Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

જાણો ગરમીની સિઝનમાં તરબૂચ ખાવાના ફાયદા અને નુકશાન વિષે

Team GurjarBhumi by Team GurjarBhumi
April 14, 2021
0
જાણો ગરમીની સિઝનમાં તરબૂચ ખાવાના ફાયદા અને નુકશાન વિષે
0
SHARES
535
VIEWS
Share on FacebookShare on Twitter

ગરમીની શરૂઆત થતા જ બજારમાં તરબૂચ જોવા મળે છે. ગરમીમાં આપણા શરીરમાં પાણીની માત્ર ઓછી થાય છે. તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. તરબૂચ એક એવું ફળ છે જેમાં પાણીની માત્ર ખુબ જ વધારે હોય છે, માટે જ ગરમીની સીજનમાં તરબૂચ ખાવાથી શરીમાં પાણીની માત્ર જળવાઈ રહે છે અને શરીરને ઠંડક પણ મળે છે. તરબૂચ અનેક બીમારીઓમાં ફાયદાકારક છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

તરબૂચ ઉનાળામાં જોવા મળતું ફળ છે. તરબૂચ શરીરને હાઇડ્રેઇટ રાખે છે. સ્વાદિષ્ટ અને મીઠા તરબૂચમાં લાઈકોપિન, એન્ટીઓક્સીડન્ટ અને ભરપુર માત્રામાં વિટામીન -A, વિટામીન- C અને વિટામીન-B6 હોય છે. તરબૂચ એ એક એવું ફળ છે જે ફેટ ફ્રી અને હાઇડ્રેઇટીંગ છે, સાથે જ શરીરમાં લોહીની ઉણપ દૂર કરે તથા આંખો અને વાળનું રક્ષણ કરે છે.

ચાલો જાણીએ તરબૂચ ખાવાના ફાયદા – Benefits of Eating Watermelon

પથરી દુર કરવા : જે લોકોને પથરીની સમસ્યા હોય તેને તરબૂચ ખાવું જોઈએ. તરબુચમાં ભરપુર માત્રામાં પોટેશિયમ હોય છે જે કીડની માટે ખુબ ઉપયોગી હોય છે. પોટેશિયમ યુરીનમાં એસિડની માત્રા સંતુલિત રાખે છે. તરબુચમાં પોટેશિયમ સાથે પાણી પણ ભરપુર હોય છે. તે પથરીના ટુકડાને ગાળીને બહાર કાઢે છે.

ADVERTISEMENT

ડિહાઇડ્રેશનથી બચાવે : ગરમીની સીજનમાં તરબૂચ ખાવું ખુબ જ ફાયદાકારક છે. વધારે પડતી ગરમીમાં ક્યારેક શરીરમાં પાણીની માત્ર ઓછી થવાથી ડિહાઇડ્રેશન થાય છે તેવી સ્થિતિમાં તરબૂચ ખાવાથી શરીરમાં પાણીની માત્રા જાળવી શકાય છે, અને શરીરમાં ઉર્જા મળે છે. ગરમીમાં ઘરની બહાર નીકળતા પહેલા તરબૂચ ખાવાથી ડિહાઇડ્રેશનથી બચી શકાય છે.

 વાળને મજબુત બનાવે : તરબુચમાં રહેલા પોષકતત્વો વાળની મજબૂતાઈ માટે જાણીતા છે. તરબુચનું સેવન કરવાથી વાળને પોષણ અને મજબૂત બનાવે છે. તેમાં રહેલા આયર્ન અને વિટામીન વાળ માટે મહત્વની ભૂમિકા ભજવે છે.

શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે : તરબુચનું નિયમિતપણે સેવન કરવામાં આવે તો તે શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખે છે જેનાથી હૃદયના રોગોનું જોખમ ઘણું ઓછુ થાય છે. તરબુચમાં ભરપુર માત્રામાં પોટેશિયમ હોય છે જે હૃદય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તરબુચના સેવનથી શરીરમાં લોહીનો પ્રવાહ નિયમિત રહે છે.

વજન ધટાડવા : તરબૂચ એક એવું ફળ છે જે ફેટ ફ્રી છે. જો તમે વજન ધટાડતા ફળની શોધમાં હોવ તો તરબૂચ ખુબ જ અસરકારક છે. તરબુચમાં મળતું સિટ્રલલાઇન ચરબીની કોશીકાનું નિર્માણ ઓછુ કરવા માટે જવાબદાર છે. માટે વજન ધટાડતા લોકોએ તરબુચનું સેવન કરવું તથા પોતાના ડાયટ પ્લાનમાં પણ ઉમેરવું જોઈએ.

ચામડી માટે : તરબુચમાં મળતા વિટામીન -A, વિટામીન- C અને એન્ટીઓક્સીડન્ટ ચામડીને પોષણ પૂરું પડે છે. તરબુચમાં મળતી ભરપુર પાણીની માત્રા ચામડીને હાઇડ્રેઇટ રાખે છે અને નરમ બનાવે છે. તમે તરબુચનો ફેસમાસ્ક બનાવીને ચેહરા પર રાખી શકો જેનાથી તમારી ચામડી નરમ રહે છે.

કબજીયાત અને ગેસ : કબજીયાત અને ગેસ જેવી સમસ્યાઓમાં તરબૂચ ઉપયોગી સાબિત થાય છે. તરબુચના સેવનથી પેટ સાફ રહે છે અને પાચનક્રિયા સુધારે છે, જે તમને ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓથી મુક્તિ અપાવે છે.

લુ થી બચાવે : ગરમીની સીજનમાં લૂ લાગવાની સમસ્યા થાય છે, આ સમસ્યામાં તરબૂચ ખાવાની સલાહ આપવામાં આવે છે. તરબુચમાં પાણીની માત્રા ખુબ જ હોવાથી લૂ લાગવાની સમસ્યાથી બચાવે છે.

તરબૂચ ખાવાના નુકશાન : Disadvantages of Eating Watermelon

તરબૂચમાં લાઈકોપિન હોય છે જે શરીર માટે ખુબ જ ઉપયોચી છે પરંતુ તરબુચના વધારે સેવનથી સાઈડ ઈફેક્ટ કરે છે, જેમ લાઈકોપિનના ઓવર ડોજથી ઉબકા, ઉલ્ટી, અપચો, જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે.

તરબૂચ ખાવાથી લુ અને ગરમીમાં રાહત મળે છે પરંતુ વધારે પડતા સેવન થી નુકશાન કારક પણ સાબિત થાય છે. વધારે તરબુચના સેવનથી નસો, હૃદય અને માંસપેશીઓમાં સબંધિત સમસ્યા ઉત્પન્ન થાય છે.

આમ, તરબૂચ ખુબ જ ઉપયોગી ફળ છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ જેવી કે લોહીનાશુદ્ધિકરણ, અસ્થમા, ડાયાબિટીસ, પાચનક્રિયાની સમસ્યાઓને ઠીક કરે છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે તરબૂચનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
ચાનો રસપ્રદ ઈતિહાસ અને ચા પીવાથી થતા ફાયદા અને નુકશાન

ચાનો રસપ્રદ ઈતિહાસ અને ચા પીવાથી થતા ફાયદા અને નુકશાન

શરીર પર થતી અણગમતી રુંવાટી કે વાળ માંથી કાયમી છુટકારો મેળવાના આયુર્વેદિક ઉપચાર

શરીર પર થતી અણગમતી રુંવાટી કે વાળ માંથી કાયમી છુટકારો મેળવાના આયુર્વેદિક ઉપચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કેળા ખાવાથી થતા ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ, જાણો કેળા ખાવાની રીત અને તેનાથી  થતા ફાયદા  વિષે

કેળા ખાવાથી થતા ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ, જાણો કેળા ખાવાની રીત અને તેનાથી  થતા ફાયદા  વિષે

July 26, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
ડાયાબીટીસના રોગમાં અમૃત સમાન મનાય છે આ શાકભાજીના ગુણો

ડાયાબીટીસના રોગમાં અમૃત સમાન મનાય છે આ શાકભાજીના ગુણો

July 14, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In