સવારથી લઈને સાંજ સુધી વ્યસ્તતા ભરેલા જીવનમાં પગનું યોગદાન સૌથી વધુ હોય છે, જે ચાલવા-ફરવામાં મદદ કરી શકે છે. ઘણીવાર કોઈને કોઈ કારણોસર પગમાં જોરદાર દુખાવો થાય છે. પગના દુખાવાના ઘણા કારણો હોય શકે છે જેમ કે સ્નાયુ ખેંચાણ, ઓસ્ટિઓપોરોસિસ, સંધિવા, સાંધામાં ફ્રેક્સર અથવા કોઈપણ આંતરિક ઇજા. પરંતુ ઘણી વખત દૈનિક પ્રવૃત્તિઓ અથવા વર્કઆઉટ પછી પણ પગમાં તીવ્ર પીડા થાય છે. આજના યુગમાં પગમાં દુખાવાની સમસ્યા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.
આપણાં શરીરમાં થતો પગ અને ઢીચણના દુખાવો એક એવી પરેશાની છે જેના કારણે દૈનિક જીવનની બીજી અનેક મુશ્કેલીઓ પણ ભોગવવી પડે છે. પગ એ શરીરનો મહત્વના ભાગ છે, જેના દ્વારા વ્યક્તિ વિશ્વભરની મુસાફરી કરી શકે છે. કારણ કે પગ છે જે આપણા શરીરનું આખું વજન તેમના માથા પર લે છે. કેટલાક લોકો પગની આ પીડાને દૂર કરવા માટે ડોક્ટરની મદદ લેતા હોય છે, પરંતુ જો તમે ઇચ્છો તો તમે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર ઘરે સારવાર કરી શકો છો. આ માટે ડો. શારદ કુલકર્ણીએ પગમાં થતી પીડાથી થોડીવારમાં મુક્તિ મેળવવા માટે તેમણે ઘરેલું ઉપાય વિશે માહિતી આપી છે. ચાલો જાણીએ પગ અને ઢીચણના દુખાવામાંથી મુક્તિ મેળવવાના ઘરેલું ઉપચાર વિષે.
એરંડાનું તેલ : પગના દુખાવામાં રાહત મેળવવા માટે એરંડાનું તેલ રામબાણ ઈલાજ છે. અંગ્રેજીમાં તેને કેસ્ટર ઓઈલ કહેવામાં આવે છે, જે તમામ પ્રકારના ઔષધીય ગુણધર્મોથી ભરપુર છે. ઘણા લોકો તંદુરસ્ત રહેવા માટે ઘરેલુ ઉપાયોનો આશરો લે છે અને તેમાંથી એક એરંડાનું તેલ છે. જો તમને તમારા પગમાં દુખાવો થાય છે, તો તમે એરંડાના પાંદડા અને તેના તેલનો ઉપયોગ કરી શકો છો. જો તમને એરંડાનું તેલ મળે છે તો તમે તેલથી માલિશ કરો અને જો તે ઉપલબ્ધ ન હોય તો તેના ઝાડના પાનથી પણ ઉપચાર કરી શકો છો, એરંડાના પાનને કઢાઇમાં ગરમ કરો અને તેમાં થોડું મીઠું નાખો. ત્યારબાદ આ પછી થોડું ઠંડ્યું પડ્યા પછી પીડાદાયક જગ્યા પર મૂકો અને તેને કપડું અથવા પાટોથી બાંધો. તેનાથી થોડીવારમાં દુખાવામાં રાહત મળે છે.
મેથી દાણા : મેથીના દાણાના સેવનથી પગના દુખાવામાં ખુબ રાહત થાય છે. મેથીમાં એન્ટી ઇન્ફલેમેટેરી ગુણ ખુબ વધારે માત્રામાં હોય છે. માટે મેથીના પાવડરને રોજ રાત્રે સુતા પહેલા એક ચમચી પાણી સાથે લેવાથી ઢીંચણના દુખાવામાં રાહત થાય છે. સુંઠ, હળદર અને મેથીને સમાન માત્રામાં લઇ મિક્સરમાં તેનો પાવડર કરી લો, આ પાવડરને નવશેકા ગરમ પાણી સાથે સવાર સાંજ એક એક ચમચી લેવાથી ગોઠણના દુખાવામાં ખુબ જ રાહત થાય છે.
હળદર : શાકભાજી અને દૂધ સાથે મિક્સ કરીને હળદર પીવી સામાન્ય છે, પરંતુ તેનો ઉપયોગ પગના દુખાવામાં રાહત માટે પણ થઈ શકે છે. ગરમ નાળિયેર તેલમાં હળદર મિક્સ કરો અને ત્યારબાદ આ પેસ્ટને દુખાવાળી જગ્યાએ લગાવો અને તેને કપડાથી બાંધી દો. કેમ કે હળદરમાં એન્ટીઓકિસડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે જે સાંધાના દુખાવામાં રાહત આપે છે.
કારેલાના પાન : પગની બળતરા તેમજ દુખાવો દૂર કરવામાં કારેલાનો પ્રોયગ પણ કરી શકાય છે. આ માટે સૌથી પહેલાં કારેલાના પાંદડાને પીસીને પેસ્ટ બનાવો અને પછી તેને દુખતી જગ્યાએ લગાવો. જ્યારે પણ તમને દુખાવો થાય છે ત્યારે આ પેસ્ટ લગાવવાથી રાહત મળે છે.
સરસવનું તેલ : થોડું સરસવનું તેલ એક કઢાઈમાં લઇને તેમાં આઠ-દસ કળી લસણની નાખવી. આ બંનેને થોડું ગરમ કરવું, ત્યારબાદ તેમાં એક ચમચી અજમો, મેથીના દાણા અને સૂંઠ પાઉડર ઉમેરો. ત્યારબાદ આ તેલનો માલિશ કરવાથી સાંધાનો દુખાવો દૂર થશે.
મીઠાનું પાણી : ડો. શરદ કુલકર્ણાના કહેવા પ્રમાણે, તમે ઇચ્છતા હોવ તો તમે મીઠાનું પાણી દ્વારા પણ સામાન્ય પીડાને દૂર કરી શકો છો. આ માટે તમારે એક મોટું બાઉલમાં પાણી ગરમ કરવાનું અને તેમાં મીઠું ઉમેરવું. આ પછી આ પાણીથી પીડાવાળા બાગને સાફ કરો. તમે તમારા પગને પાણીમાં પણ મૂકી શકો છો.
ગુગળનું ઝાડ : ગુગળનો સામાન્ય રીતે હવન સામગ્રીમાં ઉપયોગ થાય છે. પરંતુ તેનો ઉપયોગ ઔષધી તરીકે પણ થાય છે. પગના દુખાવાથી છૂટકારો મેળવવા માટે સૌ પ્રથમ શુદ્ધ ગુગળને અગ્નિમાં ઓગાળવો પડશે. આ પછી તે ગમ જેવું બનશે અને પછી તે થોડું ગરમ થાય એટલે તેમાં કપૂર ઉમેરો અને તેને દુખતી જગ્યાએ લગાવો. ત્યારબાદ તેને ત્યાં કપડાથી બાંધી દો.
નિર્ગુંડી ઔષધી તેલ : આયુર્વેદમાં નિર્ગુંડીનો પ્રયોગ અનેક દવાઓમાં કરવામાં આવે છે. આ છોડના પાનનો લેપ લગાવવાથી પણ દુખાવો દૂર થાય છે. આ બેક્ટેરીયા અને કીડાઓને નષ્ટ કરે છે. આ ઔષધીનો ઉપયોગ સાથળના દુખાવો દૂર કરવામાં પણ કરવામાં આવે છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે સાથળ એક નસ હોય છે તો હિપ્સથી લઈને પગના પાછળના ભાગથી થઈને એડી સુધી જાય છે. જ્યારે તેમાં દુખાવો ઉપડે છે તો શરીરના આખા ભાગમાં પીડા થાય છે.
આવા દુખાવાને મટાડવા માટે તમે નિર્ગુંડીનો પ્રયોગ કરી શકો છો. તેની પેસ્ટ કોઈ પણ સોજાને ઘટાડવા, ઘાવ ભરવા વગેરેમાં પણ કરી શકાય છે. પગનો દુખાવો દૂર કરવા માટે સૌથી પહેલા તમે નિર્ગુંડીના પાનને ગરમ સરસવના તેલમાં પલાળો, તેમાં થોડું મીઠું મિક્સ કરો. ત્યાર પછી થોડું ઠંડુ થવા દો અને ત્યારબાદ કપડામાં રાખીને બાંધી લો.
આમ, આ ઉપરોક્ત ઉપાયો કરવાથી જૂનામાં જૂનો પગ અને ઢીચણના દુખાવામાં ખુબ જ રાહત થાય છે. તમે પણ આ ઉપાયો દ્વારા પગ અને ઢીચણના દુખાવાને દુર કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.