કબજિયાતની સમસ્યામાં તમારું પેટ સાફ ન થતું હોય તો દરરોજ એક આમળુ ખાવું અથવા નિયમિત અમળાના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થશે.

અંગદાહ કે બળતરા : આમળાનું ચૂર્ણ તથા મોટા બોર તથા ધાણાના ચૂર્ણને ધરોના કે કોથમરીના રસમાં વાટી અંગદાહ પર પાતળો લેપ કરવો. આમળા, સુગંધીવાળો, ચંદન પાવડર, મોથ, ઘઉંનું સત્વ, સરખા ભાગે લઈ, ચૂર્ણ કરી તેમાં ગુલાબ જળ કે પાણી મિલાવી, બળતરાવાળા અંગ પર પાતળો લેપ કરવો. જેનાથી ઠંડક મળશે.

આમ, આમળાં ખુબ જ ઉપયોગી ઔષધ છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ જેવી કે લોહીના શુદ્ધિકરણ, અસ્થમા, પાચનક્રિયાની સમસ્યાઓને ઠીક કરે છે. તમારા માંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે આમળાંનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
જાણો ચીકનગુનિયાના રોગને મટાડવા માટેના રામબાણ ઈલાજ વિષે

જાણો ચીકનગુનિયાના રોગને મટાડવા માટેના રામબાણ ઈલાજ વિષે

દરરોજ માત્ર બે દાણાનું સેવન, જે તમને હજારો રૂપિયા ખર્ચ કરવાથી બચાવી દેશે આ ઉપચાર

દરરોજ માત્ર બે દાણાનું સેવન, જે તમને હજારો રૂપિયા ખર્ચ કરવાથી બચાવી દેશે આ ઉપચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વગર ઓપરેશને જૂનામાં જૂની પથરીને દુર કરવાના ઘરેલું ઉપાય, જાણો પથરીને દુર કરવાના ઘરેલું ઉપચાર વિષે

વગર ઓપરેશને જૂનામાં જૂની પથરીને દુર કરવાના ઘરેલું ઉપાય, જાણો પથરીને દુર કરવાના ઘરેલું ઉપચાર વિષે

June 26, 2021
શું તમારામાં તો નથી ને આ 8 ખરાબ આદતો, નહિતર થશો અનેક બીમારીનો ભોગ, જાણો કઈ છે આ આદતો

શું તમારામાં તો નથી ને આ 8 ખરાબ આદતો, નહિતર થશો અનેક બીમારીનો ભોગ, જાણો કઈ છે આ આદતો

July 2, 2021
આ આયુર્વેદિક ચીજોથી પાણીની જેમ ઓછું કરી શકાય છે તમારું વજન

આ આયુર્વેદિક ચીજોથી પાણીની જેમ ઓછું કરી શકાય છે તમારું વજન

July 14, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In