Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

શક્તિનું પ્રતિક મનાતું આ ચૂર્ણ છે 30થી વધુ રોગોનો રામબાણ ઈલાજ

Team GurjarBhumi by Team GurjarBhumi
July 7, 2021
0
શક્તિનું પ્રતિક મનાતું આ ચૂર્ણ છે 30થી વધુ રોગોનો રામબાણ ઈલાજ
0
SHARES
899
VIEWS
Share on FacebookShare on Twitter

સુંઠને શક્તિનું પ્રતિક મનાતું હોવાથી આયુર્વેદમાં આગવું સ્થાન ઘરાવે છે. સુંઠનો શાબ્દીક અર્થ જ થાય છે શુદ્ધિ કરનાર. સુંઠ એટલે સુકાયેલા આદુનો પાઉડર, તેને સુંઠ તરીકે ઓળખવામાં આવે છે. આદુને સુકવીને તેમાંથી સુંઠ બનાવવામાં આવે છે. સુકા આદુમાં આયર્ન, કેલ્શિયમ, ફાયબર, સોડીયમ, વિટામીન-A, C અને ફેટી એસીડ ભરપૂર માત્રામાં હોય છે. સુંઠનું સેવન શિયાળામાં તો ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચરકસંહિતામાં પણ સુંઠના ઉપાયો વિષે લખ્યું છે. સુશ્રુંતસંહિતામાં લખ્યું છે કે સુંઠનો ઉપયોગ કફ, વાયુ, વીર્ય વધારવા માટે ઉપયોગી છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

આયુર્વેદમાં સુંઠ, ગળો, આમળાં અને હરડે આ ચારેય ઔષધીને અમૃત સમાન માનવામાં આવે છે. આપણે ત્યાં જયારે બળવાનો વચ્ચે લડાઈ થાય ત્યારે એક પડકાર ફેકવામાં આવે છે કે “કોની માં એ સવાશેર સુંઠ ખાધી છે”, તેનો મતલબ એ કે જે સ્ત્રીએ સુવાવડ બાદ સુંઠનું સેવન કરે તેનું દૂધ પીનારું બાળક ખુબ જ બળવાન બને છે, ચાલો તો જાણીએ સુંઠ ખાવાથી થતા ચમત્કારિક ફાયદા વિષે. (Benefits of Ginger Powder)

રોગપ્રતિકારક ક્ષમતા મજબુત કરે : આદુ રોગપ્રતિકારક ક્ષમતા મજબુત બનાવવા ઉપયોગી છે તેમજ સુંઠ પણ ફાયદાકારક છે. આદુમાં કર્ફ્યૂમિના અને કેપ્સાઈસીન એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે રોગપ્રતિકારક ક્ષમતા મજબુત કરવામાં મદદ કરે છે. સુંઠને રોગપ્રતિકારક ક્ષમતા મજબુત બનાવવા માટે ઉત્તમ ઔષધ માનવામાં આવે છે.

શરદી માટે : સુંઠનો ઉપયોગ શરદીના ઘરેલુ ઉપચાર માટે કરવામાં આવે છે. સુંઠ, તજ અને સાકરનો ગરમ કરીને ઉકાળો પીવાથી શરદીમાં રાહત મળે છે. સુંઠ અથવા આદુ વાળી ચા પીવાથી પણ શરદીમાં ઝડપથી રાહત થાય છે. અડધી ચમચી સુંઠ, એક ચમચી જેટલો ગોળ અને એક ચમચી ગાયનું ધી મિશ્ર કરી નાની નાની ગોળીઓ બનાવો, આ ગોળીઓને સવારે નિયમિત ખાલી પેટ ચાવીને ખાવાથી શરદી, દમ, ઉધરસ અને એલર્જી દુર થાય છે, તથા ભૂખ સારી લાગે અને કફ છુટો પડી જાય છે.

માથાના દુખાવા માટે  : માથાના દુખાવામાં પણ સુંઠ ઉપયોગી સાબિત થાય છે. વધારે પડતા તાણના કારણે માથાનો દુખાવો શરુ થાય છે. માથાનો દુખાવામાં રાહત મેળવવા સુંઠનો ઘરેલું ઉપચાર તરીકે ઉપયોગ કરી શકાય છે. સુંઠ માથાના કોષોમાં થતો સોજો ઘટાડવામાં મદદ કરે છે અને માથાના દુખાવામાં રાહત આપે છે. સુંઠને પાણીમાં ઘસી માથા પર લાગવાથી આધાશીશીમાં રાહત થાય છે.

ADVERTISEMENT

સાંધાના દુખાવામાં : સુંઠના ઉપયોગથી સાંધાના દુખાવામાં ફાયદો થાય છે. સુંઠ અને જાયફળના પાઉડરને તલના તેલમાં મિક્સ કરો, ત્યારબાદ એક સ્વચ્છ કપડું લઇ તેને આ મિશ્રણમાં પલાળી સાંધાના દુખાવા પર લગાવાથી દુખાવામાં રાહત મળે છે.

પેટની સમસ્યા માટે : સુંઠના સેવનથી પેટ સંબધિત સમસ્યામાં રાહત મળે છે. પેટમાં થતી બળતરા, દુખાવો, કબજિયાત જેવી સમસ્યામાં માટે સુંઠના ફાયદા સૌથી અસરકારક માનવામાં આવે છે. સુંઠ પેટમાં થતી બળતરા દુર કરે છે, સુંઠમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે પેટની બળતરા દુર કરવામાં રાહત આપે છે. કબજિયાત માટે પણ સુંઠ ઉપયોગી થાય છે, કબજીયાત અને પેટના દુખાવામાં દૂધમાં સુંઠ નાખી સેવન કરવાથી રાહત થાય છે.

ગર્ભાવસ્થા : સુંઠના ફાયદા ગર્ભાવસ્થા દરમિયાન પણ જાણીતા છે. સગર્ભા સ્ત્રીઓને સવારે ઉઠતા જ ઉલ્ટી અથવા ઉબકા થાય છે. આ સમયગાળા દરમિયાન પ્રાચીન કાળથી સુંઠનું સેવન કરવામાં આવે છે. સૂંઠને પાણી સાથે પણ પી શકાય છે. આમ કરવાથી ઉલ્ટી ઉબકા ઓછુ થાય છે અને પેટ સ્વસ્થ રહે છે. પ્રસુતિ પછીની અશક્તિમા ઘઉંના લોટના શીરામાં સુંઠ નાખીને ખાવાથી અશક્તિ દુર થાય છે.

પાચન માટે : સુંઠમાં ફાયબર ભરપુર માત્રામાં હોય છે, જે પાચન ક્રિયામાં સુધારો કરે છે અને કબજિયાત જેવી પાચનસંબધિત બીમારીઓમાં રાહત આપે છે.

તાવ : તાવને દુર કરવા માટે પણ સુંઠ ઉપયોગી છે, સુંઠ અને મધને મિક્સ કરીને ચાટવાથી શરીરનું તાપમાન વધે છે અને પરસેવો વધારે આવે છે. તેનાથી તાવ માં રાહત થાય છે. જો તાવ વધારે લાગે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

વજન ઘટાડવા માટે : સુંઠનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે. ગરમ પાણીમાં સુંઠ નાખીને સેવન કરવાથી વધારાની ચરબી બર્ન થઇ જાય છે. આમ કરવાથી વજનમાં ઘટાડો કરી શકાય છે.

હેડકી દુર કરવા માટે : સતત હેડકી આવવી અને બંધ ન થવી તેના માટે સુંઠ અને દૂધને ઉકાળીને ઠંડુ કરી પીવાથી હેડકી આવવાનું બંધ થઇ જાય છે. માટે હેડકી આવવી અને બંધ ન થાય તેવી સમસ્યામાં પણ સુંઠ ઉપયોગી છે.

મિત્રો, સુંઠ એ ખુબ જ ઉપયોગી ઔષધ છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓમાં રાહત મેળવી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
શું રસી લીધા બાદ પણ લાગી શકે છે કોરોનાનું સંક્રમણ? જાણો શું છે કહે છે આ અહેવાલ

શું રસી લીધા બાદ પણ લાગી શકે છે કોરોનાનું સંક્રમણ? જાણો શું છે કહે છે આ અહેવાલ

શું તમને પણ ગરમીમાં સુકી ખાંસી અને શરદીની તકલીફ છે? તો આ ઘરેલુ ઉપચારની મદદથી કરો હંમેશા માટે દૂર

શું તમને પણ ગરમીમાં સુકી ખાંસી અને શરદીની તકલીફ છે? તો આ ઘરેલુ ઉપચારની મદદથી કરો હંમેશા માટે દૂર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શરીરમાં થતું કળતરને દુર કરવાના આયુર્વેદિક ઈલાજ

શરીરમાં થતું કળતરને દુર કરવાના આયુર્વેદિક ઈલાજ

July 9, 2021
વગર ખર્ચે રસોડાની આ વસ્તુથી કરો છાતીમાં જામેલા કફનો સફાયો

વગર ખર્ચે રસોડાની આ વસ્તુથી કરો છાતીમાં જામેલા કફનો સફાયો

July 12, 2021
આરોગ્ય માટે કોઈ વરદાનથી કમ નથી આંમળાનો મુરબ્બો, અનેક સમસ્યાથી 100 ટકા અપાવશે છુટકારો

આરોગ્ય માટે કોઈ વરદાનથી કમ નથી આંમળાનો મુરબ્બો, અનેક સમસ્યાથી 100 ટકા અપાવશે છુટકારો

May 7, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In