Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

ચહેરા પરના ખીલથી છુટકારો મેળવવાના 10 ઘરેલું ઉપાય

Team GurjarBhumi by Team GurjarBhumi
March 14, 2021
0
Pimple On Face
0
SHARES
824
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો, આપણા શરીરની કોઈને કોઈ સમસ્યાથી પરેશાન હોઈએ છીએ. તેમાંથી એક સમસ્યા છે ચહેરા પરના ખીલ. જયારે તમે યુવાનીમાં પહોંચો ત્યારે આ સમસ્યા થતી હોય છે, અને મોટા ભાગના લોકોને આ સમસ્યાથી ચહેરો ખરાબ થઈ જતો હોય છે. ચહેરા પર ડાઘ વધી જતા હોય છે અને ક્યારેક તો તેમાંથી ગુમડું થઇ જતું હોય છે. તો હવે આપણે જોઈએ આ ખીલ ને કેવી રીતે મટાડી શકાય ? તેના માટે અમે ઘરેલું આસાન હોય તેવા નુસ્ખાઓ બતાવીશું.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

આદુ : આદુનો છૂંદો કરી લો, તેને ૩૦ મીનિટ સુધી ખીલ પર લગાવો.  ત્યારબાદ તેને ગરમ પાણીથી ધોઈ લો. આવી રીતે દરરોજ કરવાથી ચહેરા પરના ખીલ દુર થાય છે.

તુલસી : તુલસી ખીલ મટાડવા માટે ખુબ ઉપયોગી છે. તુલસી આપણા ઘર આંગણાનો છોડ છે તેના પાંદડાને વાટીને પેસ્ટ બનાવો.આ પેસ્ટ ખીલ પર લગાવો, 15 મિનીટ રહેવા દીધા બાદ પાણીથી ચહેરાને ધોઈ લો. જો તમને તાજા પાંદડા ના મળે તો સુકાયેલા પાંદડાનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી ચહેરા પરના ખીલ દુર થાય છે

ફાફડીયો થોર : આ થોરને નાગફની કે કેક્ટસ કહેવામાં આવે છે. આ થોર લગાવવાથી એક જ રાતમાં ખીલ દુર થાય છે.  ઘર આંગણે, બગીચામાં કે જંગલમાં મળી રહે છે. આ થોરમાં વિટામીન A અને C સારા પ્રમાણમાં હોય છે તે ખીલ મટાડે છે. બને ત્યાં સુધી સ્વચ્છ જગ્યાએથી આ થોર લાવવાનું રાખો.

ADVERTISEMENT

તેને લાવીને કાંટા દુર કરી દો, તથા ઉપયોગ કરતી વખતે ખાસ કાળજી રાખો કે તેનો રસ આંખોમાં કે મોઢામાં ન જાય. તેનાં પાંદડાને વચ્ચેથી કાપી લો. રાત્રે સુતી વખતે તેની વચ્ચેથી નીકળતા ગર્ભને ચહેરાને પાણીથી ધોઈને ખીલ પર લગાવી દો. આ લગાવેલો ગર્ભ સુકાઈ ગયા બાદ તમે સુઈ જાવ. સવારે  જાગ્યા  બાદ હળવા ગરમ પાણીથી તમારા ચહેરા પર સુકાયેલો ગર્ભ તમારી આંખોમાં ના જાય તેવી રીતે ધોઈ લો. આ પ્રયોગ કરતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે આ ગર્ભ આંખોમાં કે મોઢામાં ના જવો જોઈએ. આ રીતથી તમારા ખીલ સંપૂર્ણ મટી જશે.

બટેટા : કાચા બટેટા ખીલ મટાડવા માટે ખુબજ ઉપયોગી છે. બટેટાની છાલ ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. બટેટાનો છુંદો કરીને ખીલ પર લગાડવાથી ખીલ દ્વારા પડેલા ડાઘ દુર થાય છે. બટેટામાં રહેલી ખારાશને કારણે ચહેરા પર ફાયદો થાય છે.

 કુવારપાઠું : કુવારપાઠું ચામડીના કોઈ પણ રોગ માટે અસરકારક છે.  ખીલ દુર કરવા માટે કુવારપાઠુંના પાનને તોડીને ચાકુથી કાપી તેમાંથી વચ્ચે જે ઘટ્ટ જેલી પદાર્થ નીકળે છે તે ચહેરા પર લગાવો. આમ દરરોજ કરવાથી ચેહેરા પરના ખીલ દુર થાય છે અને નવા ખીલ ઉગતા નથી.

ચણાનો લોટ : એક ચમચી ચણાનો લોટ લો, તેમાં ગુલાબજળ અને લીંબુનો રસ ભેળવીને  મિક્સ કરો, આ રગડાને ચહેરા પર લગાવો, થોડા સમય માટે સુકાવા દો. સુકાય ગયા બાદ પાણીથી ધોઈ લો, આમ 2 દિવસે એક વાર કરવાથી ચેહેરા પરના ખીલ દુર થાય છે.

લીબુનો રસ : લીંબુ આપણી ખુબસુરતી વધારે છે. જયારે લીબું રસોઈ માટેની ઘરેલું ચીજ છે. લીબું વગર કોઇપણ ખોરાક સ્વાદ પકડતો નથી તેમ ચહેરાની સુંદરતા માટે માટે પણ ઉપયોગી છે. લીંબુનો રસ ખીલ અને તેના ડાઘો પર લગાવવાથી ખીલ દુર થાય છે. લીંબુનો રસ લગાવ્યા બાદ ૩૦ મિનીટ સુધી રહેવા દો અને ત્યારબાદ ચહેરા ને ધોઈ લો. થોડા જ દિવસોમાં પરિણામ આપશે.

ખાવાનો સોડાખાર : ખાવાના સોડાખારના ઉપયોગથી ચામડીની પીએચ (PH) માત્રા સંતુલિત રહે છે. તેનાથી બળતરા ઓછી રહે છે અને ચામડીને આરામ મળે છે. આ સાથે જ ખીલને સુકવીને દૂર કરી નાખે છે.  એક ચમચી ખાવાનો સોડાખાર લઇ જરૂરી હોય તેટલું પાણી લઈને લેપ બનાવો. તમે બનાવેલા લેપને આંગળીથી ખીલ ઉપર લગાવો. 5 મિનીટ સુધી રહેવા દીધા બાદ પાણીથી ચહેરો સાફ કરી લો. ત્યારબાદ બજારમાં મળતું હર્બલ વેસેલીન લગાવો. આમ  કરવાથી ખીલ દુર થાય છે.

મેથીના બીજ : મેંથીના બીજ ચામડી માટે ખુબ જ અસરકારક છે. તે અનેક ગુણોનો ખજાનો છે.  શરીરમાં  અગણિત રોગનો ઈલાજ મેથીના બીજ  છે. તે ચામડીને મુલાયમ અને સાફ રાખવામાં મદદ કરે છે.  ખીલને દૂર કરવા મેથીના બીજને  પાણીમાં બાફીને લેપ બનાવો અને આ લેપ ખીલ પર લગાવો. આમ દરરોજ કરવાથી ચહેરા પરના ખીલ દૂર થાય છે. નિયમત કરશો તો સંપૂર્ણપણે ખીલ થોડાક દિવસોમાં ગાયબ થઈ જાશે.

લીમડો : લીમડો અનેક પ્રાકૃતિક ઔષધીમાં શ્રેષ્ઠ છે. એમાય ચામડી માટે તો ખુબજ ઉપયોગી છે. લીમડાના પાંદડાને વાટીને  છુંદો બનાવો અને ત્યારબાદ આ છુંદાને કપડાથી ગાળીને રસ કાઢી લો, આ રસ ચેહેરા પરના ખીલ ઉપર લગાવ્યા બાદ થોડીવાર રહેવા દો. થોડીવાર રહ્યા બાદ તમારા ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ લો. આમ નિયમિત રીતે દરરોજ કરવાથી ખીલ અને દાગ બંને દુર થાય છે.

લસણ : લસણ આપણા શરીર માટે ખુબ જ ગુણકારી છે. આ લસણની ૩ થી 4 કળીને ખાંડીને ખીલ પર લગાવો. થોડાક સમય માટે ખીલ પર રહેવા દીધા બાદ ગરમ પાણીથી મોઢું ધોઈ લો. આ ઉપાય કરવાથી ખુબ મોટો ફાયદો ખીલ પર જોવા મળશે.

મુલતાની માટી : બે ચમચી મુલતાની માટી લો, તેને થોડોક લીંબુનો રસ અને એક ચમચી ગુલાબજળમાં મિક્ષ કરીને લેપ બનાવો, આ લેપ ખીલ કે આખા ચહેરા પર લગાવી શકાય છે. 15 મિનીટ સુધી ચહેરા પર આ લેપ રહેવા દીધા બાદ ચોખ્ખા પાણીથી ધોઈ લો. આમ કરવાથી ચહેરાની ચમક વધે છે ચહેરા પરનો તૈલી પદાર્થ દૂર થાય છે સાથે ખીલ પણ દુર થાય છે.

કાકડી : ચહેરા પર કાકડીનો રસ લગાવવાથી ખીલ દુર થાય છે. કાકડીનો છૂંદો કરી ખીલ પર લગાવવાથી પણ ખીલ દુર થાય છે.  આ છુંદાને લગાવ્યા બાદ થોડા સમય સુધી રહેવા દો, ત્યારબાદ તેને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો.  આમ કરવાથી ખીલ સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઇ જશે.

જીરું : 1 અથવા 2 ચમચી જીરાને પાણી સાથે વાટીને છુંદો બનાવો, આ છુંદાને દિવસમાં 1 વખત ચહેરા પર લગાવો.  1 કલાક પછી તમારા ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. આ અખતરો ખીલ દૂર કરવામાં ખુબજ અસરકારક છે.

બરફ : એક બરફનો નાનો ટુકડો લો, તેને સાફ કપડામાં બાંધીને ખીલ પર ધીરેથી ઘસીને હટાવી લો, દરરોજ 2 થી ૩ મિનીટ આવી રીતે કરવાથી ખીલ ઉપર રાહત મળે છે, સોજો ચડ્યો હોય તો તે દુર થાય છે અને ધીમે ધીમે ખીલ મટી જાય છે.

હળદર : થોડીક હળદર લો અને તેને પાણી સાથે ભેળવીને ખીલ પર લગાવો. 10 મિનીટ સુધી રહેવા દીધા બાદ તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો, આમ દરરોજ કરવાથી ખીલથી છુટકારો મળે છે. હળદરમાં બેકટેરિયાનો નાશ કરનાર તત્વો હોય છે. આ સાથે હળદર ચહેરાની સુંદરતા તેમજ ચામડીને લગતા રોગો દુર કરે છે.

મધ : મધને રાત્રે સુતા પહેલા આંગળથી ખીલ પર લગાવો. થોડાક સમય સુધી ખીલ પર લગાવ્યા બાદ સાફ પાણીથી ચહેરાને ધોઈ નાખો. આમ દરરોજ કરવાથી ખીલ દૂર થાય છે. આ મધને આખા ચેહેરા પર લગાવવાથી ચહેરો મુલાયમ, સુંદર અને સ્વસ્થ બને છે. ચહેરા પર લગાવેલા મધને ધોઈ નાખ્યા બાદ હર્બલ માસ્ક પહેરો.

સંતરા : એક ચમચી સંતરાની છાલોનો પાવર લો, પાવડર છાલોને તડકામાં સુકવીને અથવા બજારમાંથી લઇ શકાય છે, એક વાટકામાં આ સંતરાનો પાવડર અને એક ચમચી મધ ભેળવીને મલમ બનાવો, આ મલમ ખીલ ઉપર લગાવવાથી ખીલ દૂર થાય છે, આ ક્રિયા બે દિવસમાં એક વાર કરવી જોઈએ.

નારિયેળ  તેલ : એક ચમચી નારિયેળ તેલ લો, તેને ખીલ પર લગાવો, આમ લગાવેલું તેલ આખી રાત રહેવા દો, અને સવારે જગ્યા બાદ પાણીથી ધોઈ નાખો, આમ દરરોજ કરવાથી ખીલ દુર થાય છે.

Image Some Source: google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
આ એક શ્રાપના પ્રભાવથી ભગવાન શ્રી કૃષ્ણના યાદવ કુળનો થયો હતો અંત

આ એક શ્રાપના પ્રભાવથી ભગવાન શ્રી કૃષ્ણના યાદવ કુળનો થયો હતો અંત

મહાન ધનુર્ધર, “એકલવ્ય” નો છળ- કપટ થી વધ કરવા પાછળ  શું હતું કારણ

મહાન ધનુર્ધર, "એકલવ્ય" નો છળ- કપટ થી વધ કરવા પાછળ શું હતું કારણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વાળને ખરતા અટકાવી લાંબા, ઘાટ્ટા કાળા અને સિલ્કી બનાવવા માટેનો 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય

વાળને ખરતા અટકાવી લાંબા, ઘાટ્ટા કાળા અને સિલ્કી બનાવવા માટેનો 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય

July 4, 2021
આરોગ્ય માટે કોઈ વરદાનથી કમ નથી આંમળાનો મુરબ્બો, અનેક સમસ્યાથી 100 ટકા અપાવશે છુટકારો

આરોગ્ય માટે કોઈ વરદાનથી કમ નથી આંમળાનો મુરબ્બો, અનેક સમસ્યાથી 100 ટકા અપાવશે છુટકારો

May 7, 2021

લીવરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માત્ર કરો આ વસ્તુનું સેવન, 100 ટકા ફાયદો થશે

July 28, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In