Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

ડાયાબીટીસના રોગમાં અમૃત સમાન મનાય છે આ શાકભાજીના ગુણો

Team GurjarBhumi by Team GurjarBhumi
July 14, 2021
0
ડાયાબીટીસના રોગમાં અમૃત સમાન મનાય છે આ શાકભાજીના ગુણો
0
SHARES
1.1k
VIEWS
Share on FacebookShare on Twitter

લીલા શાકભાજીમાં કારેલા ભલે કડવા હોય પણ તેના ગુણો મીઠા છે. કારેલા સ્વાદે ખુબ જ કડવા હોય છે પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. કહેવામાં આવે છે કે કારેલાના સેવન કરવા વાળા ક્યારેય બીમાર પડતા નથી. ઔષધીય ગુણોથી સમૃદ્ધ કારેલાના સેવનથી આપણું આરોગ્ય સારું રહે છે. કારેલાનું ઔષધીય મહત્વ ખુબ જ વધારે છે. કારેલા ડાયાબીટીસના રોગમાં અમૃત સમાન મનાય છે. કારેલાના નિયમિત સેવનથી શરીરમાં ઈન્સ્યુલીનનું સ્તર નિયંત્રણમાં રહે છે. કારેલા એક રક્તશોધક છે, માટે જ નિયમિત કારેલા અથવા તેના જ્યુસના સેવનથી અનેક બીમારીઓમાં લાભ થાય છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

કારેલાના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. કારેલામાં વિટામિન, ફાઈબર અને એન્ટીઓક્સીડેંટ્સ ખુબ જ વધારે પ્રમાણમાં હોય છે. વિટામીનની વાત કરીએ તો કરેલામાં વિટામીન-A, B અને C હોય છે સાથે જ કારેલામાં પોટેશિયમ, આયર્ન, બીટાકેરોટિન, મેંગનિશયમ, ઝીંક અને ફલેવોનવાઈડ હોય છે. ચાલો જાણીએ કરેલા સેવનથી થતા ફાયદા વિષે. (Benefits of Bitter melon).

ડાયાબિટીસ : કારેલા ડાયાબીટીસના રોગમાં અમૃત સમાન મનાય છે. કારેલાના નિયમિત સેવનથી શરીરમાં ઈન્સ્યુલીનનું સ્તર નિયંત્રણમાં રહે છે. ડાયાબીટીસની સમસ્યામાં કારેલાનો રસ અને ગાજરનો રસ સરખા પ્રમાણમાં લઇ નિયમિત સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. સવારમાં ખાલી પેટ કારેલાના જ્યુસના નિયમિત સેવનથી પણ ડાયાબીટીસમાં રાહત થાય છે.

આંખો માટે : કારેલાના સેવનથી આંખોની સમસ્યામાં લાભ થાય છે. કારેલામાં રહેલુ બીટાકેરોટિન આંખો માટે ખુબ જ લાભદાયક છે. દિવસભર કમ્પ્યુટર પર કામ કરતા લોકોએ અઠવાડિયામાં 1-2 વાર કારેલાનું અથવા તેના જ્યુસનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી આંખોની સમાંસ્યમાં લાભ થાય છે અને આંખોનું તેજ વધે છે. કારેલાનું નિયમિત જ્યુસ પીવાથી યકૃતની સમસ્યા દુર થાય છે.

લોહીને શુદ્ધ કરે : કારેલાના સેવનથી લોહી શુદ્ધ થાય છે. કારેલામાં રહેલા એન્ટી માઈક્રોબીયલ અને એન્ટી બેક્ટેરીયલ ગુણો લોહીને સાફ કરવામાં મદદ કરે છે. જેથી લોહી શુદ્ધ થાય છે અને ચામડીના રોગોની પરેશાનીઓથી બચી શકો છવો. કારેલા અથવા તેના જ્યુસના નિયમિત સેવનથી શરીરમાં ઘણી બીમારીઓમાં લાભ થાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

ADVERTISEMENT

પેટની સમસ્યામાં : કરેલાંમાં મળતા એન્ટી ઓક્સીડેન્ટ શરીરના પાચનતંત્રને યોગ્ય રાખે છે, માટે કારેલાના સેવનથી પેટની સમસ્યાઓમાં લાભ થાય છે. કારેલા અથવા તેના જ્યુસના સેવનથી પેટની સમસ્યા જેમ કે અપચો, કબજિયાત, ગેસ તથા પાચનસંબધિત સમસ્યાઓમાં લાભ થાય છે.

પથરી : પથરીની સમસ્યામાં કારેલા લાભદાયી છે. કારેલા અથવા તેનું જ્યુસ પીવાથી પથરીની સમસ્યામાં રાહત થાય છે. 20 ગ્રામ કારેલાના રસમાં મધ મિક્સ કરીને નિયમિત સેવનથી પથરી મૂત્રવાટે બહાર નીકળી જાય છે.

મોટાપાથી છુટકારો મેળવવા : કારેલા મોટાપા તથા વજન ઓછુ કરવા માટે પણ ઉપયોગી છે. કારેલાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને નિયમિત સેવન કરવાથી મોટાપાથી છુટકારો મળે છે. કારેલાના સેવનથી પાચનક્રિયા સારી રહે છે અને પેટ સંબધિત બીમારીઓ પણ દુર રહે છે.

અસ્થમા : અસ્થમાની બીમારીમાં કારેલા ફાયદાકારક છે. અસ્થમાની બીમારી વાળા લોકોએ કારેલાનું શાક ખાવાથી લાભ થાય છે. એક કપ પાણીમાં 2 ચમચી કારેલાનો રસ, તુલસીના પાનાનો રસ અને મધ મેળવીને રાત્રે સુતી વખતે પીવાથી અસ્થમાના રોગમાં આરામ મળે છે.

ચામડીના રોગો માટે : કારેલાના પાનને વાટીને પેસ્ટ બનાવી લ્યો. આ પેસ્ટને ચામડી પર લાગવાથી ચામડીના રોગોમાં લાભ થાય છે. આગમાં દાજેલા ભાગ પર આ લેપ લગાવવાથી આરામ મળે છે.

જાણો કારેલાનું જ્યુસ બનાવાવની રીત : કારેલાનું જ્યુસ બનાવવ માટે કારેલા પર મીઠું લગાવીને અડધા કલાક સુધી રહેવા દો. ત્યારબાદ કારેલાને બરાબર પાણીથી ધોઈને  મિક્સરમાં બરાબર પીસીને તેમાં સંતરાનો રસ ઉમેરો અને મિક્સ કરો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ, સંચળ અને આંબલીની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરો. આ જ્યુસનું ખાલી પેટ નિયમિત સેવન કરવાથી અનેક રોગોમાં લાભ થાય છે.

આમ, કારેલા ખુબ જ ઉપયોગી અને અમૃત સમાન ઔષધી છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારી જેમ કે કફ, ચામડીના રોગ, લોહીના શુદ્ધિકરણ, અસ્થમા, ડાયાબિટીસ જેવી સમસ્યાઓને ઠીક કરે છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે કારેલા તથા તેના જ્યુસનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માત્ર 15 દિવસ જ કરો આ વસ્તુનું સેવન, જરૂર ફાયદો થશે

શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માત્ર 15 દિવસ જ કરો આ વસ્તુનું સેવન, જરૂર ફાયદો થશે

માતાના હાલરડાં સાંભળવાથી ઘોડિયામાં સુતેલા બાળક પર થાય છે આ અદભુત અસરો

માતાના હાલરડાં સાંભળવાથી ઘોડિયામાં સુતેલા બાળક પર થાય છે આ અદભુત અસરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દરરોજ માત્ર એક ચમચી આ પાનનો રસ પીવાથી દુર થાય છે 20થી વધુ બીમારીઓ

દરરોજ માત્ર એક ચમચી આ પાનનો રસ પીવાથી દુર થાય છે 20થી વધુ બીમારીઓ

July 16, 2021
વગર ઓપરેશને જૂનામાં જૂની પથરીને દુર કરવાના ઘરેલું ઉપાય, જાણો પથરીને દુર કરવાના ઘરેલું ઉપચાર વિષે

વગર ઓપરેશને જૂનામાં જૂની પથરીને દુર કરવાના ઘરેલું ઉપાય, જાણો પથરીને દુર કરવાના ઘરેલું ઉપચાર વિષે

June 26, 2021
આ નાના અમથા ફળના સેવનથી રહેશે અનેક બીમારીઓ દુર

આ નાના અમથા ફળના સેવનથી રહેશે અનેક બીમારીઓ દુર

July 20, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In