Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

નિયમિત કરો આ શાકભાજીનુ સેવન ક્યારેય નહિ ઓછી થાય આંખોની દ્રષ્ટી

Team GurjarBhumi by Team GurjarBhumi
August 28, 2021
0
નિયમિત કરો આ શાકભાજીનુ સેવન ક્યારેય નહિ ઓછી થાય આંખોની દ્રષ્ટી
0
SHARES
795
VIEWS
Share on FacebookShare on Twitter

આપણે સૌને ખબર છે કે લીલોતરી શાકભાજીના સેવન કરવાથી આપણી આંખો સારી રહે છે, આજનાં આ આર્ટીકલમાં અમે લીલોતરી શાકભાજી પાલકના સેવનથી થતા ફાયદા વિષે જાણવાના છીએ. પાલકનું સેવન કરવાથી આંખોની દ્રષ્ટી સારી રહેવાની સાથે આપણું શરીર પણ તંદુરસ્ત રહે છે. આંખોની રોશનીની સાથે પાલકના સેવનથી શરીરનું બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. પાલકમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફાયબર અને વિટામીન-A, વિટામીન-C અને વિટામીન-K હોય છે. પાલકનું સેવન કરવાથી આંખોની દ્રષ્ટીથી માંડીને શરીરની ઘણી બધી બીમારીઓ દુર થાય છે. પાલકમાં રહેલા બીટા કેરોટીન અને પોષકતત્વોના કારણે સાંધાની બીમારીઓ સામે રક્ષણ આપે છે. પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબુત થાય છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

સામાન્ય રીતે ડોક્ટર પણ સૌને લીલોતરી શાકભાજીનું સેવન કરવાનું કહે છે, જેથી આપણી આંખો અને આપણા શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે. માટે જ પાલકનું સેવન કરવું અત્યંત જરૂરી છે. પાલકના સેવનની વાત કરીએ તો તેનું સેવન આપણે સીધું પણ કરી શકીએ છીએ. ઘણા લોકો પાલકનું જ્યુસ બનાવીને પીવે છે, અને ઘણા લોકો તેનું શાક અથવા ભાજી બનાવીને પણ સેવન કરે છે. ચાલો જાણીએ પાલકનું સેવન કરવાથી થતા ફાયદા વિષે. (Benefits of Eating Spinach)

આંખો માટે : પાલકમાં વિટામીન-A ભરપુર માત્રામાં હોય છે, જે આપણી આંખો માટે ખુબ જ ફાયદાકારક છે. પાલકના સૂપનું સેવન કરવાથી આંખોની દ્રષ્ટી સારી રહે છે. કોથમીરનું સેવન કરવાથી પણ આંખોની દ્રષ્ટી સારી રહે અને આંખોના નંબર પણ દુર થાય છે.

લોહીની ઉણપ દુર કરવા : પાલકનું સેવન કરવાથી લોહીની ઉણપ દુર કરી શકાય છે, જે લોકોને લોહીની ઉણપ હોય તેમને પાલકનું સેવન જરૂર કરવું જોઈએ કારણ કે પાલકમાં આયર્નનું પ્રમાણ સારી માત્રામાં હોય છે જે લોહી બનવાની પ્રક્રિયામાં મદદ કરે છે.

રોગપ્રતિકાર ક્ષમતા મજબુત કરે : પાલકમાં પુરતા પ્રમાણમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે આપણા શરીરની ઈમ્યુંનીટી સિસ્ટમને સ્વસ્થ અને મજબુત બનવવામાં મદદ કરે છે. પાલકનું સેવન કરવાથી રોગપ્રતિકાર ક્ષમતા મજબુત બનાવી શકાય છે.

ADVERTISEMENT

હાડકા મજબુત કરે : પાલકમાં કેલ્શિયમનું પ્રમાણ સારું એવું હોય છે, આપણે જાણીએ છીએ કે આપણા હાડકા મજબુત બનાવવા માટે કેલ્શિયમ ખુબ જ જરૂરી છે. આપણે હાડકા મજબુત કરવા માટે દૂધનું સેવન કરીએ છીએ, પરંતુ પાલક પણ એક કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. માટે પાલકનું સેવન કરવાથી શરીરના હાડકા મજબુત થાય છે.

બ્લડપ્રેશર : હાઈ બ્લડપ્રેશરની સમસ્યામ પાલક ફાયદાકારક છે, પાલકનું સેવન કરવાથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યા દુર થાય છે અને શરીરને હાર્ટ એટેક અને હાર્ટની બીમારીઓથી બચાવે છે.

ત્વચા માટે : પાલકમાં ઘણા બધા પોષકતત્વો હોય છે જે આપણી સ્કીન માટે ખુબ જ જરૂરી છે. પલકના સેવનથી અપની સ્કીન ફ્રેશ અને ગોરી રહે છે.

થાક દુર કરે : પાલકનું સેવનથી કરવાથી શરીરની એનેર્જી જળવાઈ રહે છે. જો તમે કોઈ બળનું કામ કરો છો અને તમારા શરીરની ઉર્જાનો વપરાશ વધારે થાય છે ત્યારે પાલકમાં રહેલુ મેગ્નેશિયમ શરીરને ઉર્જા પૂરી પાડે છે અને શરીરને એનેર્જેટીક રાખે છે, જેથી શરીરને થાક લાગશે નહી.

વાળ માટે : પલકનું સેવન કરવાથી વાળ ખરતા અટકાવી શકાય છે. જે લોકો વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે તેને આહારમાં નિયમિત પાલકનું સેવન કરવું જોઈએ. કારણ કે પાલકમાં આયર્ન પુરતા પ્રમાણમાં હોય છે જે વાળને ખરતા અટકાવે છે.

વજન ઘટાડવા : પાલકનું સેવન કરવાથી શરીરનું વજન ઓછુ કરી શકાય છે. પાલકમાં સારી માત્રામાં ફાયબર હોય છે અને ઓછા પ્રમાણમાં ફેટ અને કેલેરી હોય છે, માટે પાલકનું સેવન કરવાથી શરીરનું વજન ઘટાડી શકાય છે.

પાચન માટે : પાલકનું નિયમિત સલાડમાં સેવન કરવાથી પાચનતંત્ર મજબુત બને છે. પાલકનું સેવન કરવાથી શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. માટે પાલક પાચનતંત્ર માટે ફાયદાકારક છે. પાલકનું સેવન યોગ્ય માત્રામાં કરવાથી ખુબ જ ફાયદો થાય છે, પરંતુ જયારે વધારે સેવનથી ક્યારેક ગેસ જેવી સમસ્યા પેદા થાય છે. માટે યોગ્ય માત્રામાં પાલકનું સેવન કરવું ખુબ જ જરૂરી છે.

આમ, પાલક ખુબ જ ઉપયોગી શાકભાજી છે. તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે પાલકનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા જરૂર વિનતી.

નોંધ : આ આર્ટીકલમાં જણાવેલ માહિતી ફક્તને ફક્ત શેક્ષણિક હેતુ માટે આપવામાં આવી છે. આ આયુર્વેદ ટીપ્સ તથા નુસખા દરેકની તાસીર અનુસાર કામ કરતી હોય છે, માટે કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટર અથવા વૈધની સલાહ અવશ્ય લેવી જરૂરી છે.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર share કરવા વિનતી.

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
શરદી, કફ અને ઉધરસની સમસ્યામાં રામબાણ ઈલાજ છે હળદર, જાણો હળદરના સેવનથી થતા ફાયદા વિષે

શરદી, કફ અને ઉધરસની સમસ્યામાં રામબાણ ઈલાજ છે હળદર, જાણો હળદરના સેવનથી થતા ફાયદા વિષે

90 ટકા લોકો નથી જાણતા આ વસ્તુનું સેવન કરવાથી થતા ફાયદા વિષે, બદામ કરતા પણ 10 ગણું છે શક્તિશાળી, જાણો તેના સેવનથી થતા ફાયદા વિષે

90 ટકા લોકો નથી જાણતા આ વસ્તુનું સેવન કરવાથી થતા ફાયદા વિષે, બદામ કરતા પણ 10 ગણું છે શક્તિશાળી, જાણો તેના સેવનથી થતા ફાયદા વિષે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઘરની આસપાસ જોવા મળતું આ ફૂલ છે જડીબુટ્ટી સમાન, 10થી વધુ બીમારીને કરશે ગાયબ

ઘરની આસપાસ જોવા મળતું આ ફૂલ છે જડીબુટ્ટી સમાન, 10થી વધુ બીમારીને કરશે ગાયબ

July 30, 2021
સાપના ઝેરને પણ નિષ્ક્રિય કરનારી અને બીજા અનેક રોગમાં ઉપયોગી છે આ વનસ્પતિ

સાપના ઝેરને પણ નિષ્ક્રિય કરનારી અને બીજા અનેક રોગમાં ઉપયોગી છે આ વનસ્પતિ

July 16, 2021
અનેક રોગોનો અકસીર ઈલાજ છે આ ઔષધી, જાણો તેના અમૃત સમાન ગુણો વિષે

અનેક રોગોનો અકસીર ઈલાજ છે આ ઔષધી, જાણો તેના અમૃત સમાન ગુણો વિષે

July 9, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In