ગુર્જર ભૂમિ
No Result
View All Result
  • Login
  • Home
  • આર્યુવેદિક
  • ટૂંકી વાર્તા
  • ન્યુઝ
  • ધાર્મિક
  • ઈતિહાસ
  • પ્રેરણાત્મક
  • Home
  • આર્યુવેદિક
  • ટૂંકી વાર્તા
  • ન્યુઝ
  • ધાર્મિક
  • ઈતિહાસ
  • પ્રેરણાત્મક
No Result
View All Result
ગુર્જર ભૂમિ
No Result
View All Result
Home આર્યુવેદિક

માત્ર એક દિવસમાં ગમે તેવા તાવ-શરદીથી છુટકારો અપાવતો 100% અસરકારક ઘરેલું ઉપચાર

Team GurjarBhumi by Team GurjarBhumi
September 5, 2021
0
માત્ર એક દિવસમાં ગમે તેવા તાવ-શરદીથી છુટકારો અપાવતો 100% અસરકારક ઘરેલું ઉપચાર
0
SHARES
1.1k
VIEWS
Share on FacebookShare on Twitter

વરસાદની ઋતુની શરૂઆત થતા જ તાવના કેસ સામે આવવા લાગે છે, જ્યારે શરીર નું તાપમાન સામાન્ય થી વધારે થઈ જાય તો તેને તાવ કહે છે. મનુષ્યોમાં શરીરનું સામાન્ય તાપમાન 37˚C અથવા 98.6˚ ફેરનહીટ હોય છે. જ્યારે શરીરનું તાપમાન આ સામાન્ય લેવલ કરતા વધારે હોય છે, ત્યારે તે સ્થિતિને તાવ કહે છે. તાવ એ કોઈ રોગ નથી. તે રોગનું માત્ર લક્ષણ છે. તે કોઇપણ પ્રકારના ચેપ સામે શરીરની પ્રતિક્રિયા છે. તાવ મોટાભાગે બેક્ટેરિયલ અને વાયરલ બંને ચેપથી વિકસે છે.

RELATED POSTS

ભૂલથી પણ ન ખાશો ઠંડા કે વાસી ખોરાક, શરીરને થઈ શકે છે આ ગંભીર નુકશાન

ગમે તેવો પેટનો દુખાવો હોય માત્ર પાંચ જ મીનીટમાં મટી જશે

હૃદયને રાખવું છે લાંબી ઉંમર સુધી સ્વસ્થ, તો આજથી જ છોડી દો આ 8 ફૂડ્સનું સેવન

તાવના લક્ષણોની વાત કરીએ તો તે માત્ર શરીરમાં નબળાઈ લાવે છે, પરંતુ લાંબા સમય સુધી તાવને કારણે શરીરમાં નબળાઈની સાથે વજનમાં ઘટાડો થવી, માથાનો દુખાવો, બેચેની, મન ન લાગવું જેવા લક્ષણો દેખાય છે, જો આપણે તાવના કારણો જોઈએ તો બેક્ટેરિયા, વાયરલ, પ્રોટોઝોઅલ અને ફંગલ ચેપ હોઈ શકે છે.

તાવ દરમિયાન ડોક્ટર દ્વારા આ બાબતોનું ધ્યાન રાખવાનું કેહવામાં આવે છે જેમ કે ચોખ્ખું અને ઉકાળેલું પુષ્કળ પાણી પીવું, શરીરને પૂરતી કેલરી પૂરી પાડવા ગ્લુકોઝ, આરોગ્યપ્રદ પીણાં, ફળોના રસ, વગેરે લેવાની સલાહ આપવામાં આવે છે. ચોખાની રાબ, સાગોની રાબ, જવનું પાણી, વગેરે જેવો સરળતાથી પચે તેવો આહાર લેવો ઇચ્છનીય છે, દૂધ, દહીં, માખણ, રોટલી અને બ્રેડ, માંસ, ઇંડા તેમજ તેલમાં તૈયાર કરેલો આહાર ટાળવો જોઇએ. ચાલો જોઈએ તાવના આયુર્વેદિક ઘરેલું ઉપચાર વિષે.

ફૂદીનો અને આદુ : તાવ દરમિયાન ફુદીનો અને આદુનો ઉકાળો ખુબ ફાયદાકારક થાય છે. કોઈપણ જાતનો તાવ હોય તો ફૂદીનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે. સખત તાવમાં માથા પર ઠંડા પાણીના પોતા મૂકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી. ફૂદીનાના પાનાની કોફી પીવાથી પણ તવ મટે છે, માટે કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફૂદીનાના પાન નાખી ઉકાળો, ત્યારબાદ થોડું ઠંડુ થયા પછી મધ નાખીને પીવાથી કોઈ પણ જાતનો તાવ મટે છે. આમ તાવ દરમિયાન ફુદીનો અને આદુનો ઉકાળો ખુબ લાભદાયી થાય છે.

તુલસી : તુલસીનો રસ 10 ગ્રામ, આદુનો રસ 5 ગ્રામ મેળવીને પીવાથી મેલેરિયાનો તાવ મટે છે. તુલસી અને સુરજમુખીનાં પાનને બરાબર વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે. તુલસીનાં પાન, અજમો અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ સાથે લેવાથી ફલૂનો તાવ મટે છે. પાંચ ગ્રામ તજ, ચાર ગ્રામ સૂંઠ, એક ગ્રામ લવિંગનું ચૂર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચૂર્ણ, એક કપ ઉકળતા પાણીમાં નાખી 15 મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફલૂનો તાવ છે. 10  ગ્રામ જેટલા ધાણા અને ત્રણ ગ્રામ સૂંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફલૂનો તાવ મટે છે. શરદીને લીધે આવતાં તાવમાં તુલસીનાં પાનનો રસ મધ સાથે લેવાથી તાવ મટે છે.

ADVERTISEMENT

વાયરલ તાવમાં તુલસી ખુબ જ અસરકારક સાબિત થાય છે, તુલસીમાં રહેલી તેની વિશિષ્ટ સુવાસ તેમાં રહેલા ઉડનશીલ તેલને આભારી છે. જે હવામાં પ્રસરી અને હવાનું શુદ્ધિકરણ કરવામાં મદદ કરે છે. આથી જ જયારે વાયરલ તાવ, મેલેરિયા-ડેન્ગ્યુ જેવા મચ્છરજનિત રોગનો ફેલાવ વધુ હોય તેવા વિસ્તારમાં અને તેવી સિઝનમાં ઘરમાં નાના-નાના કુંડામાં તુલસી રાખી એરપ્યુરિફાયરનું કામ થઇ શકે છે. સાંજે કુંડા બહાર મૂકી સવારનો કૂણો તડકો મળે તેમ બહાર રાખી ત્યારબાદ કૂંડા ઘરનાં વિવિધ ભાગમાં મૂકી શકાય છે.

અજમો : તાવની સમસ્યામાં અજમો ખુબ જ લાભદાયી છે, રાત્રે અજમાને પાણીમાં પલાળીને સવારે ગાળીને તેમાં થોડું મીઠું નાખીને પીવાથી મેલેરિયા તાવ મટે છે. અજમાને શેકીને તેનું ચૂર્ણ બનાવીને  લેવાથી પણ તાવ ઉતરે છે. ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઉતરે છે. મેલેરિયાના તાવમાં વારંવાર ઉલટીઓ થાય ત્‍યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી લો, ત્યારબાદ તેને ગાળી થોડી થોડી વારે પીવાથી ઉલટી મટે છે.

લસણ : લસણની કળી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે. એલચી ત્રણ દાણા તથા મરી ચાર દાણા  રાતે પાણીમાં ભીંજવી રાખી સવારે તે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં 3-4 વાર પીવાથી જીર્ણ તાવ મટે છે. વરિયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પીવાથી પિત્તનો તાવ મટે છે. આદું, લીંબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉધરસ-શરદી કે તાવ તેમજ સમગ્ર શરીરમાં થતું કળતર મટે છે.

જીરું : જીરું વાટીને ચાર ગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણા કોઠે પીવાથી ટાઢિયો તાવ મટે છે. ફૂદીનાનો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્‍યુમોનિયાનો તાવ મટે છે. તુલસી, કાળાં મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મેલેરિયાનો તાવ મટે છે.

ગંઠોડા : એક ચમચી ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢિયો તાવ મટે છે. ફૂદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે. મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે.

પાણીમાં તુલસીનાં પાન નાખી ઉકાળી લો, ત્યારબાદ ગાળી ઠંડુ થયેલું પાણી જ પીવડાવવાથી ડેન્ગ્યુ કે વાયરલ તાવમાં હાઈગ્રેડ ફિવરથી જલ્દી રિકવરી થાય છે. કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો અડધી ચમચી મીઠું ગરમ પાણિમાં દિવસમાં 3 વાર લેવાથી તાવ ઉતરી જાય છે અને તાવ ઉતર્યા પછી સવાર-સાંજ પા ચમચી મિંઠુ બે દિવસ લેવાથી તાવ પાછો આવતો નથી. આમ આ આયુર્વેદિક ઘરેલું ઉપચાર દ્વારા તમે તાવને મટાડી શકો છો, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીમાં રાહત અપાવે.

નોંધ : આ આર્ટીકલમાં જણાવેલ માહિતી ફક્તને ફક્ત શેક્ષણિક હેતુ માટે આપવામાં આવી છે. આ આયુર્વેદ ટીપ્સ તથા નુસખા દરેકની તાસીર અનુસાર કામ કરતી હોય છે, માટે કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટર અથવા વૈધની સલાહ અવશ્ય લેવી જરૂરી છે.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર share કરવા વિનતી.

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Posts

ભૂલથી પણ ન ખાશો ઠંડા કે વાસી ખોરાક, શરીરને થઈ શકે છે આ ગંભીર નુકશાન
આર્યુવેદિક

ભૂલથી પણ ન ખાશો ઠંડા કે વાસી ખોરાક, શરીરને થઈ શકે છે આ ગંભીર નુકશાન

October 14, 2021
ગમે તેવો પેટનો દુખાવો હોય માત્ર પાંચ જ મીનીટમાં મટી જશે
આર્યુવેદિક

ગમે તેવો પેટનો દુખાવો હોય માત્ર પાંચ જ મીનીટમાં મટી જશે

October 13, 2021
હૃદયને રાખવું છે લાંબી ઉંમર સુધી સ્વસ્થ, તો આજથી જ છોડી દો આ 8 ફૂડ્સનું સેવન
આર્યુવેદિક

હૃદયને રાખવું છે લાંબી ઉંમર સુધી સ્વસ્થ, તો આજથી જ છોડી દો આ 8 ફૂડ્સનું સેવન

October 12, 2021
ઘૂંટણના દુખાવાને દુર કરવા ઘરે જ બનાવો ઘી વગરનો આ લાડુ
આર્યુવેદિક

ઘૂંટણના દુખાવાને દુર કરવા ઘરે જ બનાવો ઘી વગરનો આ લાડુ

October 4, 2021
ચોમાસાની સીજનમાં તમારા પરિવારને ડેન્ગ્યુથી બચાવવા જરૂર આટલું કરો
આર્યુવેદિક

ચોમાસાની સીજનમાં તમારા પરિવારને ડેન્ગ્યુથી બચાવવા જરૂર આટલું કરો

October 3, 2021
કોઇ પણ પ્રકારની દવા વગર હાઈ બ્લડપ્રેશર કંટ્રોલ કરવાના અસરકારક ઘરેલું ઉપાય
આર્યુવેદિક

કોઇ પણ પ્રકારની દવા વગર હાઈ બ્લડપ્રેશર કંટ્રોલ કરવાના અસરકારક ઘરેલું ઉપાય

October 3, 2021
Next Post
વારંવાર પેટમાં થતો ગેસ, અપચો અને ગડબડીનો કાયમી ઈલાજ

વારંવાર પેટમાં થતો ગેસ, અપચો અને ગડબડીનો કાયમી ઈલાજ

આ ઘાસ છે આયુર્વેદની ખુબ જ કિંમતી જડીબુટ્ટી, યાદશક્તિ વધારવાથી લઈને આ 8 બીમારીઓને જડમૂળથી કરી દેશે ગાયબ

આ ઘાસ છે આયુર્વેદની ખુબ જ કિંમતી જડીબુટ્ટી, યાદશક્તિ વધારવાથી લઈને આ 8 બીમારીઓને જડમૂળથી કરી દેશે ગાયબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement

Recommended Stories

અનેક રોગોનો અકસીર ઉપાય એટલે આ ગુણકારી ઔષધીય

અનેક રોગોનો અકસીર ઉપાય એટલે આ ગુણકારી ઔષધીય

March 20, 2021
વર્ષ 2021માં વાગ્યો ભારતની દીકરીઓનો ડંકો, આખા જગતમાં દેશનું નામ રોશન કર્યું

વર્ષ 2021માં વાગ્યો ભારતની દીકરીઓનો ડંકો, આખા જગતમાં દેશનું નામ રોશન કર્યું

December 31, 2021
વાળને ખરતા અટકાવી લાંબા, ઘાટ્ટા કાળા અને સિલ્કી બનાવવા માટેનો 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય

વાળને ખરતા અટકાવી લાંબા, ઘાટ્ટા કાળા અને સિલ્કી બનાવવા માટેનો 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય

July 4, 2021

Popular Stories

  • લોહી જામી જવાથી સ્વાસ્થ્યને થાય છે આ ગંભીર નુકસાન, લોહીને પાતળુ કરવા અપનાવો આ ઘરેલું ઉપાય

    લોહી જામી જવાથી સ્વાસ્થ્યને થાય છે આ ગંભીર નુકસાન, લોહીને પાતળુ કરવા અપનાવો આ ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
  • કિડનીમાં ખૂબ ઝડપથી પથરી બનાવે છે આ 4 ખરાબમાં ખરાબ આદત

    0 shares
    Share 0 Tweet 0
  • દરરોજ સવારે ખાલી પેટ ખાવ માત્ર બે ત્રણ દાણા આ વસ્તુના, થશે ચમત્કારિક ફાયદા

    0 shares
    Share 0 Tweet 0
  • જો દવાખાનામાં જવું ન હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર કરો આ ફળનું સેવન

    0 shares
    Share 0 Tweet 0
  • ભોજન કર્યા પછી માત્ર એક ચમચી આ વસ્તુના સેવનથી શરીરની અનેક બીમારી થશે ગાયબ

    0 shares
    Share 0 Tweet 0
ગુર્જર ભૂમિ

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા આ મહિલા, દુધના વ્યવસાયમાંથી કરોડોની કરી કમાણી
  • 1500 અનાથ બાળકોની માતા સિંધુતાઈનું નિધન, હૃદયરોગના હુમલાથી દુનિયાને અલવિદા કહ્યું
  • વૈષ્ણોદેવી મંદિરની ઘટના: ઘરે રાહ જોઈ રહેલા આ માસૂમ બાળકોને ક્યાં ખબર હતી કે તેમના પિતા ક્યારેય ઘરે પાછા નહીં ફરે

Categories

  • Business
  • Lifestyle
  • Tech
  • World
  • આર્યુવેદિક
  • ટૂંકી વાર્તા
  • ધાર્મિક
  • ન્યુઝ
  • પ્રેરણાત્મક

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • આર્યુવેદિક
  • ટૂંકી વાર્તા
  • ન્યુઝ
  • ધાર્મિક
  • ઈતિહાસ
  • પ્રેરણાત્મક

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In