Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

દરરોજ માત્ર એક ચમચી આ પાનનો રસ પીવાથી દુર થાય છે 20થી વધુ બીમારીઓ

Team GurjarBhumi by Team GurjarBhumi
July 16, 2021
0
દરરોજ માત્ર એક ચમચી આ પાનનો રસ પીવાથી દુર થાય છે 20થી વધુ બીમારીઓ
0
SHARES
7.4k
VIEWS
Share on FacebookShare on Twitter

ઘણા રોગોની સારવાર ફક્ત દવાઓથી જ નથી થતી, પરંતુ કેટલીક ઔષધિઓ આપણને સ્વસ્થ રાખી શકે છે. આમાંથી એક ઔષધિ છે અગથીયોના પાંદડા. આ પાંદડા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, જે આપણે અનેક રોગોથી બચાવવા માટે મદદરૂપ બને છે. માટે આપણે આપણા રોજિંદા જીવનમાં નિયમિત રીતે અગથીયાના પાંદડા શામેલ કરવા જોઈએ, કારણ કે અગથીયાના પાંદડા પરંપરાગત રીતે આયુર્વેદિક દવાઓમાં પણ વપરાય છે. અગથીયોના પાનનો ઉપયોગ ઘરે બેઠાં જુદી જુદી રીતે કરી શકીએ છીએ. જેમ કે જ્યારે આપણે ભોજન બનાવી છીએ અથવા ઉકાળો બનાવતી વખતે આ પાંદડા તેમાં નાંખી શકાય છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

અગથીયાના આયુર્વેદીક ફાયદાની વાત કરીએ તો તે અગણિત છે જેમ કે અગથીયો ભુખ લગાડનાર, ઠંડો, મધુર અને કડવો તેમજ ત્રીદોષનાશક છે. તે ઉધરસ, દમ, થાક, ગડગુમડ, સોજા અને કોઢ મટાડે છે. તેનાં ફુલ જુની શરદી અને વાતરક્ત મટાડનાર છે. તેની શીંગો બુદ્ધીવર્ધક, સ્મૃતીવર્ધક તથા સ્વાદમાં મધુર હોય છે. એનાં પાનની ભાજી તીખી, કડવી તથા કૃમી, કફ અને ખંજવાળ મટાડે છે. એનાં ફુલ કડવાં, તુરાં, થોડાં શીતળ અને વાયુ કરનાર છે. અગથીયો સળેખમ અને રતાંધળાપણું દુર કરે છે.

અગથીયાનું ઝાડ એક એવી જડી બુટ્ટી છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તેના ફૂલોથી અનેક પ્રકારની વાનગી બનાવવામાં આવે છે. લોકો તેના ફૂલોથી શાકભજી, પકોડા, અથાણું, ગુલકંદ વગેરે બનાવે છે. મોટાભાગના લોકોને અગથીયાની આટલી જ જાણકારી હોય છે. પરંતુ શું તમને ખબર છે કે બીમારીઓની સારવારમાં પણ અગથીયાના ફાયદા મળે છે. અગથીયાના પાંદડા સ્વાદુપિંડના ક્ષતિગ્રસ્ત (સ્વાદુપિંડનો રોગ એટલે કે પેનક્રિયાટાઇટિસ, એક એવી સ્થિતિ છે જેમાં પેટમાં તીવ્ર દુખાવો કરી શકે છે) કોશિકાને સુધારે છે અને કોલેસ્ટ્રોલ, બ્લડ શુગરને વધતા અટકાવે છે.

અગથીયાના પાન અથવા ફળ સપાટ, લાંબા, પાતળા લીલા ફળ જેવા દેખાય છે. આપણે અગથીયાના ઝાડના લગભગ તમામ અંગો ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે આ ડાયરિયા, માઇક્રોબિયલ સંક્રમણ અને સોજોને લગતા રોગોના ઈલાજમાં ફાયદાકારક છે. સાથે જ તેનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિ માટે પણ કરવામાં આવે છે. જો તમારા શરીરને વિટામીન-A, કેલ્શિયમ અને ફોસ્ફોરસની જરૂર છે તો તેના માટે અગથીયાના પાન એક સારો સ્ત્રોત છે. ચાલો જાણીએ કે કઈ બીમારીની સારવારમાં અગથીયાના પાન ફાયદાકારક છે. અંતે શું છે આ અગથીયાના પાન અને આ કેવી રીતે આપણ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

ADVERTISEMENT

તાવ : આજકાલ આ ઋતુમાં તાવ ખૂબ વધારે ફેલાય છે. જો તાવ હવામાનના પરિવર્તનને કારણે અથવા કોઈ અન્ય ચેપને કારણે થયો હોય તો તેનાથી રાહત આપવામાં અગથીયાના પાન ખૂબ ફાયદાકારક છે. તેના પાનનો રસ તાવને મૂળમાંથી ખતમ કરે છે.

માથાનો દુખાવો : માથાના દુખાવામાં અગથીયાના પાનાનો રસ ખુબ જ ફાયદાકારક છે, માથાના દુખાવામાં અગથીયાના પાન અથવા તેના ફૂલનો રસ 2-3 ટીપા માથાની વિરુદ્ધ બાજુના નાકમાં નાખવાથી આધાશીશીમાં ફાયદો થાય છે. તેના ઉપયોગથી માથાના દુખાવામાં અને આધાશીશીમાં રાહત થાય છે.

શરદી-ઉધરસ : મોસમ બદલતા નાનાથી લઈ મોટા સૌ કોઈ લોકોને શરદી-ઉધરસની ફરિયાદ રહે છે. અગથીયાના મૂળ તથા પાનના ઉકાળામાં મધ મિક્સ કરીને પીવાથી શરદી-ઉધરસ જેવી સમસ્યાથી આરામ મળે છે.

કેન્સરને રોકવામાં મદદગાર : અગથીયાના પાંદડા કેન્સર સામે રક્ષણ આપે છે, કારણ કે તેમાં શક્તિશાળી એન્ટી ઓક્સીડન્ટ હોય છે. આ સિવાય અગથીયાના ફૂલો ફેફસાના કેન્સર સામે રક્ષણ આપે છે અને કોલોન કેન્સરની સારવારમાં મદદ કરે છે.

ડાયાબિટીસ નિયંત્રણ કરે : અગથીયાના પાંદડા સ્વાદુપિંડના ક્ષતિગ્રસ્ત કોષોને સુધારે છે અને બ્લડ શુગરને વધતા અટકાવે છે. આ સિવાય આ પાંદડા કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિઇસરાઇડનું સ્તર ઓછું કરે છે અને લિપિડ પ્રોફાઇલને કંટ્રોલ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે : અગથીયાના પાનમાં પાવરફુલ એન્ટી ઓક્સીડન્ટ જોવા મળે છે. અગથીયાના પાંદડા ખાવાથી લોહીમાં ઝીંક, સેલેનિયમ અને મેગ્નેશિયમનું સ્તર વધે છે અને ગ્લુટાથિયોન, રીડક્ટેસ, ગ્લૂટાથિયોન એસ ટ્રાન્સફેરેઝ જેવા હાનિકારક સંયોજનો ઘટાડે છે. અગથીયાના પાંદડાનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઘણી મદદ કરે છે.

સાંધાના દુખાવામાં : સાંધાના દુખાવામાં અગથીયાના પાનનું સેવન કરવાથી રાહત થાય છે. અગથીયાના મૂળ અને ધતુરાના મૂળને સરખે ભાગે લઇ તેને દુખાવા વાળા ભાગ પર બાંધવાથી સાંધાના દુખાવાની પીડામાં રાહત મળે છે.

હાડકાંને મજબૂત બનાવે : અગથીયાનાં પાંદડાઓમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ, આયર્ન અને વિટામિન જોવા મળે છે. આ તમામ ખનીજો હાડકાંને મજબૂત બનાવે છે અને વૃદ્ધ લોકોમાં સંધિવા અને ઓસ્ટિયોપોરોસિજિસનું જોખમ ઘટાડે છે. દરરોજ અગથીયાના પાંદડાઓનું સેવન કરવાથી હાડકાંની મિનરલ ડેન્સિટીમાં સુધારો થાય છે.

આ રીતે કરો અગથીયાના પાનનો ઉપયોગ

તમે તેનો ઉપયોગ શાકભાજી બનાવીને અથવા કોઈપણ અન્ય શાકભાજી સાથે ભળીને કરી શકો છો. ઉપરાંત તમે ઉકાળો અથવા અગથીયાના પાંદડાઓનો રસ પી શકો છો. તેથી હવે તમારે દરેક નાની બીમારી માટે દવા લેવાની જરૂર નથી પડે. તમે આ રીતે અગથીયાના પાંદડાનો ઉપયોગ કરી શકો છો, જે તમને સ્વાસ્થ્યની સાથે સાથે અનેક બીમારીઓથી બચાવે છે.

આમ, અગથીયાના પાનનો ઉપયોગ કરવાથી ઘણી બધી બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે અગથીયાના પાનનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
આ સાવ સામાન્ય લાગતા બીજનો માત્ર આ રીતે ઉપયોગ કરવાથી દાંતનો દુખાવો, હૃદયરોગ અને આંખના રોગને રાખશે દૂર

આ સાવ સામાન્ય લાગતા બીજનો માત્ર આ રીતે ઉપયોગ કરવાથી દાંતનો દુખાવો, હૃદયરોગ અને આંખના રોગને રાખશે દૂર

ભોજન કર્યા પછી માત્ર એક ચમચી આ વસ્તુના સેવનથી શરીરની અનેક બીમારી થશે ગાયબ

ભોજન કર્યા પછી માત્ર એક ચમચી આ વસ્તુના સેવનથી શરીરની અનેક બીમારી થશે ગાયબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

100થી વધુ બીમારીઓનો અકસીર ઈલાજ છે આ ધરતી પરની સંજીવની

100થી વધુ બીમારીઓનો અકસીર ઈલાજ છે આ ધરતી પરની સંજીવની

August 21, 2021
આ સાવ સામાન્ય લાગતા બીજનો માત્ર આ રીતે ઉપયોગ કરવાથી દાંતનો દુખાવો, હૃદયરોગ અને આંખના રોગને રાખશે દૂર

આ સાવ સામાન્ય લાગતા બીજનો માત્ર આ રીતે ઉપયોગ કરવાથી દાંતનો દુખાવો, હૃદયરોગ અને આંખના રોગને રાખશે દૂર

July 17, 2021
પેટની સમસ્યાનો અકસીર ઈલાજ એટલે આ વનસ્પતિ

પેટની સમસ્યાનો અકસીર ઈલાજ એટલે આ વનસ્પતિ

March 22, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In