ગુર્જર ભૂમિ
No Result
View All Result
  • Login
  • Home
  • આર્યુવેદિક
  • ટૂંકી વાર્તા
  • ન્યુઝ
  • ધાર્મિક
  • ઈતિહાસ
  • પ્રેરણાત્મક
  • Home
  • આર્યુવેદિક
  • ટૂંકી વાર્તા
  • ન્યુઝ
  • ધાર્મિક
  • ઈતિહાસ
  • પ્રેરણાત્મક
No Result
View All Result
ગુર્જર ભૂમિ
No Result
View All Result
Home આર્યુવેદિક

ભોજન કર્યા પછી માત્ર એક ચમચી આ વસ્તુના સેવનથી શરીરની અનેક બીમારી થશે ગાયબ

Team GurjarBhumi by Team GurjarBhumi
July 18, 2021
0
ભોજન કર્યા પછી માત્ર એક ચમચી આ વસ્તુના સેવનથી શરીરની અનેક બીમારી થશે ગાયબ
0
SHARES
9.2k
VIEWS
Share on FacebookShare on Twitter

વરિયાળીનો ઉપયોગ પ્રાચીન કાળથી જ મુખવાસ અને રસોઈમાં કરવામાં આવે છે, તે ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. વરીયાળીનું સેવન જમ્યા બાદ કરવાથી ખોરાકને પચાવવામાં સરળતા રહે છે. વરિયાળી તંતુમય હોય છે, માટે ભોજન કર્યા પછી તેનું સેવન કરવાથી અન્ન નળી સરખી રીતે સાફ થઈ જાય છે અને ભોજન સરળતાથી પચી જાય છે.

RELATED POSTS

ભૂલથી પણ ન ખાશો ઠંડા કે વાસી ખોરાક, શરીરને થઈ શકે છે આ ગંભીર નુકશાન

ગમે તેવો પેટનો દુખાવો હોય માત્ર પાંચ જ મીનીટમાં મટી જશે

હૃદયને રાખવું છે લાંબી ઉંમર સુધી સ્વસ્થ, તો આજથી જ છોડી દો આ 8 ફૂડ્સનું સેવન

વરિયાળીમાં સારા પ્રમાણમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ઝીંક, વિટામીન-K, વિટામીન-E જેવા અનેક ખનીજ તત્વો મળી આવે છે. આર્યુવેદ પ્રમાણે વરિયાળી ત્રિદોષ નાશક હોવાની સાથે બુદ્ઘિવર્ધક અને રૂચિવર્ધક પણ છે. વરિયાળીમાં એવા ઘણા ગુણ છે જેના કારણે અનેક બિમારીઓનો નાશ કરે છે. ચાલો જાણીએ વરીયાળીનું સેવન કરવાથી થતા ફાયદા વિષે. (Health Benefits of Fennel Seeds)

પાચન માટે : વરિયાળીમાં ફાયબરનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે જે પાચનને સારું રાખે છે. વરીયાળીને શેકીને ભોજન પછી નિયમિત મુખવાસ તરીકે ખાવાથી તેમાં રહેલું ફાયબર પાચનને તંદુરસ્ત રાખે છે. ભોજન કર્યા પછી વરિયાળી સાથે સાકર નું સેવન કરવાથી પેટના ઘણા બધા રોગો જેમ કે કબજિયાત, ગેસ, અપચો વગેરે દૂર થઈ જાય છે.

મેમરી પાવર વધારે : વરિયાળી, બદામ અને સાકર સમાન માત્રામાં લઇ તેને પીસીને મિક્સ કરો, આ મિશ્રણને ભોજન બાદ સેવન કરવાથી મેમરી પાવરમાં વધારો થાય છે. એક ચમચી વરીયાળીને ઉકાળી લો અને ત્યારબાદ આ વરીયાળીને દૂધમાં મિક્ષ કરીને સુતા પહેલા પીવાથી સારી ઊંઘ આવે છે.

મોઢાના ચાંદા : મોઢાની ચાંદી પડવા પર વરીયાળીના પાણીથી કોગળા કરવા પર રાહત થાય છે, એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરીયાળી નાખીને ઉકાળી લો, ત્યારબાદ તેમાં થોડી ફટકડી મિક્સ કરીને દિવસમાં 2-3 વાર આ પાણીથી કોગળા કરવાથી મોઢાની ચાંદીમાં રાહત થશે. એક ગ્લાસ પાણીમાં 2 ચમચી વરીયાળી નાખી પાણીને ઉકાળો, ત્યારબાદ તેને ગાળીને પીવાથી ઉલટીમાં રાહત થાય છે.

ADVERTISEMENT

નબળાઈ દુર કરે : વરિયાળીના સેવનથી શરીરની નબળાઈને દુર કરી શકાય છે. વરીયાળી અને સાકર સમાન માત્રામાં લઇ તેને પીસીને સવાર સાંજ એક એક ચમચી લેવાથી શરીરની નબળાઈ દુર થશે.

ચહેરા માટે : વરીયાળી ચહેરા પરના ખીલને દુર કરવા કારગત સાબિત થાય છે, એક ચમચી વરીયાળીને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લો, ઠંડુ પડ્યા બાદ તેને ચહેરા પર લગાવો અને 15 મિનીટ પછી સ્વચ્છ પાણી વડે ચહેરાને ધોઈ લો, આમ કરવાથી ચહેરા પરના ખીલની સમસ્યા દુર થાય છે.

વજન ઘટાડે : વરિયાળીના સેવનથી શરીરમાં વધારાની ચરબીને ઘટાડે છે, દરરોજ અડધી ચમચી વરિયાળીના પાવડરને નવશેકા ગરમ પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી શરીરની ચરબી ઘટે છે અને વજન ઓછુ થાય છે.

મોં ની દુર્ગંધ : વરિયાળીમાં રહેલું એન્ટી બેક્ટેરીયલ તત્વ મોઢાના બેકટેરિયાને ખતમ કરે છે અને મોં ની દુર્ગંધ દુર થાય છે. માટે વરીયાળીનું સેવન કરવાથી મોં ની દુર્ગંધની સમસ્યા દુર થાય છે.

આંખો માટે : વરિયાળીનું સેવન આંખો માટે ફાયદાકારક છે, વરીયાળી અને સાકરને સમાન માત્રામાં લઇ તેનો પાવડર બનાવો, આ પાવડરને સવાર સાંજ પાણી સાથે લેવાથી આંખો તંદુરસ્ત રહે છે.

માથાનો દુખાવો : વરીયાળી, ધાણા અને સાકર સમાન માત્રામાં લઇ તેને પીસીને મિક્સ કરો, ત્યારબાદ આ મિશ્રણને નિયમિત સવાર સાંજ ખાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

ઉધરસ : ઉધરસની સમસ્યામાં વરીયાળી ફાયદાકારક સાબિત થાય છે, એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરીયાળીને ઉકાળી લો અને ત્યારબાદ તેમાં મધ મિક્સ કરીને પીવાથી ઉધરસમાં તરત જ આરામ મળે છે.

એસીડીટી : અડધો ગ્લાસ ઠંડુ દૂધમાં એક ચમચી પીસેલી વરિયાળી અને એક ચપટી એલસી પાવડર તેમજ એક ચમચી ખાંડનું પાવડર નાંખીને પીવાથી પેટમાં ઠંડક મળે છે અને એસિડિટી દૂર થાય છે. છે. જો તમને વારંવાર એસિડિટી ને કારણે ખાટા ઓડકાર આવી રહ્યા છે તો તમારે વરિયાળીને પાણી સાથે ઉકાળીને તેને સાકર સાથે ખાઈ લેવું જોઈએ. તેનાથી તમારી સમસ્યા દૂર થઇ જશે.

સ્કીન માટે : વરિયાળીના સેવનથી લોહી સાફ રહે છે, માટે નિયમિત થોડી વરીયાળી ખાવાથી લોહી સાફ રહે છે અને સ્કીન ગ્લોઈગ કરે છે.

હાથ-પગમાં બળતરા : હાથ-પગમાં બળતરાની સમસ્યામાં વરીયાળી ફાયદાકારક સાબિત થાય છે, થોડી વરીયાળી સાથે સરખા પ્રમાણમાં કોથમીરને વાટીને ગાળી લો, ત્યારબાદ તેમાં સાકર ભેળવીને જમ્યા પછી 4 થી 5 ગ્રામના પ્રમાણમાં સેવન કરવાથી થોડા જ દિવસોમાં આ બળતરામાં રાહત મળે છે.

આમ, નિયમિત વરિયાળીનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે વરિયાળીનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Posts

ભૂલથી પણ ન ખાશો ઠંડા કે વાસી ખોરાક, શરીરને થઈ શકે છે આ ગંભીર નુકશાન
આર્યુવેદિક

ભૂલથી પણ ન ખાશો ઠંડા કે વાસી ખોરાક, શરીરને થઈ શકે છે આ ગંભીર નુકશાન

October 14, 2021
ગમે તેવો પેટનો દુખાવો હોય માત્ર પાંચ જ મીનીટમાં મટી જશે
આર્યુવેદિક

ગમે તેવો પેટનો દુખાવો હોય માત્ર પાંચ જ મીનીટમાં મટી જશે

October 13, 2021
હૃદયને રાખવું છે લાંબી ઉંમર સુધી સ્વસ્થ, તો આજથી જ છોડી દો આ 8 ફૂડ્સનું સેવન
આર્યુવેદિક

હૃદયને રાખવું છે લાંબી ઉંમર સુધી સ્વસ્થ, તો આજથી જ છોડી દો આ 8 ફૂડ્સનું સેવન

October 12, 2021
ઘૂંટણના દુખાવાને દુર કરવા ઘરે જ બનાવો ઘી વગરનો આ લાડુ
આર્યુવેદિક

ઘૂંટણના દુખાવાને દુર કરવા ઘરે જ બનાવો ઘી વગરનો આ લાડુ

October 4, 2021
ચોમાસાની સીજનમાં તમારા પરિવારને ડેન્ગ્યુથી બચાવવા જરૂર આટલું કરો
આર્યુવેદિક

ચોમાસાની સીજનમાં તમારા પરિવારને ડેન્ગ્યુથી બચાવવા જરૂર આટલું કરો

October 3, 2021
કોઇ પણ પ્રકારની દવા વગર હાઈ બ્લડપ્રેશર કંટ્રોલ કરવાના અસરકારક ઘરેલું ઉપાય
આર્યુવેદિક

કોઇ પણ પ્રકારની દવા વગર હાઈ બ્લડપ્રેશર કંટ્રોલ કરવાના અસરકારક ઘરેલું ઉપાય

October 3, 2021
Next Post
આ નાના અમથા ફળના સેવનથી રહેશે અનેક બીમારીઓ દુર

આ નાના અમથા ફળના સેવનથી રહેશે અનેક બીમારીઓ દુર

લીવરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માત્ર કરો આ વસ્તુનું સેવન, 100 ટકા ફાયદો થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement

Recommended Stories

ઘૂંટણના દુખાવાને દુર કરવા ઘરે જ બનાવો ઘી વગરનો આ લાડુ

ઘૂંટણના દુખાવાને દુર કરવા ઘરે જ બનાવો ઘી વગરનો આ લાડુ

October 4, 2021

લીવરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માત્ર કરો આ વસ્તુનું સેવન, 100 ટકા ફાયદો થશે

July 28, 2021
દરરોજ સવારે પીવો આ પાણી, વજન ઘટાડવાથી લઈને શુગર લેવલ કંટ્રોલ સુધીના થશે આ ગજબના ફાયદાઓ

દરરોજ સવારે પીવો આ પાણી, વજન ઘટાડવાથી લઈને શુગર લેવલ કંટ્રોલ સુધીના થશે આ ગજબના ફાયદાઓ

June 20, 2021

Popular Stories

  • લોહી જામી જવાથી સ્વાસ્થ્યને થાય છે આ ગંભીર નુકસાન, લોહીને પાતળુ કરવા અપનાવો આ ઘરેલું ઉપાય

    લોહી જામી જવાથી સ્વાસ્થ્યને થાય છે આ ગંભીર નુકસાન, લોહીને પાતળુ કરવા અપનાવો આ ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
  • કિડનીમાં ખૂબ ઝડપથી પથરી બનાવે છે આ 4 ખરાબમાં ખરાબ આદત

    0 shares
    Share 0 Tweet 0
  • દરરોજ સવારે ખાલી પેટ ખાવ માત્ર બે ત્રણ દાણા આ વસ્તુના, થશે ચમત્કારિક ફાયદા

    0 shares
    Share 0 Tweet 0
  • જો દવાખાનામાં જવું ન હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર કરો આ ફળનું સેવન

    0 shares
    Share 0 Tweet 0
  • ભોજન કર્યા પછી માત્ર એક ચમચી આ વસ્તુના સેવનથી શરીરની અનેક બીમારી થશે ગાયબ

    0 shares
    Share 0 Tweet 0
ગુર્જર ભૂમિ

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા આ મહિલા, દુધના વ્યવસાયમાંથી કરોડોની કરી કમાણી
  • 1500 અનાથ બાળકોની માતા સિંધુતાઈનું નિધન, હૃદયરોગના હુમલાથી દુનિયાને અલવિદા કહ્યું
  • વૈષ્ણોદેવી મંદિરની ઘટના: ઘરે રાહ જોઈ રહેલા આ માસૂમ બાળકોને ક્યાં ખબર હતી કે તેમના પિતા ક્યારેય ઘરે પાછા નહીં ફરે

Categories

  • Business
  • Lifestyle
  • Tech
  • World
  • આર્યુવેદિક
  • ટૂંકી વાર્તા
  • ધાર્મિક
  • ન્યુઝ
  • પ્રેરણાત્મક

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • આર્યુવેદિક
  • ટૂંકી વાર્તા
  • ન્યુઝ
  • ધાર્મિક
  • ઈતિહાસ
  • પ્રેરણાત્મક

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In