Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

ખાટી આમલી છે કેન્સરથી લઇને અન્ય 15 થી વધુ રોગોના ઈલાજ માટે ખુબ જ અસરકારક ઉપાય

Team GurjarBhumi by Team GurjarBhumi
June 20, 2021
0
ખાટી આમલી છે કેન્સરથી લઇને અન્ય 15 થી વધુ રોગોના ઈલાજ માટે ખુબ જ અસરકારક ઉપાય
0
SHARES
664
VIEWS
Share on FacebookShare on Twitter

મોઢામાં પાણી લાવી દેનાર અને ખાટા સ્વાદ માટે પ્રસિદ્ધ ખાટી આંબલીનું સેવન તમે કોઈને કોઈ વાર જરૂર માણ્યું હશે. ખાસ કરીને તેનો પ્રયોગ ઘણા ખોરાકમાં ખાટા ફલેવરનો સ્વાદ આપવા માટે થાય છે. આ સિવાય આંબલીથી બનનારી ચટ્ટણી પણ તેના સ્વાદ માટે ખુબ જ પ્રખ્યાત છે. સમોસા સાથે કે બીજા ખોરાક માટે આંબલીની ચટ્ટણી ખુબ જ ઉપયોગી છે. આમલીની ચટ્ટણી જ નહિ પરંતુ તેનાથી મળનારા અનેક લાભો સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. સ્વાદમાં ખાટી આમલી મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. આ સિવાય આંબલીમાં એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીઓક્સીડેંટ હોય છે. આયુર્વેદમાં આમલીના ફાયદા કોઈ ઔષધીથી ઓછા નથી. અમે અહિયાં આમલીથી થનારા ઔષધીય ફાયદાઓ વિશે જણાવીશું. ચાલો જાણીએ ખાટી આંબલીના સેવનથી થતા ફાયદા વિષે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

હ્રદયના સ્વાસ્થ્ય માટે : આમલીમાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હ્રદયને હેલ્ધી રાખવા માટે ખુબ જ ઉપયોગી છે. તેમાં આવેલા ફ્લેવોનોઈડસ અને હાઈપોકોલેસ્ટરોલમિક કોલેસ્ટ્રોલના સ્તરના નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે. આમલીના અર્કનું સેવન કરવાથી એથેરોસ્કલેરોસિસ પ્રક્રિયામાં વિક્ષેપ કરવાનું કાર્ય કરે છે, જેનાથી હ્રદય રોગનો ખતરો ઘણી હદે ઓછો થઈ જાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રિત કરીને સ્વસ્થ હ્રદય માટે આમલીનું સેવન ખુબ જ ઉપયોગી છે.

કેન્સર: આમલીનું જ્યુસ પીવાથી કેન્સર સાથે લડવાની શક્તિ મળે છે. આમલીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપુર માત્રામાં મળી આવે છે. આમલીના બીજ કીડની પર ફેલાતા કેન્સરને રોકવામાં ઉપયોગી છે. માટે કેન્સર જેવી બીમારી સામે લડવા આમલી ખુબ જ ઉપયોગી છે.

માઈક્રોબીયલ રોગો: આમલી ખાવાની વાત કરવામાં આવે તો તે માઈક્રોબીયલ રોગોથી પણ બચાવ કરે છે. આમલીમાં એન્ટીવાયરલ, એન્ટીમાઈક્રોબીયલ, એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે. માઈક્રોબીયલ રોગોથી જોડાયેલી સમસ્યાના ઈલાજમાં તેનો પ્રયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે.

કબજિયાત અને ઝાડા: કબજિયાત અને ઝાડાની સમસ્યામાં આમલીનું સેવન ફાયદાકારક છે. ઝાડાની સમસ્યા રોકવા માટે તે એક સારી પારંપરિક ઔષધિની જેમ કાર્ય કરે છે, ઝાડાની સમસ્યામાં આમલીના થોડા પાંદડાને અડધા લીટર પાણીમાં ત્યાં સુધી ઉકાળો કે તે પાણી અડધું થઇ જાય, જયારે બચેલા પાણીને પી લો. કબજીયાતની સમસ્યામાં આમલીના ગર્ભથી બનેલા અર્કનું સેવન કરવાથી ખુબ જ ફાયદો મળે છે.

ADVERTISEMENT

વજન ઘટાડવા માટે : વજન ઘટાડો કરવામાં આમલી ખુબ જ ફાયદાકારક છે. આમલીમાં આવેલા હાઈડ્રોક્સિલ એસિડ પ્રાકૃતિક રીતે પેટની ચરબી બાળવાનું કાર્ય કરે છે. આ સિવાય આમલીના બીજમાં એવા એન્જાઈમ આવેલા હોય છે જે ભુખ લગાડવાની ક્ષમતાને ઘટાડે છે. વજન ઘટાડવા માટે આમલીના ગર્ભનું સેવન ફાયદાકારક છે.

આંખો માટે: આંખોમાં સોજો, જલન વગેરે સમસ્યાઓમાં આમલીનું સેવન ફાયદાકાર છે. તેમાં એન્ટી-ઈન્ફ્લામેટ્રી ગુણ મૌજુદ હોય છે. આમલીના પાંદડાનો પ્રયોગ આંખોમાં જલન અને સોજાની સમસ્યા થવા પર લાભદાયક છે. તે આંખોની સમસ્યાથી છુટકારો મેળવવા ઉપરાંત આંખોને ઠંડક પણ આપે છે.

આંખો માટે

દાંતોનું સ્વાસ્થ્ય: દાંતોથી જોડાયેલી સમસ્યાઓના નિદાન માટે આમલી ખુબ ઉપયોગી થાય છે, તેનો પ્રયોગ દાંતને મજબુત અને સ્વસ્થ બનાવવા માટે કરવામાં આવે છે. તેમાં આવેલા એન્ટીમાઈક્રોબીયલ અને એન્ટીબેક્ટેરીયલ તત્વ દાંતનો સડો અને દાંતમાં કીડા પડવાની સમસ્યાથી દુર રાખે છે. દાંતોથી જોડાયેલા તેના ફાયદાઓ માટે આમલીના પાવડરનો પ્રયોગ કરવો ફાયદાકારક છે.

દાંતોનું સ્વાસ્થ્ય

ચામડી માટે: આમલી શરીરની ચામડી અને ચામડીના રોગો માટે પણ ખુબ જ ઉપયોગી છે. ચામડી માટે તેના ફાયદાની વાત કરવામાં આવે તો ખીલની સમસ્યા અને ચામડીને સાફ કરવા માટે તેના ગુણ ઉપયોગી થાય છે. ચામડી પર આમલીનો ઉપયોગ કરવાથી આમલીનો અર્ક દહી અને હળદર સાથે મિક્સ કરો અને તેનો એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવીને 20 મિનીટ માટે રહેવા દો. આ પછી પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી તમારી ચામડી સાફ પણ થઇ જશે અને તેનાથી છુટકારો મળશે.

વાળની સમસ્યા: વાળ માટે પણ આમલી ફાયદાકારક છે, તેના ઔષધીય ગુણો વાળને મજબૂતી આપવા માટે કાર્ય કરે છે. આ સિવાય વાળ પર તેનો પ્રયોગ કરવાથી ખોડાની સમસ્યાથી છુટકારો મળે છે. સ્વસ્થ, મજબુત અને ઘેરાવદાર વાળ માટે આમલીનો ઉપયોગ ફાયદાકારક છે. વાળમાં આમલીનો પ્રયોગ કરવાથી તેને થોડાક ગરમ પાણીથી તેને ધોઈ લો. આ પછી તેને માથા પર લગાવી દો. 30 મિનીટ પછી આનાથી માથું ધોઈ લો.

લૂ લાગવી: ગરમીમાં ખાસ કરીને લૂ લાગવાથી તબિયત ખરાબ થઇ જાય છે. લૂ થી બચવા માટે આમલી મદદગાર હોય છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં 25 ગ્રામ આમલી પલાળીને  તેનું પાણી પીવાથી લૂ લાગતી નથી. આ સિવાય આમલીનો ગર્ભ હાથપગના તળીએ લગાવવાથી લૂની અસર ઓછી થઇ જાય છે.

શીઘ્રપતન: લગભગ 500 ગ્રામ આંબલીના બીજોને 4 દિવસ સુધી પાણીમાં પલાળીને રાખો. આ પછી તેની છાલોને ઉતારીને છાયડે સુકાવીને વાટી લો. આ પછી 500 ગ્રામ મિશ્રી પાવડર ભેળવીને સુરક્ષિત રાખો. આ પછી એક ચમચીની માત્રામાં દૂધ સાથે દરરોજ દિવસમાં બે વખત સેવન કરો. આ ઉપાય નિયમિત થોડા દિવસો સુધી કરવાથી શીઘ્રપતનની સમસ્યા દુર થશે અને યૌન શક્તિમાં વધારો થશે.

ખાંસી: જયારે કફ સાથે થોડુક લોહી આવે છે તો આમલીના બીજને તવા પર શેકીને ઉપરથી છાલો ઉતારીને વાટીને ચૂર્ણ બનાવી લો. તેને ૩ ગ્રામ ઘી અથવા મધ સાથે દિવસમાં ત્રણ- ચાર વખત ચાટવાથી ખાંસીનો વેગ ઓછો થવા લાગે છે અને કફ સરળતાથી નીકળવા લાગશે અને લોહીમાં ભળેલો કફ જલ્દી નીકળી જાય છે.

ખાંસી

કમળો: આમલીના વૃક્ષની બળેલી છાલની રાખ 10 ગ્રામ બકરીના દૂધ સાથે દરરોજ સેવન કરવાથી કમળો એટલે કે જોન્ડીસ રોગ પણ ઠીક થાય છે. કમળાના રોગને ઠીક કરવા માટે આમલીમા રહેલા શરીરને શુદ્ધ કરવામાં અને લોહીને શુદ્ધ કરવાના ગુણો કાર્ય કરે છે.

વીંછી: જો કોઈ વ્યક્તિને વીંછી ડંખ મારે તો આમલીનો ઉપયોગ કરી શકાય છે. વીંછીનું ઝેર ઉતારવા માટે આમલીના બીજ આમ્બીલીયા ટુકડા કરીને તેના ટુકડાને ડંખ મારેલી જગ્યા પર લગાવી દો. આ જગ્યા પર લગાવવાથી ખુબ જ રાહત મળે છે અને ઝેર ઉતરે છે અને ઘાવ પણ રૂઝાય છે.

વીંછી

બાળકના વિકાસ: આમલીના નિયમિત સેવનથી તેમાં નિયાસીન હોય છે જેમાં વિટામીન બી-3,4 હોય છે જે પ્રેગ્નેટ મહિલાઓને દરરોજ પોષકતત્વની 10 ટકા આવશ્યકતા પૂર્ણ કરે છે, એ આગળ બાળકોની નસો, મસ્તિષ્ક અને પાચન તંત્રના વિકાસમાં મદદ કરે છે.

આમ, આમલી ખુબ જ ઉપયોગી ઔષધી છે, જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક સમસ્યાઓને ઠીક કરે છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તમે આમલીનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
આ આયુર્વેદિક ચીજોથી પાણીની જેમ ઓછું કરી શકાય છે તમારું વજન

આ આયુર્વેદિક ચીજોથી પાણીની જેમ ઓછું કરી શકાય છે તમારું વજન

અમૃત સમાન ગણાતા આ પાણીને ક્યારેય ફેંકશો નહીં, તેના સેવનથી ગાયબ થઈ થશે આ 10 બીમારીઓ

અમૃત સમાન ગણાતા આ પાણીને ક્યારેય ફેંકશો નહીં, તેના સેવનથી ગાયબ થઈ થશે આ 10 બીમારીઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભોજન કર્યા પછી માત્ર એક ચમચી આ વસ્તુના સેવનથી શરીરની અનેક બીમારી થશે ગાયબ

ભોજન કર્યા પછી માત્ર એક ચમચી આ વસ્તુના સેવનથી શરીરની અનેક બીમારી થશે ગાયબ

July 18, 2021

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
સાંધાનો દુખાવો, કેન્સર અને પાચનના રોગોનો દુશ્મન છે આ નાનકડા દાણા, દવા કરતા પણ છે વધારે અસરકારક

સાંધાનો દુખાવો, કેન્સર અને પાચનના રોગોનો દુશ્મન છે આ નાનકડા દાણા, દવા કરતા પણ છે વધારે અસરકારક

July 28, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In