Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

ગરમીની સીજનમાં કરો આ ફળોનું સેવન ઘણી બધી બીમારીઓ ભાગશે દુર, જાણો આ ફળોના સેવન કરવાથી થતા ફાયદા વિષે

Team GurjarBhumi by Team GurjarBhumi
May 9, 2021
0
ગરમીની સીજનમાં કરો આ ફળોનું સેવન ઘણી બધી બીમારીઓ ભાગશે દુર, જાણો આ ફળોના સેવન કરવાથી થતા ફાયદા વિષે
0
SHARES
145
VIEWS
Share on FacebookShare on Twitter

આપણે ત્યાં દરેક ઋતુની અનેક વિશેષતા હોય છે, ત્રણેય ઋતુમાં ફળોની પણ વિશેષતા હોય છે. ઋતુ પ્રમાણે ફળો, શાકભાજી, ખાણીપીણીનું સેવન કરવાથી શરીમાં અનેક બીમારીઓ દુર રહે છે. ગરમીની સીજનમાં ખાનપાનનું ધ્યાન રાખવાની ખુબ જ જરૂર પડે છે. જો ખોરાક સારો ન હોય તો ઘણા બધા રોગો થઇ શકે છે. આ મોસમમાં થોડી પણ બેદરકારી રાખી તો સ્વાસ્થ્ય પર ભારી પડી શકે છે. વાસ્તવમાં કેટલીક બીમારીઓ છે જે મોસમ પ્રમાણે જ આવે છે જેમાં ગરમીની સીજનમાં તીવ્ર તડકો અને પરસેવાના કારણથી હીટ સ્ટોક, ડિહાઈડ્રેશનથી પણ લોકો બીમાર પડે છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

ડિહાઈડ્રેશન જેવી સમસ્યાથી બચવા માટે રસદાર ફળોનું સેવન કરવું જેમ કે તરબૂચ, કેરી, શક્કરટેટી, વગેરેનું સેવન ઉત્તમ માનવામાં આવે છે અને આ ફળોના સેવનથી શરીર હાઇડ્રેઇટીંગ રહે છે અને ઘણી બધી બીમારીઓ પણ રહેશે દુર. ચાલો જાણીએ ગરમીની સીજનમાં આ ફળોના સેવનથી થશે ઘણા બધા ફાયદા.

નારિયેળ : ઉનાળામાં નારિયેળ પાણી સૌથી વધુ ફાયદાકારક છે, નારિયેળ પાણીના સેવનથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહેશે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. માટે ઉનાળામાં દરરોજ નારિયેળ પાણી પીવું આવશ્યક છે. નારિયેળ પાણી શરીરને ઉર્જાવાન રાખે અને પેટની સમસ્યાને દુર કરવામાં પણ મદદ કરે છે. નારિયેળ પાણીના સેવનથી શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલ લેવલને વધારે છે, જેથી હદય સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો ઓછો રહે છે. નારિયેળ પાણીના સેવનથી હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે અને માઈગ્રેનની સમસ્યામ પણ રાહત આપે છે.

તરબૂચ : ગરમીની સીજનમાં તરબૂચ ખાવું ખુબ જ જરૂરી છે કારણ કે તેમાં 92 ટકા પાણી હોય છે જેથી તેને ખાવાથી શરીરનું તાપમાન અને પાણીની માત્રા બરાબર રહે છે, સાથે જ શરીર હાઈડ્રેટ રહે છે. સ્વાદિષ્ટ અને મીઠા તરબૂચમાં લાઈકોપિન, એન્ટીઓક્સીડન્ટ અને વિટામીન -A, વિટામીન- C અને વિટામીન-B6 ભરપુર માત્રામાં હોય છે.

ADVERTISEMENT

તરબૂચ એ એક એવું ફળ છે જે ફેટ ફ્રી અને હાઇડ્રેઇટીંગ છે, સાથે જ શરીરમાં લોહીની ઉણપ દૂર કરે તથા આંખો અને વાળનું રક્ષણ કરે છે. તરબુચમાં ભરપુર માત્રામાં પોટેશિયમ હોય છે જે હૃદય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તરબૂચના સેવનથી શરીરમાં લોહીનો પ્રવાહ નિયમિત રાખે છે.

કેરી : ફળોનો રાજા કેરીની તો વાત જ કઈક અલગ જ છે. ઉનાળામાં કેરી ખાવી સૌને ખુબ જ પસંદ હોય છે. કેરીમાં એવા તત્વો હોય છે જે ત્વચાનો રંગ શુદ્ધ કરે છે. કેરીમાં વિટામીન-C, વિટામીન- K, વિટામીન-A, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન ઉપરાંત સોડીયમ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, કોપર વગેરે જેવા જરૂરી તત્વો હોય છે. પરંતુ કેરી ખાતા પહેલા તેને થોડા કલાક પાણીમાં રાખો પછી જ ખાવી ફાયદાકારક છે. કેરી ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત થાય છે સાથે જ તમારા પાચને પણ મજબૂત કરે છે. કેરીના સેવનથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોનું લેવલ ઘટે છે.

નારંગી : સીજનલ બીમારીઓથી બચવા માટે નારંગીનું સેવન ઉત્તમ માનવામાં આવે છે. નારંગીમાં ભરપુર પ્રમાણમાં પોટેશિયમ, ફાયબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન-C, વિટામીન-E અને વિટામીન-A હોય છે. નારંગીના સેવનથી વારવાર થતી શરદી દુર થાય છે સાથે શરીરની ઈમ્યુનીટી મજબુત થાય છે અને શરીરનું વજન ઘટે છે.

નારંગીમાં રહેલું પોટેશિયમ તત્વ હદયને સ્વસ્થ રાખે છે. નારંગીમાં રહેલું વિટામીન-C કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખે છે અને હાર્ટની બીમારીઓથી બચાવે છે. નારંગીમાં કેરોટીનોઈડ તત્વ હોય છે જે લીવર સંબધિત સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.

 

શક્કરટેટી : ગરમીની સીજનમાં શક્કરટેટી ખાવાથી શરીરમાં પુરતા પ્રમાણમાં પાણી રહે છે અને શરીર હાઇડ્રેઇટીંગ રહે છે. શક્કરટેટીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન, વિટામીન ભરપુર માત્રામાં હોય છે જેથી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

શક્કરટેટીના સેવનથી બ્લડપ્રેશર, આંખોની તકલીફ, અસ્થમા, શરીરના સોજા વગેરે જેવા અનેક રોગો માટે તે ઉપયોગી છે. શક્કરટેટીના પલ્પને માથામાં લગાવવાથી તે કુદરતી હેર-કન્ડીશનરનું કામ કરે છે. શક્કરટેટીના બીજના ફાયદાની વાત કરીએ તો હૃદય રોગ, વજન ઓછું કરવા, પાચન માટે ફાયદો પહોચાડે છે.

કાકડી : કાકડીમાં કુદરતી પ્રમાણમાં પાણી હોય છે. કાકડીના સેવનથી શરીરમાં પાણીના સ્તરને જાળવવામાં મદદરૂપ થઇ શકે છે. કાકડીમાં એક ખાસ પ્રકારનું એન્ઝાઈમ પણ હોય છે જે આંતરડાનું આરોગ્ય જાળવે છે. કાકડીના સેવનથી ત્વચા પણ તંદુરસ્ત રહે છે.

આમ, ગરમીની સીજનમાં આ ફળોનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓમાં ફાયદો થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

જો તમે આવી જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો અવશ્ય Share કરવા વિનતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
છાતીમાં બળતરા કે એસીડીટીને જડમૂળ માંથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપાય, જાણો એસીડીટીને દુર કરવાના ઉપાયો વિષે

છાતીમાં બળતરા કે એસીડીટીને જડમૂળ માંથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપાય, જાણો એસીડીટીને દુર કરવાના ઉપાયો વિષે

સાંધાનો દુખાવો, કેન્સર અને પાચનના રોગોનો દુશ્મન છે આ નાનકડા દાણા, દવા કરતા પણ છે વધારે અસરકારક

સાંધાનો દુખાવો, કેન્સર અને પાચનના રોગોનો દુશ્મન છે આ નાનકડા દાણા, દવા કરતા પણ છે વધારે અસરકારક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શું તમને પણ ગરમીમાં સુકી ખાંસી અને શરદીની તકલીફ છે? તો આ ઘરેલુ ઉપચારની મદદથી કરો હંમેશા માટે દૂર

શું તમને પણ ગરમીમાં સુકી ખાંસી અને શરદીની તકલીફ છે? તો આ ઘરેલુ ઉપચારની મદદથી કરો હંમેશા માટે દૂર

April 19, 2021
વાળને ખરતા અટકાવી લાંબા, ઘાટ્ટા કાળા અને સિલ્કી બનાવવા માટેનો 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય

વાળને ખરતા અટકાવી લાંબા, ઘાટ્ટા કાળા અને સિલ્કી બનાવવા માટેનો 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય

July 4, 2021
સાંધાનો દુખાવો, કેન્સર અને પાચનના રોગોનો દુશ્મન છે આ નાનકડા દાણા, દવા કરતા પણ છે વધારે અસરકારક

સાંધાનો દુખાવો, કેન્સર અને પાચનના રોગોનો દુશ્મન છે આ નાનકડા દાણા, દવા કરતા પણ છે વધારે અસરકારક

July 28, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In