Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

ધાધર, ખસ, કરોળિયા, કોઢ અને ચામડીના રોગોના ઈલાજ માટે ઉપયોગી છે આ વનસ્પતિ

Team GurjarBhumi by Team GurjarBhumi
June 24, 2021
0
ધાધર, ખસ, કરોળિયા, કોઢ અને ચામડીના રોગોના ઈલાજ માટે ઉપયોગી છે આ વનસ્પતિ
0
SHARES
3.4k
VIEWS
Share on FacebookShare on Twitter

કણજી કે કરંજ ભારતમાં બધી જ જગ્યાએ જોવા મળે છે. આ વૃખ દેખાવમાં સાધારણ હોય છે. પરંતુ તે અનેક ઔષધિય ગુણ ધરાવે છે. કરંજ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે. વૃક્ષ કરંજ, પુટી કરંજ, લતા કરંજ. આ બધી જ કરંજમાંથી પ્રાપ્ત તેલ ચામડીના રોગો માટે ફાયદાકારક છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

કરંજનું વાનસ્પતિક નામ Pongamia pinnata (પોન્ગેમીયા પીન્નાટા) છે. જેને અંગ્રેજીમાં smooth leaved pongamia કહે છે. આ વૃક્ષ વિશાળ પ્રમાણમાં પણ થાય છે, જેનું થડ માણસની બાથમાં મુશ્કેલીથી સમાય એવું ઝાડું હોય છે. કણજીનું ઝાડ 25 થી 30 ફૂટ ઊંચું થાય છે, અને તેની ચારે બાજુ ઘણી શાખાઓ નીકળેલી હોય છે. તેની ડાળીઓ ભૂરા કે ચળકતા ઘેરા લીલા રંગની કે રાખોડીયા રંગની હોય છે. કણજીના પાન ખુબ જ ચળકતા ઘેરા લીલા રંગના અને સુંદર હોય છે. કોમળ પાન જરા પીળાશ પડતા હોય છે. પાનનો આકાર ગોળ કે લંબગોળ હોય છે. પાનમાં ટેરવા બુઠ્ઠા અને અણીવગરના હોય છે. વર્ષા ઋતુમાં શરૂઆતમાં તેને સહેજ ગુલાબી અને આસમાની ઝાયવાળા સફેદ રંગના ફૂલોની કલગીઓ આવે છે. નાના નાનાં ફૂલોની તેની ક્લ્ગીઓ જાણે મોતીઓથી  ગુંથેલી ન હોય તેવી દેખાય છે.

ગામડાના લોકો તેની એક જાતને કણજી અને બીજી જાતને કણજો કહે છે. તેને બદામના જેવી પરંતુ જરા ચપટી શિંગો આવે છે. ઝાડ પર શિંગોના ઝૂમખાં ઝુકી રહેલા દુરથી નજરે પડે છે. શિંગ પ્રથમ લીલી હોય છે, પરંતુ પાકે ત્યારે ભૂરા રંગની થઇ જાય છે. તેની પાકી શીંગોનેને ભાંગવાથી અંદરથી રતાશ પડતા ભૂરા રંગના બી નીકળે છે. તેની વાસ ઉગ્ર અને સ્વાદ કડવાશ પડતો હોય છે. ચાલો જાણીએ કણજીના આયુર્વેદિક ફાયદા વિષે.

ચામડીના રોગો: કણજીના બીજમાંથી જે તેલ નીકળે છે જેને કરંજીયું તેલ કહે છે. આ તેલ ચોપડવાથી ચામડીના ઘણા બધાં રોગો મટે છે. તેનો  ઉપયોગ ચામડીના રોગોમાં ચોપડવામાં વિશેષ પ્રમાણમાં થાય છે. ઔષધી તરીકે કણજીના બી, તેલ, છાલ અને પાનનો ઉપયોગ થાય છે.

ADVERTISEMENT

ધાધર: કણજીના પાનનો રસ ધાધર પર ચોપડાય છે. તેના બી પણ પાણીમાં ઘસીને ખસ કે ધાધર પર ચોપડાય છે. કણજીના બી તથા કુવાડીયાના બી સાથે વાટીને ચોપડવાથી ધાધર મટે છે. કણજીનું તેલ લીંબુના રસમાં મેળવીને ખુબ જ હલાવી, એકરસ કરીને ચોપડવાથી ધાધર મટે છે. કણજીનું તેલ, લીંબુનો રસ અને કપૂર એકત્ર કરીને ચોપડવાથી પણ ધાધર મટે છે.

ખસ: કણજીનું તેલ, ગંધક, કપૂર અને લીંબુનો રસ સરખે ભાગે એકત્ર કરીને ચોપડવાથી ભયંકર ફેલાયેલી ખસ ટૂંક સમયમાં મટે છે. કણજીનું તેલ, લીંબુનો રસ અને કપૂર એકત્ર કરીને ચોપડવાથી ખસ મટે છે.

કરોળિયા: કણજી, આકડો, વરધારો, થોર અને ચમેલીએ પાંચેયના પાન સરખે ભાગે લઈ, ગાયના મૂત્રમાં વાટીને લેપ કરવાથી ધાધર, ખસ, ધોળો કોઢ, દુષ્ટવ્રણ અને અર્શ મટે છે. કણજીનું તેલ ચોપડવાથી કરોળિયા અને શ્વિત કોઢ મટે છે.

વધરાવળ: કણજીના બી પાણી સાથે ગરમ કરીને લેપ લગાડવાથી વા ના કારણે વૃષ્ણ કોથળીમાં થયેલી શુક્ર કોષની વૃદ્ધિ અટકે છે. કણજીના મૂળ ચોખાના ધોવરાવણમાં કે ચોખાના ઓસામણમાં ઘસીને લેપ કરવાથી શુક્રપિંડની સાઈઝમાં ઘટાડો થાય છે.

ખોડો: માથામાં ખોડો થયો હોય તો પ્રથમ અરીઠા કે અરીઠાના કુમળા પાન વાટી તેનાથી માથું ધોવું. ત્યારબાદ કણજીનું તેલ, કડવી કોઠીના બીનું ચૂર્ણ અને લીંબુનો રસ એકત્ર કરીને માથાના ખોડા પર ચોપડવાથી માથા પરનો ખોડો મટે છે.

સંધિવા: કણજીની છાલ પાણીમાં વાટી, ગરમ કરીને લેપ કરવાથી સંધિવા મટે છે. કણજીના મૂળની છાલ છૂંદીને સંધિવાના સોજા પર લેપ કરવાથી સંધિવાનો દુખાવો મટી જાય છે.  કણજીના પાન પાણીમાં ઉકાળીને સ્નાન કરવાથી સંધીવાને કારણે ઝલાઈ ગયેલા સાંધા છુટા પડી જાય છે. કણજીના પાનને તેલ ચોપડીને બાંધવાથી પણ સંધિવાથી ઝલાઈ ગયેલા સાંધામાં ફાયદો થાય છે.

આંખના રોગ: કપડામાં કણજીના ફૂલની પોટલી બાંધી, એ પોટલી આંખે લગાડવાથી આંખનો સોજો મટે છે. કણજીનું બી ઘસીને આંખમાં આંજવાથી ફૂલું મટે છે. કણજીના બીજના ચૂર્ણને ખાખરાના ફૂલના રસના પુટ આપી, બારીક ખરલ કરી, પાતળી સોગઠી બનાવી, પાણીમાં ઘસી, તેને આંખમાં આંજવાથી પણ ફૂલું મટે છે.

આંખો માટે

ભગંદર-હરસમસા: કણજીના મૂળની છાલનો રસ નાસૂર અને ભગંદર પર રેડવાથી જલ્દી રૂઝ વળે છે. કણજીના પાન અથવા છાલ પાણી સાથે વાટીને પીવાથી અર્શ મટે છે. તેના કુમળા પાન વાટીને લોહી સાથે નીકળતા દુઝતા મસા મટે છે.

ગોનોરિયા (પરમિયો): કણજીના મૂળના રસમાં કે તેની છાલના ઉકાળામાં નારીયેળનું પાણી અથવા ચૂનાનું નીતર્યું પાણી મેળવીને સવાર અને સાંજે પીવાથી પરમિયામાં થતી પેશાબની બળતરા શાંત થાય છે, મૂત્રનલિકામાં આવેલો સોજો મટે છે અને પરું નીકળી જાય છે.

રક્તપિત્ત: 1થી ૩ ગ્રામ કરંજના બીજના ચૂર્ણમાં મધ તથા ઘી ભેળવી દો. તેનું સેવન કરવાથી નાક-કાન વગેરે જગ્યાએથી લોહી નીકળવાની સમસ્યા ઠીક થાય છે. સિંધવ મીઠા યુક્ત કરંજના બીજના ચૂર્ણમાં દહીનું પાણી ભેળવી દો. સિંધવ મીઠાયુક્ત કરંજના બીજના ચૂર્ણ 1 થી ૩ ગ્રામ દહીંનું પાણી ભેળવી દો. તેને ગરમ કરીને ત્રણ દિવસ સુધી પીવાથી નાક-કાન વગેરે જગ્યાએથી લોહી નીકળવાની સમસ્યા દુર થાય છે.

પેટના રોગ: કરંજના ફળનો ગર્ભ 1 થી 2 ગ્રામ શેકી લો. તેમાં સિંધવ મીઠું ભેળવીને તેનું સેવન કરવાથી પેટના દર્દથી આરામ મળે છે. કરંજના બીજોની છાલો ઉતારીને સાફ કરી લીધા બાદ તેમાં થોરના પાંદડાનું દૂધ નાખો. આ પછી તેને તડકામાં સુકાવીને તેલ કાઢી લો. તેનો પ્રયોગ કરવાથી પેટના ફોડા નાશ પામે છે. કરંજના બીજ, સુંઠ તથા ઘોડાવજને કરંજના ઉકાળામાં વાટીને લગાવાવથી પેટના ફોડાઓ મટે છે.

કોઢ: કણજીના પાનના રસમાં દહી, ચિત્રક મૂળ, મરી અને સિંધવમીઠું મેળવીને સવારે અને સાંજે ત્રણથી ચાર માસ સુધી પીવાથી કોઢ મટે છે. કણજીના પાન અને ચિત્રકના પાન વાટીને તેમાં દહી તથા મીઠું મેળવીને ખાવાથી ગળત કોઢ મટે છે. કણજીના પાન, ચિત્રકના પાનને મરી સાથે વાટીને દહી સાથે ખાવાથી પણ ગળત કોઢનો રોગ મટે છે.

આ સિવાય કરંજના ઉપયોગ કરવાથી માથાની ટાલ, દાંતની બીમારી, ખાંસીનો ઈલાજ, ઉલ્ટી, ભૂખમાં વધારો, બરોળ વધવી, ઝાડા, મૂત્ર રોગ, સીફ્લીશ, ગઠીયો, લકવો, સોરાયસીસ, વિર્સપ રોગ, ફોડલાઓ, ઘાવ સુકાવવા, સાઈનસ, મસ, ચામડીનો વિકાર, ચહેરાનો નિખાર, તાવ, વીંછીનું ઝેર વગેરેમાં પણ ખુબ જ ઉપયોગી થાય છે.

આમ, કરંજ ખુબ જ ઉત્તમ ઔષધી છે, તે ચામડીના ભયંકર રોગો સહીત ઘણા રોગોમા ખુબ જ ઉપયોગી ઔષધી છે. આ ઔષધી તરીકે ઉપયોગમાં લેવાતું હોવાથી શરીરમાં કોઈ આડઅસર કરતું નથી. માટે અહિયાં તેના ઉપયોગો વિશેની માહિતી અમે અહિયાં રજૂ કરી છે. આશા રાખીએ આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે આ બીમારોમાંથી છુટકારો મેળવી શકો.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
અનેક રોગોનો શ્રેષ્ઠ અને સચોટ ઈલાજ એટલે આ ગુણકારી ઔષધીય

અનેક રોગોનો શ્રેષ્ઠ અને સચોટ ઈલાજ એટલે આ ગુણકારી ઔષધીય

ખાંસી, અસ્થમા અને શ્વાસના રોગોના ઈલાજ માટે અમૃત સમાન છે આ વનસ્પતિ

ખાંસી, અસ્થમા અને શ્વાસના રોગોના ઈલાજ માટે અમૃત સમાન છે આ વનસ્પતિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શરીરમાં થતી કંપવાતને દુર કરવાના 100 ટકા આયુર્વેદિક ઈલાજ

શરીરમાં થતી કંપવાતને દુર કરવાના 100 ટકા આયુર્વેદિક ઈલાજ

July 16, 2021
નાસ અથવા સ્ટીમ લેવાથી શરદી અને કફથી મેળવી શકાય છે છુટકારો, જાણો નાસ લેવાથી શરીરમાં થતા ફાયદા વિષે

નાસ અથવા સ્ટીમ લેવાથી શરદી અને કફથી મેળવી શકાય છે છુટકારો, જાણો નાસ લેવાથી શરીરમાં થતા ફાયદા વિષે

April 21, 2021
આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી ફળ જે ખાવાથી મળે છે 10 સફરજન જેટલા વિટામીન્સ અને ઘણી બીમારીને દૂર રાખવાની તાકાત

આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી ફળ જે ખાવાથી મળે છે 10 સફરજન જેટલા વિટામીન્સ અને ઘણી બીમારીને દૂર રાખવાની તાકાત

June 23, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In