Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

ચાનો રસપ્રદ ઈતિહાસ અને ચા પીવાથી થતા ફાયદા અને નુકશાન

Team GurjarBhumi by Team GurjarBhumi
April 14, 2021
0
ચાનો રસપ્રદ ઈતિહાસ અને ચા પીવાથી થતા ફાયદા અને નુકશાન
0
SHARES
870
VIEWS
Share on FacebookShare on Twitter

ચા ની શોધ લગભગ 4700 વર્ષ પહેલા ચીને કરી હતી એવું માનવામાં આવે છે ત્યારથી ચા ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ છે. ચીને ચા ની શરૂઆત કર્યા પછી 1716 માં ચા પ્રથમ વાર કેનેડામાં આવી હતી. વિશ્વભરમાં ચાનો ફેલાવો કરવાનો ફાળો ડચ પ્રજાતિના લોકો ના નામે છે. ચીનના લોકોએ સૌપ્રથમ ચા પીવાનું શરૂ કર્યું, જયારે ભારતમાં ચા પીવાની પરંપરા 1835 થી શરૂ થઈ. સંગીતકાર અનુમલિકે ચા પર ખૂબ જ સરસ ગીત ગાયું છે : “એક ગરમ ચાય કી પ્યાલી હો” આ ગીતે ચાની જેમ ધૂમ પણ મચાવી હતી.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

દર વર્ષે સમગ્ર વિશ્વમાં 35 લાખ ટન ચાનું ઉત્પાદન થાય છે. પાણી પછી દુનિયામાં સૌથી વધુ પીવાતું પીણું ચા માનવામાં છે. હાલમાં સૌથી વધુ ચા ઇંગ્લેન્ડમાં પીવાય છે. અને એક માહિતી અનુસાર ઇંગ્લેન્ડના લોકો દરરોજના 15 કરોડ કપ ચા પીવે છે. એક વર્ષમાં ઇંગ્લેન્ડમાં લગભગ 7 બિલિયન ટન કપ ચા પીવાય છે.

વિશ્વની સૌથી વધારે ઉપયોગમાં લેવાથી ચામાં વાઈટ ટી, ગ્રીન ટી, ઓલોંગ ટી, ડાર્ક ટી, પૂઅર ટી, અને મેટ ટી નો સમાવેશ થાય છે. બ્રિટીશ વ્યક્તિ Richar Blechynden એ 1904 માં આઈસ ટીની શોધ કરી હતી. હાલમાં અમેરિકામાં 80% ચા આઇસ ટી ફોર્મમાં પીવાય છે. જો ચાને હવા અને ભેજથી બચાવવામાં આવે તો ચા 2 વર્ષ સુધી ખરાબ નથી થતી અને તેનો સ્વાદ એકસરખો જ રહે છે.

ADVERTISEMENT

ભારતમાં સૌપ્રથમ ચાનું ઉત્પાદન 1835 માં થયું હતું. બ્રિટીશરોએ ભારતમાં સૌપ્રથમ આસામમાં ચાના છોડ જોયા અને ત્યારબાદ ભારતમાં ચાના ઉત્પાદનમાં ઝડપથી વધારો થયો. વિશ્વમાં સૌથી વધુ ચા નું ઉત્પાદન કરતો દેશ ભારત હતો. સમય જતાં ચીન ચાના ઉત્પાદમાં ભારતને પાછળ મૂકી ચીન દુનિયાનો સૌથી મોટો ચા ઉત્પાદન કરતો દેશ બન્યો. ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન આસામ અને દાર્જિલિંગમાં થાય છે. ભારતમાં બ્લેક ટી સૌથી વધુ ઉપયોગ થાય છે. અફઘાનિસ્તાન અને ઇરાનમાં રાષ્ટ્રીય પીણું ચા ને જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ ચા પીવાના ફાયદા અને નુકશાન વિષે.

ચા પીવાથી થતા ફાયદા (Benefits of Tea) :

વૈજ્ઞાનિકોના કહ્યા અનુસાર, જે વ્યક્તિ દિવસમાં 3 -4 કપ ચા પીવે છે તેને હૃદય સંબંધિત બિમાંરીઓ થતી નથી. ખાંડ વગરની ચા પીવાથી દાંતના પેઢા મજબૂત થાય છે.

ગ્રીન ટી પીવાથી તમારો દિવસભરનો તાણ અને વજન ધટાડવામાં મદદ કરે છે. ચામાં એન્ટીઑકિસડન્ટ હોય છે, જે તમને વૃદ્ધત્વથી બચાવશે. ચા પીવાથી તેમાં રહેલા અમીનો એસીડ મગજને વધારે અલર્ટ અને શાંત રાખે છે.

ચામાં અનેક તત્વો રહેલા છે જે શરીર માટે બહુ જ ઉપયોગી છે જેમ કે ચામાં રહેલું કેફિન અને ટેનિન તત્ત્વ શરીરમાં સ્ફૂર્તિનો સંચય કરે છે, અને ચા પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેમજ શરદી-કફ અને માથાના દુખાવામાં રાહત મળે છે.

ચામાં ‘El-Thanine’ નામનો ઘટક હોય છે. આ ઘટક બ્રેઇન પાવર વધારવામાં મદદ કરે છે, અને તેનાથી ટેન્સનમાં ઘટાડો થાય છે, તેમજ બુદ્ધિને વિકાસ કરે છે, તથા શરીરની આળસને દૂર કરે છે.

ચા પીવાથી થતા નુક્શાન (Disadvantages of Tea) :

સામાન્ય રીતે ચા પીધા પછી તરત જ પાણી પીવું ન જોઈએ. આમ કરવાથી લાંબા ગાળે ગંભીર નુકશાન થઇ શકે છે. કોઈ પણ ગરમ પીણા પીધા બાદ અડધી કલાક સુધી પાણી ન પીવું જોઈએ.

ભૂખ્યા પેટે ચા પીવાથી પેટમાં બળતરા, એસિડિટી અને અપચો આવે છે. ભૂખ્યા પેટે ચા પીવાથી ભૂખ પર અસર થાય છે અને ભૂખ લાગતી અટકે છે. તેથી ભૂખ્યા પેટ ચા પીવાને બદલે, તેની સાથે કંઈક અવશ્ય ખાવું જોઈએ.

વધારે પડતી ઉકાળેલી ચા શરીર માટે નુકસાનકારક છે. વધારે કડક કે સ્ટ્રોંગ ચા પીવાથી પાચનતંત્રને નુકશાન પહોચાડે છે. ભૂખ્યા પેટે વધારે દૂધવાળી ચા પીવાથી થાકનો અનુભવ થાય છે. તમે ચામાં દૂધ નાખો છો ત્યારે તેમાં એન્ટીઓક્સિડેન્ડની અસર પૂરી થઈ જાય છે.

વધારે ગરમ ચા પીવાની આદત ખુબ જ નુકસાન કારક નીવડે છે, તેનાથી અન્નનળી કે ગળાનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે.

એકવાર બનાવેલી ચાને વાંરવાર ગરમ કરીને પીવી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેથી ચા બનાવીને રાખવી નહિ પરંતુ ચા બનાવીને તેને તરત જ ઉપયોગ કરી લેવો.

મિત્રો ચાનો પ્રભાવ વિશ્વભરમાં ખુબ જ છે અને પીવાય પણ છે, કદાચ તમે પણ ચાના દીવાના હશો, આજના આ હરીફાઈયુક્ત જીંદગીમાં કામનો થાક તથા ટેન્સન દુર કરવા ચા પીવી અનિવાર્ય બની ગઈ છે. આશા રાખીએ કે આ માહિતી તમને ઉપયોગી નીવડે.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
શરીર પર થતી અણગમતી રુંવાટી કે વાળ માંથી કાયમી છુટકારો મેળવાના આયુર્વેદિક ઉપચાર

શરીર પર થતી અણગમતી રુંવાટી કે વાળ માંથી કાયમી છુટકારો મેળવાના આયુર્વેદિક ઉપચાર

જો દવાખાનામાં જવું ન હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર કરો આ ફળનું સેવન

જો દવાખાનામાં જવું ન હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર કરો આ ફળનું સેવન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નારંગી છે શરીરની ઈમ્યુંનીટી બુસ્ટર, જાણો નારંગી ખાવાથી થતા અઢળક ફાયદા વિષે

નારંગી છે શરીરની ઈમ્યુંનીટી બુસ્ટર, જાણો નારંગી ખાવાથી થતા અઢળક ફાયદા વિષે

May 1, 2021
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
શક્તિનું પ્રતિક મનાતું આ ચૂર્ણ છે 30થી વધુ રોગોનો રામબાણ ઈલાજ

શક્તિનું પ્રતિક મનાતું આ ચૂર્ણ છે 30થી વધુ રોગોનો રામબાણ ઈલાજ

July 7, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In