Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

વિટામીન બી12ની ઉણપને વગર દવાએ આ આયુર્વેદિક રીતથી કરો દુર, ઘરે જ કરો આ દેશી ઈલાજ

Team GurjarBhumi by Team GurjarBhumi
August 4, 2021
0
વિટામીન બી12ની ઉણપને વગર દવાએ આ આયુર્વેદિક રીતથી કરો દુર, ઘરે જ કરો આ દેશી ઈલાજ
0
SHARES
7.7k
VIEWS
Share on FacebookShare on Twitter

વિટામિન બી12 શરીર માટે ખૂબ મહત્વનું છે, કારણ કે તે શરીરમાં ડીએનએ (DNA) અને લાલ રક્ત કોશિકાઓ બનાવવા માટે મદદ કરે છે. વિટામીન બી12 વિના લાલ રક્ત કણો બનાવવા ખુબ જ મુશ્કેલ હોય છે જો આ ન થવાથી શરીરમાં મેગાલોબ્લાસ્ટીક એનીમિયાની સમસ્યા ઉત્પન્ન થાય છે. આટલું જ નહીં, શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર બરાબર રાખવામાં, શરીરને ઉર્જા આપવા તેમજ ત્વચા, વાળ અને નખ માટે વિટામિન બી12 ખુબ જ જરૂરી છે. વિટામિન બી12, આવશ્યક વિટામિન હોવા છતાં, શરીર જાતે બનાવી શકતું નથી. તેને મેળવવા માટે આપણે આહાર પર નિર્ભર રહેવું પડે છે. જો તેની માત્રા ખૂબ ઓછી હોય તો ગંભીર લક્ષણો સામે આવવા લાગે છે. વિટામિન બી12 ની ઉણપની સ્થિતિમાં શરીર સામાન્ય કદ કરતા મોટી લાલ રક્ત કોશિકાઓ બનાવે છે, જે પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતું નથી.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

માયઅપચરની ડો.મેધવી અગ્રવાલ કહે છે કે વિટામિન B12 માછલી, માંસ, ચિકન, ઇંડા, દૂધ અથવા દૂધના ઉત્પાદનો સહિતના પ્રાણી ઉત્પાદનોમાં જોવા મળે છે. તે મુખ્યત્વે પ્રાણી આધારિત ખોરાકમાં જોવા મળે છે, વનસ્પતિ આધારિત ખોરાકમાં નહીં. તેથી, શાકાહારીઓમાં તેની ઉણપ થવાની વધુ  સંભાવના વધારે હોય છે. જે લોકો ખોરાક દ્વારા વિટામિન બી12 લેવા માટે અસમર્થ હોય છે અને શાકાહારીઓ હોય છે તેણે નાસ્તામાં અનાજ અને વિટામિન B12 થી સમૃદ્ધ ખોરાક લેવો જોઈએ. આજના આ આર્ટીકલમાં અમે તમને વિટામિન B12ની ઉણપને દુર કરવા માટે આયુર્વેદિક રીતે ઘરે જ બનાવી શકાય તેવી દેશી દવા વિષે જણાવવાના છીએ, તેના સેવનથી તમે વિટામીન B12 ની ઉણપ દુર કરી શકો છો.

વિટામિન બી -12 ની ઉણપના લક્ષણો : વિટામિન બી12 ની ઉણપથી અનેક પ્રકારની ન્યૂરોલોજીકલ સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન બી12ની ઉણપથી એક અલગ પ્રકારના એનિમિયાનું કારણ પણ બની શકે છે. અશક્તિ અને થાક વિટામીન B-12ની ઉણપના સામાન્ય લક્ષણો છે. તેની ઉણપ આહાર દ્વારા પૂરી કરી શકાય છે, પરંતુ લક્ષણોને સમજીને, સમયસર જરૂરી પગલાં લેવા જોઈએ. વિટામિન બી12ની ઉણપ હોવા પર ઘણા પ્રકારના લક્ષણો દેખાય છે જેને સમજવું જરૂી છે. તેની ઉણપમાં, થાક, હાથપગમાં ઝણઝણાટની લાગણી, જીભમાં કડકતા, હોઠ ફાટવા, મોંમાં વારંવાર ફોલ્લાઓ, એનિમિયા, યાદશક્તિ ઓછી થવી, ભૂખ ઓછી થવી, ત્વચાની પીળી થવી વગેરે. આ સિવાય માથાનો દુખાવો, શ્વાસ લેવાની તકલીફ વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.

વિટામિન બી12 ની ઉણપથી થતા રોગો : વિટામીન-12ની ઉણપથી લોકો અનેક પ્રકારની બીમારીઓથી પીડાય શકે છે. કાળજી પૂર્વક ધ્યાન ન આપવામાં આવે તો આ સમસ્યા ગંભીર પણ થઈ શકે છે. આ વિટામીનની ઉણપથી લોકોના શરીરમાં લોહી ઓછું બનવા લાગે છે. જેથી એનિમિયાની પરેશાની થાય છે. આ ઉપરાંત તેની ઉણપથી હાડકાં પણ નબળા પડી શકે છે જે કમરનો દુખાવો અને પીઠમાં દર્દનું કારણ બની શકે છે. શરીરમાં વિટામીન બી12 ઓછું બનવાથી મગજ પર પણ નેગેટિવ ઇફેક્ટ પડે છે. આથી ભૂલવાની બીમારી પણ થઈ શકે જેને ડિમેંશિયા કહેવામાં આવે છે. ગર્ભવસ્થા દરમિયાન વિટામીન બી 12ની ઉણપ ખુબ જ નુકશાન કારક હોય છે. નેશનલ ઈસ્ટીટ્યૂટ ઓફ ન્યૂટ્રિશન અનુસાર, ગર્ભવતી પહેલા અથવા સ્તનપાન કરાવતી માતાઓ, જે શાકાહારી હોય છે, જેમાં આ વિટામીનની ઉણપ જોવા મળે છે. આ ઉણપને જો સમયસર પૂરી કરવામાં ન આવે તો માતા-બાળક બંનેને નુકસાન પડોચે છે.

આ આયુર્વેદિક ઉપાયથી દુર કરો વિટામિન બી12 ની ઉણપને

ADVERTISEMENT

વિટામીન B-12ની ઉણપમાંથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક રીતે ઘરે જ ઉત્તમ દવા બનાવીને આ ઉણપ પૂરી કરી  શકાય છે અને ઘણા રોગોમાંથી બચી શકાય છે. આ માટેના ઈલાજ માટે 100 ગ્રામ શુદ્ધ અને દેશી ગોળ લેવો. આ પછી 20 ગ્રામ ધાણા લેવા. આ ધાણાને બરાબર સુકાવી લેવા. ત્યારબાદ તેને ખાંડીને કે દળીને પાવડર કરી લેવો. આ પાવડર બની જાય ત્યારે તેને છાલણી વડે છાળી લેવો અને તેમાં 2 ચમચી ગાયનું શુદ્ધ ઘી ઉમેરવું. આ મિશ્રણને એક વાસણમાં લઈને ગરમ કરી બરાબર મિક્સ કરી લેવું. આ પછી તેને ઠંડુ પાડવા દેવું ત્યારબાદ તેની નાની નાની ગોળીઓ બનાવી લેવી. આ ગોળીઓને ભેજ વિહીન એક કાચના વાસણમાં ભરી લેવી.

જયારે પણ વિટામિન બી12 ની ઉણપ જણાય ત્યારે આ ગોળીને ભૂખ્યા પેટ સવાર સાંજ સેવન કરવું. આ ગોળી સુચાઈ ગયાબાદ તરત જ જમી લેવું, જયારે સાંજે જમ્યા પહેલા આ ગોળી લેવી અને ગોળી સુચાઈ ગયા બાદ તરત જ જમી લેવું. આ ગોળીને ધીમે ધીમે મોઢામાં નાખી સગળવી, આમ કરવાથી મોઢામાં લાળ બનવાનું શરુ થશે અને આ લાળ સાથે ગોળી ભળ્યા બાદ ગળામ ઉતારી જવાથી આપણું શરીર કુદરતી રીતે વિટામિન બી12 બનાવશે. તેના લીધે વિટામિન બી12ની ઉણપ દુર થશે અને રોગપ્રતિકાર ક્ષમતામાં પણ ઘણો સુધારો થશે. આયુર્વેદિક રીતે વિટામીન B12ની ઉણપમાંથી છુટકારો મેળવવા માટે આ એક ઉત્તમ ઉપાય છે.

વિટામીન12 ની ઉણપને દુર કરવાની બીજી રીત

વિટામીન12 મુખ્ય રીતે માંસાહારી ભોજનમાં મળી આવે છે. ટૂના એક ચરબીવાળી માછલી છે તેમાં જરૂરી માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન અને વિટામીન બી12 હોય છે જે શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂરી કરે છે.

ઈંડા : ઈંડા વિટામીન બી12નો સારો સ્ત્રોત હોય છે. સંશોધનથી જાણવા મળ્યું છે કે ઈંડાની સફેદીની સરખામણીમાં ઈંડાની જરદીમાં વિટામીન બી 12નું ઉચ્ચ સ્તર હોય છે.  આ ઉપરાંત ચિકનમાં પણ ઉચ્ચ પ્રમાણમાં વિટામીન બી 12 હોય છે. તેમજ શાકાહારી લેતા લોકો પોતાની ડાયટમાં પનીર અને દૂધને સામેલ કરી શકે છે. દરરોજ એક કપ દૂધ તમારા શરીરને લગભગ 20 ટકા વિટામીન બી 12 પહોચાડવામાં મદદ કરી કરે છે.

સાર્ડિન માછલી : ડાયટિશિયન્સના જણાવ્યા મુજબ, વિટામિન બી12 ની ઉણપને દૂર કરવા માટે સાર્ડિન માછલીનું સેવન કરી શકાય છે. સાર્ડિંન એ નાની દરિયાઈ માછલી છે. સાર્ડિન સુપર પૌષ્ટિક હોય છે કારણ કે તેમાં લગભગ દરેક પોષક તત્ત્વો સારી માત્રામાં હોય છે. વિટામિન બી12 સિવાય, તે ઓમેગા -3 ફેટી એસિડ્સનો ઉત્તમ સ્રોત પણ છે.

આમ, આ આયુર્વેદિક ઉપાયથી વિટામિન બી12ની ઉણપને દુર કરી શકાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે આ આયુર્વેદિક ઉપાયનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી ફળ જે ખાવાથી મળે છે 10 સફરજન જેટલા વિટામીન્સ અને ઘણી બીમારીને દૂર રાખવાની તાકાત

આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી ફળ જે ખાવાથી મળે છે 10 સફરજન જેટલા વિટામીન્સ અને ઘણી બીમારીને દૂર રાખવાની તાકાત

90 ટકા લોકો નથી જાણતા બાજરો ખાવાથી થતા આ અદભુત ફાયદા વિષે, જાણો બાજરો ખાવાથી થતા ફાયદા

90 ટકા લોકો નથી જાણતા બાજરો ખાવાથી થતા આ અદભુત ફાયદા વિષે, જાણો બાજરો ખાવાથી થતા ફાયદા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વાંરવાર થતી કબજિયાતથી રહો છો પરેશાન, અપનાવો આ દેસી નુસખા, સવારે ઉઠતા જ થઇ જશે પેટ સાફ

વાંરવાર થતી કબજિયાતથી રહો છો પરેશાન, અપનાવો આ દેસી નુસખા, સવારે ઉઠતા જ થઇ જશે પેટ સાફ

September 3, 2021
સાંધાના દુખાવામાં એક વાર કરો આ વસ્તુના તેલનો મસાજ, જરૂર ફાયદો થશે

સાંધાના દુખાવામાં એક વાર કરો આ વસ્તુના તેલનો મસાજ, જરૂર ફાયદો થશે

August 1, 2021
મફતમાં મળતી આ વનસ્પતિ છે અનેક રોગોનો આયુર્વેદિક ઉપચાર, જાણો આ વનસ્પતિના ફાયદા વિષે

મફતમાં મળતી આ વનસ્પતિ છે અનેક રોગોનો આયુર્વેદિક ઉપચાર, જાણો આ વનસ્પતિના ફાયદા વિષે

April 14, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In