Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

શું તમને પણ ગરમીમાં સુકી ખાંસી અને શરદીની તકલીફ છે? તો આ ઘરેલુ ઉપચારની મદદથી કરો હંમેશા માટે દૂર

Team GurjarBhumi by Team GurjarBhumi
April 19, 2021
0
શું તમને પણ ગરમીમાં સુકી ખાંસી અને શરદીની તકલીફ છે? તો આ ઘરેલુ ઉપચારની મદદથી કરો હંમેશા માટે દૂર
0
SHARES
239
VIEWS
Share on FacebookShare on Twitter

કોરોના કાળમાં ખાંસી, શરદી વગેરે થવું એક ચિંતાનો વિષય બની ગયો છે. સુકી ખાંસી શરીરને કમજોર પાડી દેતી હોય છે. તેમજ ગરમીની ઋતુમાં શરદી-ઉધરસ હોવાથી શરીરને અત્યંત પીડા આપે છે. જોકે ખાંસી અસ્થાયી હોય છે અને ગળામાં કણ નષ્ટ થવા પર ખાંસી પણ જતી રહે છે. ઘણીવાર આ સ્થાયી રીતે રહી જાય છે, તે સ્થિતિમાં સારવારની જરૂરિયાત હોય છે, આ પાછળ તડકો, માટી, પ્રદૂષણ, વગેરે ઘણાં કારણ હોય થઈ શકે છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

સુકી ખાંસીની સાથે ગળામાં બળતરા, માથાનો દુખાવો, છાતીનો દુખાવો ગળું અને મો સુકાય વગેરે જેવી સમસ્યા થાય છે. આ બધી સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલુ ઉપચાર જણાવવામાં આવ્યાં છે, જેનો ઉપયોગ કરીને  સુકી ખાંસીથી છુટકારો મેળવી શકાય છે.

આદુ : આદુથી ખાંસીની સમસ્યા નષ્ટ થઈ શકે છે. 1 ચમચી આદુનો રસ લઇ તેમાં થોડા ટીપા મધના મિક્સ કરીને ચાટવાથી ફાયદો થાય છે. કાળા મરી અને આદુની ચા પીવાથી ખાંસીમાં આરામ મળે છે. મધ સાથે પણ આદુની ચા પી શકાય છે. વધું આદુની ચાથી પેટ ખરાબ થઈ શકે છે એટલા માટે તેને પૂરતા પ્રમાણમાં જ પીવી જોઈએ. તમે નાસ અથવા સ્ટીમ પણ લઇ શકો છો જેનાથી ફેફસા સ્વસ્થ રહે છે.

મધ : ખાંસીમાં મધને ઘરેલુ ઉપચારના રૂપમાં ઉત્તમ માનવામાં આવે છે. તેના એન્ટીઓક્સીડેન્ટ રોગાણુથી લડવામાં મદદગાર સાબિત થાય છે. આ ઉપરાંત ખાંસીને ખતમ કરવામાં પણ મધ ઉત્તમ છે. મધ અને ત્રિફળા ચૂર્ણ સમાન માત્રામાં લઇ મિક્સ કરીને લેવાથી ખાંસીથી છુટકારો મળે છે. હર્બલ ટી અથવા લીંબુ પાણીમાં બે ચમચી મધ મિક્સ કરીને દિવસમાં બે વાર તેને પીવાથી ખાંસીમાં આરામ મળે છે.

ADVERTISEMENT

કાળા મરી : કાળા મરી શરદી અને ખાંસી દુર કરવા ખુબ જ ઉપયોગી છે. કાળા મરીમાં રહેલું પીપેરીન શરદીથી રાહત આપે છે. વારવાર થતી ખાંસીને દુર કરવા અડધી ચમચી કાળા મરીના પાવડર સાથે અડધી ચમચી મધ મિક્સ કરીને દિવસમાં 2-4 વાર ચાટવાથી કફ દુર થાય છે. નિયમિત સવારે અનુકુળ હોય તો કાળા મરીવાળી ચા પીવાથી કફ તથા ખાંસી માં રાહત મળે છે.

બહેડા : ખાંસીની સમસ્યામાં બહેડા ખુબ જ લાભદાયક છે, બહેડાના 10 ગ્રામ ચૂર્ણમાં મધ ભેળવીને તેને નિયમિત સવાર અને સાંજ ભોજન પછી ચાટવાથી સુકી ખાંસીમાં લાભ થાય છે. બહેડાની છાલને સુચવાથી ખાંસીમાં આરામ મળે છે. બકરીના દુધમાં અરડૂસી, બહેડા અને કાળું મીઠું નાખીને ગરમ કરી પકવીને ખાવાથી દરેક પ્રકારની ખાંસી દુર થાય છે.

લસણ : લસણ સુકી ખાસીની સમસ્યામાં લાભકારક છે, 2 કપ પાણી લો અને તેમાં 4-5 લસણની કળીઓ નાખો. તેને ખૂબ જ ઉકાળો જ્યાં સુધી અડધું પાણી વધે. ત્યારબાદ તેને ગાળીને ઠંડુ પડ્યા પછી પીવાથી ખાસીની સમસ્યામાં રાહત થાય છે.

મીઠાના પાણીના કોગળા :  મીઠાના પાણીથી કોગળા ગળામાં ઠંડક આપે છે. ગળાની ખંજવાળ દૂર કરવા ઉપરાંત મીઠાના પાણીથી કોગળા કરવા પર ફેફસામાં લાળ પણ ઓછી થઈ શકે છે. એક કપ ગરમ પાણીમાં મીઠું મિક્સ કર્યા બાદ તેનાથી દિવસભર વારંવાર કોગળા કરવા જોઈએ. ગળામાં થનારા ટોન્સિલમાં પણ તેનાથી ફાયદા થાય છે.

નીલગિરીનું તેલ : નીલગિરીના તેલથી શ્વાસ લેવાની નળીની સફાઈ થાય છે. નારિયળ તેલ અથવા જૈતૂનના તેલમાં નીલગિરીના ટીપા મિક્સ કરીને છાતી પર માલિશ કરો. આ ઉપરાંત ગરમ પાણીની વાટકીમાં નીલગિરીના તેલના બે ટીપા મિક્સ કરીને નાસ પણ લઈ શકો છો. નીલગિરીથી છાતી હળવી થઈને શ્વાસ લેવામાં સહેલાય મળે છે.

નીલગીરીનું તેલ

હળદર વાળું દૂધ : સુકી ખાંસીની સમસ્યામ હળદર વાળું દૂધ ખુબ જ લાભદાયક છે, નિયમિત રાત્રે સુતા પહેલા હળદર વાળું દુધના સેવનથી સુકી ખાંસીની સમસ્યામાં રાહત થાય છે. એક ગ્લાસ દુધમાં અડધી ચમચી હળદર નાખી તેને ગરમ કરો, ત્યાર બાદ પીવાથી ફાયદો થાય છે. હળદરમાં મળતા એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ગળાનો ચેપ પણ દુર કરે છે. હળદરવાળું  દૂધ સુકી ખાંસી, શરદી માટે ખુબ જ ઉપયોગી છે.

લવિંગ : ખાંસીની સમસ્યામાં લવિંગ પણ લાભદાયી છે, રાત્રે સુતી વખતે ખાસીની વધારે પડતી તકલીફ થાય તો લવિંગને મોઢામાં રાખો અને ધીમેં ધીમે ચાવાવથી ખાંસી બંધ થાય છે. વધારે પડતી ખાંસી ની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લો.

આમ, આ ઘરેલું ઉપચાર દ્વારા તમે સુકી ખાંસી, શરદીને હંમેશા માટે દુર કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા વિનંતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
વગર દવાએ ગળામાં જામી ગયેલા કફને બહાર કાઢવાનો 100% અસરકારક ઉપાય,  તો અપનાવો આ ઘરેલુ ઉપાય તરત મળશે આરામ

વગર દવાએ ગળામાં જામી ગયેલા કફને બહાર કાઢવાનો 100% અસરકારક ઉપાય, તો અપનાવો આ ઘરેલુ ઉપાય તરત મળશે આરામ

જીવલેણ છે કોરોનાની બીજી લહેર, બચવું છે તો આ જગ્યાએથી બનાવી રાખો અંતર નહિંતર

જીવલેણ છે કોરોનાની બીજી લહેર, બચવું છે તો આ જગ્યાએથી બનાવી રાખો અંતર નહિંતર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

90 ટકા લોકો નથી જાણતા બાજરો ખાવાથી થતા આ અદભુત ફાયદા વિષે, જાણો બાજરો ખાવાથી થતા ફાયદા

90 ટકા લોકો નથી જાણતા બાજરો ખાવાથી થતા આ અદભુત ફાયદા વિષે, જાણો બાજરો ખાવાથી થતા ફાયદા

June 24, 2021
ઉપલેટ, કઠ કે કૂટ તરીકે ઓળખાતા આ ઘાસના 10થી વધુ ચમત્કારિક ફાયદાઓ

ઉપલેટ, કઠ કે કૂટ તરીકે ઓળખાતા આ ઘાસના 10થી વધુ ચમત્કારિક ફાયદાઓ

April 14, 2021
ખાટી આમલી છે કેન્સરથી લઇને અન્ય 15 થી વધુ રોગોના ઈલાજ માટે ખુબ જ અસરકારક ઉપાય

ખાટી આમલી છે કેન્સરથી લઇને અન્ય 15 થી વધુ રોગોના ઈલાજ માટે ખુબ જ અસરકારક ઉપાય

June 20, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In