Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

સાંજે 5 થી 7 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે સેવન કરજો

Team GurjarBhumi by Team GurjarBhumi
September 12, 2021
0
સાંજે 5 થી 7 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે સેવન કરજો
0
SHARES
7.6k
VIEWS
Share on FacebookShare on Twitter

સુકી દ્રાક્ષની જેમ તેનું પાણી આરોગ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે અને આ પાણીને પીવાથી અનેક રોગોથી છુટકારો મળી શકે છે. દ્રાક્ષમાં વિટામીન-C, કેલ્શિયમ, આયર્ન, મેગ્નીશિયમ, પોટેશિયમ, ફોસ્ફોરસ અને સોડિયમ વગેરે ભરપૂર પ્રમાણમાં હોય છે. જે લોકોને શરીરમાં નબળાઈની ફરિયાદ રહે છે, તેને દ્રાક્ષનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત અન્ય બીમારી થવા પર પણ આ પાણીનું સેવન કરવું કારગર સાબિત થાય છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

આયુર્વેદમાં પણ સુકી દ્રાક્ષને પલાળી તેના પાણીનું સેવન કરવાથી થતા ફાયદા વિષે જણાવવામાં આવ્યું છે. દ્રાક્ષને પાણીમાં પલાળીને સેવન કરવાથી તેમાં રહેલું શુગરનું પ્રમાણ ઓછુ થઇ જાય છે, માટે જ પલાળેલી દ્રાક્ષ અને તેના પાણીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અનુકુળતા અનુસાર સુકી લાલ કે કાળી દ્રાક્ષનો ઉપયોગ કરી શકો છો, ચાલો જાણીએ દ્રાક્ષનું પાણી પીવાથી થતા ફાયદા વિષે. (Health Benefits of Soaked Grapes Water)

લિવરને સ્વસ્થ રાખવા માટે દ્રાક્ષનું પાણી ખૂબ અસરકારક હોય છે. તેને પીવાથી લિવરની કાર્ય ક્ષમતા વધે છે અને લીવરથી જોડાયેલા રોગ દૂર થાય છે. એટલા માટે જે લોકોનું લીવર કામ કરવામાં સક્ષમ હોતું નથી, તે લોકો દ્રાક્ષના પાણીનું સેવન કરી શકે છે.

લોહીને શુદ્ધ કરવામાં પણ દ્રાક્ષનું પાણી મદદગાર માનવામાં આવે છે. તેને પીવાથી શરીરથી ગંદકી બહાર નીકળે છે, અને ચામડીના અનેક રોગો દુર થાય છે. લોહી શુદ્ધ થવાથી ખીલની સમસ્યા નથી થતી અને ત્વચા પર ખીલ નીકળતા બંધ થઈ જાય છે. સુકી દ્રાક્ષમાં પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે તેનું પાણી પીવાથી શરીરમાંથી ટોક્સિક પદાર્થો સરળતાથી બહાર નીકળી જાય છે જેથી કીડની સ્વસ્થ રહે છે.

જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય છે, તેને રોજ એક ગ્લાસ દ્રાક્ષનું પાણી, એક અઠવાડિયા સુધી પીવું જોઈએ. એક અઠવાડિયા સુધી રોજ આ પાણી પીવાથી લોહીની ઉણપ દૂર થઈ જશે અને એનીમિયાનો રોગ દૂર થઈ જશે. વાસ્તવમાં દ્રાક્ષના પાણીમાં વિટામિન્સ હોય છે, જે શરીરમાં લાલ રક્ત કોશિકાઓને વધારે છે. શરીરમાં લાલ રક્ત વધાવાથી એનીમિયાની બીમારી દૂર થઈ જાય છે.

ADVERTISEMENT

હૃદયને નિરોગી રાખવામાં પણ દ્રાક્ષનું પાણી ઉત્તમ હોય છે. તેને પીવાથી હૃદયથી જોડાયેલા રોગથી રક્ષા થાય છે. આ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખે છે. હાઈ બ્લડપ્રેશર અને હાર્ટ રોગોથી રક્ષા પ્રદાન કરે છે. સુકી દ્રાક્ષને પાણીમાં પલાળી તે પાણીના સેવનથી બ્લડપ્રેશરની સમસ્યામાં રાહત થાય છે. સુકી દ્રાક્ષના પાણીના સેવનથી તમને દિવસભરની ઉર્જા પ્રાપ્ત થાય છે, કારણ કે દ્રાક્ષમાં તેમાં ગ્લુકોઝ અને ફ્રુફટોઝનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે.

એસિડિટી થવા પર પોતાની ડાઈટમાં દ્રાક્ષનું પાણી સામેલ કરી લો. દ્રાક્ષનું પાણી પીવાથી ગેસની સમસ્યા દૂર થઈ જાય છે અને પેટમાં એસિડિટી નથી થતી. આ પાણી પીવાથી કિડની પણ સ્વસ્થ રહે છે. આ ઉપરાંત પાચન ક્રિયાને નિરોગી કરવામાં આ પાણી સહાયક સાબિત થાય છે. સુકી દ્રાક્ષમાં રહેલા ફાયબર પેટની સફાઈ કરીને ગેસ જેવી સમયથી છુટકારો અપાવે છે.

આંખોની રોશનીને તેજસ્વી બનાવી રાખવા માટે રોજ દ્રાક્ષનું પાણી ફાયદાકારક છે. રોજ દ્રાક્ષનું પાણી પીવાથી આંખની રોશની તેજસ્વી બની રહે છે અને જેને આંખના નંબર વધું હોય છે તે પણ ઘટી જાય છે. દ્રાક્ષના પાણીના સેવન શરીરનું વજન ઓછુ કરવા પણ મદદરૂપ થાય છે.

દ્રાક્ષમાં કેલ્શિયમનું પ્રમણ હોવાથી તેના પાણીના સેવનથી હાડકા મજબુત થાય છે. હાડકાં નબળા પડવા પર પણ દ્રાક્ષનું પાણી પીવું ફાયદાકારક છે. દ્રાક્ષનું પાણી પીવાથી હાડકાંને મજબૂતી મળે છે અને દાંત પણ તંદુરસ્ત બની રહે છે.

આ રીતે તૈયાર કરો સુકી દ્રાક્ષનું પાણી

સુકી દ્રાક્ષનું પાણી બનાવવું અત્યંત જ સરળ છે. થોડી સુકી લાલ કે કાળી દ્રાક્ષ બંને માંથી ગમે તે ઉપયોગ કરી શકો, સુકી કાળી દ્રાક્ષ હોય તો વધારે સારું. દ્રાક્ષને બરાબર સાફ કરી લો, ત્યારબાદ આ પાણી તૈયાર કરવા માટે એક ગ્લાસ હુંફાળું ગરમ પાણીમાં રાત્રે મુઠ્ઠી ભરીને સુકી લાલ કે કાળી દ્રાક્ષ પલાળી દો. પછી તેને સવારે ઉઠીને ગાળી લો. આ પાણીને નવશેકુ ગરમ કરો અને ત્યારબાદ આ દ્રાક્ષનું પાણી તમે ખાલી પેટ સેવન કરો. આ પલાળેલી દ્રાક્ષનું પણ સેવન કરી શકો છો તે પણ ફાયદાકારક છે.

આમ, દ્રાક્ષનું પાણી ખુબ જ ઉપયોગી ઔષધિ છે. તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓમાં ફાયદો થાય છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે દ્રાક્ષનું પાણીનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર share કરવા વિનતી.

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
પેટને લગતી મોટાભાગની સમસ્યામાં ખાઈ લ્યો આ વસ્તુના બે-ત્રણ પાન ઝડપથી થશે રાહત

પેટને લગતી મોટાભાગની સમસ્યામાં ખાઈ લ્યો આ વસ્તુના બે-ત્રણ પાન ઝડપથી થશે રાહત

ગરમીની સીજનમાં કરો આ ફળોનું સેવન ઘણી બધી બીમારીઓ ભાગશે દુર, જાણો આ ફળોના સેવન કરવાથી થતા ફાયદા વિષે

ગરમીની સીજનમાં કરો આ ફળોનું સેવન ઘણી બધી બીમારીઓ ભાગશે દુર, જાણો આ ફળોના સેવન કરવાથી થતા ફાયદા વિષે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સાપના ઝેરને પણ નિષ્ક્રિય કરનારી અને બીજા અનેક રોગમાં ઉપયોગી છે આ વનસ્પતિ

સાપના ઝેરને પણ નિષ્ક્રિય કરનારી અને બીજા અનેક રોગમાં ઉપયોગી છે આ વનસ્પતિ

July 16, 2021
શરીર પરના અણગમતા મસ્સા અને તલને કાયમ માટે દુર કરશે રસોડાની આ વસ્તુ

શરીર પરના અણગમતા મસ્સા અને તલને કાયમ માટે દુર કરશે રસોડાની આ વસ્તુ

July 6, 2021
આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી ફળ જે ખાવાથી મળે છે 10 સફરજન જેટલા વિટામીન્સ અને ઘણી બીમારીને દૂર રાખવાની તાકાત

આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી ફળ જે ખાવાથી મળે છે 10 સફરજન જેટલા વિટામીન્સ અને ઘણી બીમારીને દૂર રાખવાની તાકાત

June 23, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In