Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

સાપના ઝેરને પણ નિષ્ક્રિય કરનારી અને બીજા અનેક રોગમાં ઉપયોગી છે આ વનસ્પતિ

Team GurjarBhumi by Team GurjarBhumi
July 16, 2021
0
સાપના ઝેરને પણ નિષ્ક્રિય કરનારી અને બીજા અનેક રોગમાં ઉપયોગી છે આ વનસ્પતિ
0
SHARES
416
VIEWS
Share on FacebookShare on Twitter

દ્રોણપુષ્પીને અનેક નામોથી ઓળખવામાં આવે છે. દ્રોણપુષ્પીને ગુમાડલેડોના, ગોયા, મોરાપાતી, ધુરપીસગથી પણ ઓળખવામાં આવે છે. દ્રોણપુષ્પી ઘરોની આસપાસ, વાડીઓમાં અને જંગલોમાં બધે જ જોવા મળતી વનસ્પતિ છે. વરસાદની ઋતુમાં તે બધી જ જગ્યાએ પેદા થાય છે. દ્રોણપુષ્પીના છોડને મસળતા તુલસીના છોડની જેમ ગંધ નીકળે છે. આ ખુબ જ ઉત્તમ જડીબુટ્ટી છે અને ઘણા રોગોમાં તેનો ઉપયોગ કરીને રોગોને મટાડી શકાય છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

દ્રોણપુષ્પીના ફૂલ દ્રોણ (પ્રાણી દોહવાના વાસણ) જેવું હોવાથી એને દ્રોણપુષ્પી કહેવામાં આવે છે. દ્રોણપુષ્પીનો છોડ 60 થી 90 સેમી ઉંચો, સીધો અથવા ફેલાયેલો હોય છે. તેની શાખાઓ ચતુષ્કોણીય, રોમ રુંવાટીવાળી હોય છે. એના પાંદડા સીધા ૩.8 થી 7.5 સેમી લાંબા, અંડાકાર અથવા ભાલાકાર હોય છે. તેના પાંદડામાં ગંધ હોય છે અને સ્વાદ કડવો હોય છે.

દ્રોણ પુષ્પીના ફૂલ નાના, સફેદ રંગના હોય છે. તેના ફળ ૩ મીમી લાંબા, અંડાકાર, ભૂરા રંગના અને ચીકણા હોય છે. તેના મૂળ સફેદ રંગના અને સ્વાદમાં ચરપરા હોય છે. તેના છોડમાં ફૂલ અને ફળ ઓગષ્ઠથી ડીસેમ્બર સુધીમાં આવે છે.

દ્રોણપુષ્પીનું વાનસ્પતિક નામ Leucas cephalotus (Roth) Spreng. (લ્યુક્સ સીફ્લોટુસ) છે. જેને હિન્દીમાં ગુમાડલેડોના, ગોયા, મોરાપાતી, ધુરપીસગ તરીકે ઓળખવામાં આવે છે. જયારે અંગ્રેજીમાં Thumbe તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં સ્થાનિક ભાષામાં આ છોડને ડોશીના કુબો કે કુબી તરીકે ઓળખવામાં આવે છે. આ છોડ ઔષધિય છોડ હોવાથી તેના ઘણાબધા ગુણ છે. માટે અમે તેના ઔષધિય ઉપચારો વિશે જણાવીએ છીએ.

સાપનું ઝેર: દ્રોણપુષ્પીના રસમાં 2 થી ૩ કાળા મરીને ઘૂંટીને પીવો. દ્રોણ પુષ્પીના રસમાં અથવા ચૂર્ણની નાસ લેવાથી ફાયદો થાય છે. દ્રોણ પુષ્પીના ફળ, ફૂલ, મૂળ, બીજ અને છાલને બાળવાથી સાપ નજીક નથી આવતો. જ્યાં પણ દ્રોણ પુષ્પીનો છોડ હોય ત્યાં સાપ આવતો નથી.

ADVERTISEMENT

માથાનો દુખાવો: આંખોના રોગમાં દ્રોણ પુષ્પીના ઔષધિય ગુણોથી લાભ મળે છે. તેના માટે દ્રોણપુષ્પીના પાંદડાનો રસ કાઢીને તેનો માથા પર લેપ કરો. તેના સાથે નાકમાં થોડા ટીપા પાડો. તેનાથી માથાનો દુખાવો મટે છે. દ્રોણ પુષ્પીને બધાજ અંગોને કાપીને વાટી લો. તેમાં કાળા મરીનું ચૂર્ણ ભેળવીને મસ્તક પર લગાવો. તેનાથી માથાનો દુખાવો ઠીક થાય છે.

શરદી-ઉધરસ: દ્રોણ પુષ્પીનો ઉકાળો બનાવીને તેની વરાળ લો તેમજ તે ઉકાળાથી સ્નાન કરો. તેનાથી શરદીમાં ફાયદો થાય છે. 10 મિલી દ્રોણપુષ્પીના પાંદડાના રસમાં બરાબર માત્રામાં આદુનો રસ તથા મધ ભેળવી લો. તેનાથી શરદી અને ઉધરસમાં લાભ મળશે. 5-10 ગ્રામ દ્રોણપુષ્પીના પાંદડામાં બરાબર માત્રામાં વનક્ષા અને જેઠીમધ ભેળવીને ઉકાળો બનાવી લો. 10 થી 30 મિલી ઉકાળામાં સાકર ભેળવીને પીવાથી શરદી અને સાકરનો ભુક્કો ભેળવીને પીવાથી શરદી અને ઉધરસમાં લાભ થાય છે.

ખાંસી

અપાચન: તમે અપાચનની સમસ્યાના ઇલાજમાં દ્રોણ પુષ્પીનું સેવન કરી શકો છો. દ્રોણ પુષ્પીના પાંદડાની ભાજી કે શાક બનાવીને ખાઓ. તેનાથી બદ-હજમીમાં લાભ થાય છે તેમજ ભૂખ પણ વધવા લાગે છે.

એનીમિયા તેમજ કમળો: દ્રોણ પુષ્પીના રસને કાજળની જેમ લગાવવાથી અને નાકમાં 2-3  નાખવાથી એનીમિયા અને કમળામાં ફાયદો થાય છે. તમે 5 મિલી રસમાં બરાબર માત્રામાં મધ ભેળવીને લઇ શકો છો. તેનાથી કમળો મટે છે અને એનીમિયા પણ દુર થાય છે. 5 થી 10 મિલી દ્રોણ પુષ્પીના રસમાં 500 મીલીગ્રામ કાળા મરી ચૂર્ણ અને સિંધવ મીઠું ભેળવી દો. તેનાથી દિવસમાં ત્રણ વખત સેવન કરવાના કારણે એનીમિયા અને કમળામાં લાભ થાય છે.

લીવર અને બરોળ: લીવર અને બરોળ વિકારમાં દ્રોણપુષ્પીના મૂળનું ચૂર્ણ બનાવી લો. તેમાં એક ભાગ પીપળી ચૂર્ણ ભેળવી દો. 1 થી 2 ગ્રામની માત્રામાં સેવન કરવાથી લીવર અને બરોળમાં લાભ થાય છે. આ વનસ્પતિય ઔષધી સોજો મટાડવાના ગુણ ધરાવતી હોવાથી તે બરોળ અને યકૃતનો સોજો પણ મટાડે છે.

તાવ: દ્રોણપુષ્પીના 12 મિલી રસમાં 5 કાળા મરીનું ચૂર્ણ ભેળવીને પીવાથી તાવ ઉતરી જાય છે. દ્રોણપુષ્પીના લીલા પાંદડા સાથે કાળામરી ભેળવીને ૩-૩ ગ્રામની ગોળી બનાવીને પીવાથી તાવ ઉતરી જાય છે. દ્રોણપુષ્પીના ફળને 125 મિલી પાણીમાં વાટીને તેમાં 20 ગ્રામ મિશ્રી ભેળવીને પીવાથી ટાઢિયો તાવ ઉતરે છે. દ્રોણ પુષ્પ પાંદડાના રસમાં 300 મિલીમાં પિત્તપાપડો અને નાગરમોથા ચૂર્ણ 10-10 ગ્રામ તથા કરિયાતું ચૂર્ણ 20 ગ્રામ ભેળવીને એક-એક ગ્રામની ગોળી બનાવો. તેની ગોળીઓનું સેવનથી દરેક પ્રકારના તાવમાં લાભ થાય છે.

શ્વાસ: દ્રોણ પુષ્પીના ફૂલ અને કાળા ધતુરાના ફૂલને ચલમ ભરીને ધુમ્રપાન કરવાથી શ્વાસ ધીમો પડે છે. દ્રોણપુષ્પી રસમાં આદુંનો રસ એન મધ ભેળવીને સેવનથી શ્વાસમાં લાભ થાય છે. દ્રોણપુષ્પીના પાંદડાનો અડધો ભાગ સિંધવ મીઠું ભેળવીને દાટી દીધા બાદ તેની રાખનું ચૂર્ણ બનાવીને ૩-૩ ગ્રામ લઈને તેમાં મધ અને આદુનો રસ ભેળવીને સેવન કરવાથી શ્વાસ લેવામાં ફાયદો થાય છે. 5 મિલી દ્રોણપુષ્પીના પાંદડાના રસમાં બરાબર માત્રામાં મધ ભેળવી દો. તે પાણી પીવાથી ખાંસી અને શરદી તેમજ ઉધરસમાં લાભ થાય છે.

કમળો: દ્રોણપુષ્પીના 10 મિલી રસમાં કાળા મરીના 6 દાણા અને સિંધવ મીઠું 2 ગ્રામ ભેળવીને દેવાથી અને દિવસમાં ત્રણ વખત લેવાથી કમળામાં લાભ થાય છે. દ્રોણપુષ્પીના પાંદડાના રસને આંખોમાં નાખવાથી આંખની પીળાશ મટે છે. આ ઉપાય એક અઠવાડિયા સુધી કરવાથી ફાયદો થાય છે.

સોજો: દ્રોણ પુષ્પીના પંચાંગ 25 ગ્રામનો કવાથ બનાવીને મધ ભેળવીને સેવન કરવાથી સોજો મટી જાય છે. દ્રોણપુષ્પીના પાંદડા તથા લીમડાના પાંદડા બંનેને પાણીમા ઉકાળીને તેનો શેક લેવાથી એટલે કે ગરમાટો લેવાથી સોજો ઉતરી જાય છે. જો ગાંઠ થઇ હોય તો ગાંઠ પણ બેસી જાય છે.

ગાંઠિયો વા: દ્રોણપુષ્પીનો ઉકાળો બનાવીને શેક કરવાથી ગઠીયો વા પણ મટે છે. દ્રોણ પુષ્પીના ફળ, ફૂલ, મૂળ, છાલ અને પાન લઈને વાટીને ઉકાળો બનાવી લો. તે ઉકાળાના  10 થી 30 મિલી માત્રામાં 1 થી 2 ગ્રામ પીપળી ચૂર્ણ ભેળવીને પીવડાવવાથી ગાઠીયો વા મટે છે.

ટાઈફોડ: 10 થી 30 મિલી ફળ, ફૂલ, મૂળ, છાલ અને પાનનો ઉકાળો બનાવીને સેવન કરવાથી ફાયદો થાય છે. દ્રોણપુષ્પીના બધા જ અંગોનો ઉપયોગ કરીને તેમાં પિત્તપાપડો, સુંઠ, ગળો અને કરિયાતું બરાબર માત્રામાં ભેળવીને ઉકાળો બનાવીને તે ઉકાળાનું 10 થી 30 મિલી ઉકાળો પીવાથો ટાઈફોડ તાવ મટે છે.

આમ, દ્રોણપુષ્પી ખુબ જ ઉત્તમ ઔષધી છે અને ઉપરોક્ત બધા જ રોગો અને સમસ્યામાં ઉપયોગી છે. આ રોગ સહીત તે ટાઢિયો તાવ, ખંજવાળ, એકાંતરો તાવ, મેલેરિયા, જૂ, મલ્લવિષ, અફીણનું ઝેર, ખાંસી, ડાયાબીટીસ, સન્નિપાત, પેટફૂલવું, અજીર્ણ, પેટ દર્દ, કૃમિ રોગ, આંખનો રોગ, દાંતનો રોગ, શરીર કળતર, વીંછીનું ઝેર, વાની તકલીફ, મગજના રોગો, હિસ્ટીરિયા વાઈ, અનીન્દ્રા વગેરે સમસ્યાઓમાં પણ તે ઉપયોગી છે.

આથી જ, તેના પરિણામે આ દ્રોણપુષ્પીને આયુર્વેદિક જડીબુટ્ટીમાં ગણના કરવામાં આવે છે. તે રોગના ઈલાજમાં સચોટતાથી કાર્ય કરે છે. માટે અમે અહિયાં તમારા ઉપચારમાં ઘાસ પ્રકારની વનસ્પતિને તમે ઉપયોગમાં લઈ શકો અને રોગોને મટાડી શકો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી સમસ્યામાં રાહત આપે અને તેને નાબુદ કરે.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
અનેક રોગોનો અકસીર ઉપાય એટલે આ ગુણકારી ઔષધીય

અનેક રોગોનો અકસીર ઉપાય એટલે આ ગુણકારી ઔષધીય

ઘરમાં ઉપયોગમાં લેવાતી આ શાકભાજી છે સૌથી ઉત્તમ અને જડીબુટ્ટી સમાન, અનેક રોગોથી અપાવશે છુટકારો

ઘરમાં ઉપયોગમાં લેવાતી આ શાકભાજી છે સૌથી ઉત્તમ અને જડીબુટ્ટી સમાન, અનેક રોગોથી અપાવશે છુટકારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વાળને ખરતા અટકાવી લાંબા, ઘાટ્ટા કાળા અને સિલ્કી બનાવવા માટેનો 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય

વાળને ખરતા અટકાવી લાંબા, ઘાટ્ટા કાળા અને સિલ્કી બનાવવા માટેનો 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય

July 4, 2021
આમ જ નથી બોલાતી કેરીને ફળોના રાજા, કેન્સર સહિત આ 8 બીમારીઓને હરાવશે ઝડપથી

આમ જ નથી બોલાતી કેરીને ફળોના રાજા, કેન્સર સહિત આ 8 બીમારીઓને હરાવશે ઝડપથી

May 7, 2021
રોજ સવારે ખાવ માત્ર બે પલાળેલા આ ડ્રાયફ્રુટ, ડાયાબિટીસ રહેશે હંમેશાં કંટ્રોલમાં અને હાડકાં થશે મજબૂત

રોજ સવારે ખાવ માત્ર બે પલાળેલા આ ડ્રાયફ્રુટ, ડાયાબિટીસ રહેશે હંમેશાં કંટ્રોલમાં અને હાડકાં થશે મજબૂત

June 18, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In